SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ co સમાજસેવામાં યશસ્વી પ્રદાન શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મધુમતી મહુવા નગરીના મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ ને મંગળવાર, તા. ૧૨-૭-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં થયેલો. પિતા શ્રી ફૂલચંદ ખુશાલદાસ મહુવાના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત પ્રભાવશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે આજથી લગભગ એક સદી પૂર્વે મુંબઈ આવનારા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા એટલે તત્કાળે મુંબઈ આવતા જ્ઞાતિના અનેક યુવાનોને નોકરી યા વ્યવસાય શોધી આપી લઇને ચડાવતા. આમ તેઓ માત્ર મહુવા પૂરતા જ આગેવાન ન રહેતાં મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન જ્ઞાતિના સમ્માનનીય રાહબર–આગેવાન બન્યા હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘદૃષ્ટા હતા. પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી સ્વ. વિજયાબહેને પણ પતિનો સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી તેઓ શ્રી માટુંગા જૈન મહિલા મંડળના પ્રમુખ હતાં. તેમના ભાઈઓ પૈકીના ભાઈશ્રી ધીરજલાલ અહીં ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન સંચાલિત વ્યવસાયલક્ષી યોજનાનું સ્વતંત્રપણે સંચાલન કરે છે. આ યોજના અંતર્ગત તેઓ લગભગ ૮૦ (એંશી) લાખ જેટલા વ્યવસાયલક્ષી લોન આપી ચૂક્યા છે. તેમ જ આત્મજ્ઞાની પરમકૃત અપૂર્વસાધક-વેધક, વૈરાગ્યવાણીના સ્વામી એવા પૂ. સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી સ્થાપિત ‘શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સતસંગ સાધના કેન્દ્ર' મુંબઈનાં ટ્રસ્ટી તરીકે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ છે. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં પોતાનો વ્યવસાય મેસર્સ શાહ પટેલ એન્ડ કંપની નામે શરૂ કરી ઉત્તરોત્તર પ્રગતી સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની નામના-આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં પત્ની શ્રીમતી વેણીલક્ષ્મીબહેન પણ લાગણીપ્રેમ-વાત્સલ્ય ને સમર્પણ ભાવથી કુટુંબ-સમાજમાં સુવાસ ફેલાવી આગવું સ્થાન મેળવ્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિ રૂપે તેમને ત્રણ સુપુત્રો ને એક પુત્રીની પ્રાપ્તિ થઈ છે. કેળવણીના પ્રખર હિમાયતી એવા પ્રવીણભાઈએ ઉચ્ચઅભ્યાસ માટે ત્રણેય Jain Education International For Private ચતુર્વિધ સંઘ પુત્રોને અમેરિકા મોકલી શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું છે. તેમના મોટા પુત્ર ચિ. કિરીટભાઈ M.S.-સ્ટ્રક્ચરલ એન્જિનિયર થયા છે. લગ્ન પછી તેઓ ત્યાં જ અમેરિકા LOSANGELES માં સેટલ થયા છે અને પોતાનો TAMPUS GIFTS MC. ના નામે સ્વતંત્ર બિઝનેસ ધરાવે છે. શ્રી પ્રવીણભાઈએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું છે. તેઓએ ઓઇલ-ગેસ તેમ જ પેટ્રો પ્રોડક્ટ્સ માટેની પાઇપલાઇન પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે એક અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિર્વાણ કરીને, આ ક્ષેત્રે સારી નામના મેળવી છે, જેનું સંચાલન તેમના બીજા અને ત્રીજા પુત્ર ચિ. નરેશભાઈ અને ચિ. ગૌતમભાઈ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાની કદરરૂપે આજથી આશરે પચીસ વર્ષો પહેલાં જે.પી.ની પદવી એનાયત કરી હતી. જે.પી.ની પદવી પછી પણ તેઓ લાગલાગટ છ વર્ષ સુધી SEM સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી છે. ધંધા સાથે તેમનો ધર્મ-અધ્યાત્મ-સમાજને શિક્ષણક્ષેત્રનો ફાળો પણ મહત્તમ છે. મહુવામાં ૮૦ વર્ષ પહેલાં સ્થપાયેલ મહુવા યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના પ્રમુખ અને ટ્રસ્ટી છે તથા વર્ષોથી જે સંસ્થા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા સ્કોલરશિપનો લાભ આપે છે, એવા મહુવા જૈન મંડળ મુંબઈના ૪૦ વર્ષથી માનદ્ મંત્રી તરીકે સેવા આપી સંચાલન કરી રહ્યા છે, તથા સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવકસમાજ-મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેના તેઓ ટ્રસ્ટી તથા પ્રમુખપદે રહી ચૂક્યાં છે તેમજ તેના સુવર્ણજયંતી સમારોહના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ શ્રી માટુંગા તપાગચ્છ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે ઘણાં વર્ષ સેવા આપ્યા બાદ ગત વર્ષે નિવૃત્ત થયા. શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ સાયન–મુંબઈમાં વર્ષો સુધી ટ્રેઝરર પદે, હાલમાં કારોબારી સમિતિના સભ્ય તથા મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપકસમિતિના પણ સભ્ય છે. કૌટુંબિક ગહન ધર્મસંસ્કારે અને શ્રદ્ધાના પરિણામે તેઓ મહુવામાં પ.પૂ.આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. નિર્મિત ગુરુમંદિરમાં તેમજ પાલિતાણામાં ૫.પૂ. આ. શ્રી વિજયધૂરંધરસૂરીશ્વરજી મ.સા. નિર્મિત કેસરિયાનગરમાં ભગવાન પધરાવી પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓ સૌરાષ્ટ્ર કચ્છ- Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy