SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પૂ. શ્રી સાગરાનંદસૂરિશ્વરજી મહારાજનું શિષ્યાદિ પરિવાર સહિત સં. ૧૯૭૪માં મુંબઈમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રીમાન પોપટભાઈએ સદ્ગુરુવર્યના વિશેષ સમાગમમાં આવ્યા. વારંવાર થતાં ધર્મશ્રવણથી શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક વિરતિમાં પણ આગળ વધ્યા છે. સંપૂર્ણ શ્રીમંતાઈ છતાં સાદાઈ, પ્રભુના શાસન ઉપર રોમરોમ રાગ, જ્ઞાનાભ્યાસમાં આગળ વધવાની ઉત્કંઠા અને યથાશક્તિ વિરતિનું આરાધન, તેમજ લક્ષ્મી ઉપરથી મૂર્છા ઓછી કરવા સાથે યોગ્ય ક્ષેત્રમાં ખુલ્લો મુકેલો દાનપ્રવાહ એ ચતુરંગી યોગ ભાગ્યે જ કોઈ પુણ્યશાળી વ્યક્તિમાં દૃષ્ટિગોચર થાય છે. સંઘપતિ શ્રી પોપટલાલ આ ચતુરંગી યોગનું સ્થાન હતું તેમ તેમના પરિચયમાં આવનારને આજે પણ અવશ્ય જણાય છે. પાલિતાણા, રતલામ, જામનગરાદિ સ્થળોએ પૂ. શ્રી સાગરાનન્દસૂરિશ્વરજી આદિની અધ્યક્ષતામાં હજારોના સર્વ્યયે કરાવેલા મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના તેઓને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની સેવનામાં કેટલો અવિહડ રાગ છે તે બતાવી આપે છે. એ જ રીતે જામનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલખાતું-દેવબાગ-લક્ષ્મી આશ્રમ-જૈનાનંદ પુસ્તકાલયજૈન વિદ્યાર્થીભુવન વગેરે ધાર્મિક સંસ્થાઓરૂપી કીર્તિસ્તંભો આજે પણ એ દાનવીરનાં યશોગાન ગાઈ કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. ઇ.સ. ૧૯૧૮માં આખાય હિંદમાં વિસ્તાર પામેલા ઇન્ફ્લુએન્ઝાના ઝેરી તાવે જામનગરમાં જ્યારે વિરાટ સ્વરૂપ લીધું તે અવસરે સ્થાનિક જૈન કોમની રાહત માટે દેશી વૈદ્યો તથા ડોક્ટરો મારફત દવા વગેરેનું સાધન વિશાળ ખર્ચે પૂરું પાડનાર અને સ્વયંસેવકો દ્વારા દર્દીઓની સારવાર સુશ્રુષા કરી અંતરના આશીર્વાદ મેળવનાર જો કોઈ હય તો તે આ પુણ્યશાળી વ્યક્તિ જ હતી. તેમની સેવાથી સંતુષ્ટ થયેલા શ્રી જૈનસંઘે તેમને એ અવસરે હજારો માનવોની વિશાળ સંખ્યા વચ્ચે અભિનંદન પત્ર પણ અર્પણ કરી. સેવા ધર્મ : પરમગહનો યોગિનામપ્યગમ્યઃ' એ મહર્ષિની સૂક્તિનો અમલ કરનારની ભૂરિભૂરિ પ્રશંસા કરી હતી. આ સિવાય ક્ષયની ભયંકર બિમારીથી પીડાતા દર્દીઓને રાહત મળે તે માટે જામનગર તથા પાલિતાણામાં તૈયાર થતાં સાર્વજનિક સેનેટોરિયમમાં રૂા. ૫૦,૦૦૦ તેમજ રૂા. ૨૫,૦૦૦ની ગંજાવર રકમ અર્પણ કરી જૈન સમાજને શોભાવનાર પણ આ નરવીર હતા. શાસન સમ્રાટશ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી કદંબગિરિ તીર્થમાં ગિરારાજ ઉપર તથા નીચેનાં જિનમંદિરોમાં સ્વતંત્ર દેવકુલિકાઓ તૈયાર કરાવી તેમાં અનંત ઉપકારી શ્રી Jain Education International For Private ૮૪ જિનેશ્વર મહારાજનાં બિબોની અંજન–શલાકા-પ્રતિષ્ઠાઓ શેઠ પોપટભાઈએ કરાવી છે. તે ઉપરાંત રૂ!. ૨૩,૦૦૦ના ખર્ચે આ તીર્થમાં જ વિશાલ ઉપાશ્રય બંધાવી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીને તેઓએ અર્પણ કરેલ છે. સેલાણા (માળવા)માં ઉપાશ્રયની જરૂર જણાતાં તેનો અર્ધ ખરચ આપનાર પણ તેઓ જ હતા. પાટણ નિવાસી સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ તરફથી કાઢવામાં આવેલ મહાન સંઘને ધ્રાંગધ્રા મુકામે તેમ જ અમદાવાદ નિવાસી સંઘપતિ શેઠ માણેકલાલ મનસુખલાલ તરફથી કાઢવામાં આવેલ સમૃદ્ધિશાળી વિશાળ સંઘને જૂનાગઢ મુકામે સ્વામીવચ્છલના આમંત્રણ આપી સંઘભક્તિનો પણ પુણ્યશાળી પોપટભાઈએ લાભ લીધો છે. જામનગરમાં તો નવકારશી ને સ્વામીવચ્છલના પ્રસંગો કેટલીયવાર તેઓશ્રીએ ઉદાર દિલથી ઉજવ્યા હતા. પોતાના સહધર્મચારિણી શ્રીમતી ઉજમબહેનના વરસીતપનાં પારણા પ્રસંગે સેંકડો સાધર્મિક બન્ધુઓ સાથે શ્રી સિદ્ધક્ષેત્રની છાયામાં જઈ પારણાંનો પ્રસંગ ઘણી ઉદારવૃત્તિથી ઉજવ્યો અને નવકારશીનું જમણ આપી જૈનશાસનનો ડંકો વગાડ્યો. સં. ૧૯૭૬માં આ ગિરિરાજની છાયામાં મહામંગલમય શ્રી ઉપધાનતપની આરાધના કરાવી અને તે પ્રસંગે માળારોપણ મહોત્સવાદિ શુભ કાર્યોમાં આ ભાગ્યશાળીએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો. ઉપરાંત સંવત ૧૯૯૨માં પૂ. શ્રી સાગરાનન્દસૂરિશ્વરજી મહારાજના શુભ હસ્તે તેઓના શિષ્યો વગેરેને અપાયેલ આચાર્યપદવીના સુપ્રસંગે પણ અષ્ટાપદસમવસરણાદિ પંચતીર્થની રચનાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, નવકારશી વગેરે ધર્મકાર્યમાં અઢળક દ્રવ્ય શ્રેષ્ઠી શ્રી પોપટભાઈએ વાપરેલ. શાસનરસિક ધર્માત્માઓ ધર્મક્રિયા શાંતિપૂર્વક કરી શકે, સાધુમહારાજોના વ્યાખ્યાનાદિનો સુખપૂર્વક લાભ લઈ શકે તે નિમિત્તે જામનગરમાં જૈન લક્ષ્મીઆશ્રમની જોડે લગભગ પચાસથી સાઠ હજારના ખર્ચે દેવબાગ નામની ધાર્મિક સંસ્થા ઊભી કરનાર આ ભાગ્યશાળી શેઠ જ હતા. મહાનિર્જરાનું કારણ શ્રી વર્ધમાન તપઆયંબિલખાતામાં રૂ. ૩૦,૦૦૦ જેવી ઉદાર સખાવત કરનાર અને સાધર્મિકોની ભક્તિ નિમિત્તે હજારોની રકમ અર્પણ કરવા સાથે જૈન ભોજનશાળાનાં મંડાણ કરનાર આ ધર્મવીર સંઘપતિનું યુગલ જ ગણી શકાય. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકારમાં દાનધર્મનું આરાધન કરવામાં પોપટભાઈની જેવી તત્પરતા દેખાઈ તે પ્રમાણે શીલ ધર્મની સેવનામાં તેઓ જરા પણ ઉતરતા નહોતા. પોતાને સંતાન નહિ હોવા છતાં પિસ્તાલીશ વર્ષની પ્રૌઢ ઉંમરમાં, સંપત્તિનું સર્વાંગ સુંદર સાધન છતાં, Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy