SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ loca યોગદાન આ સંધવીપરિવાર તરફથી અપાયું. ૧૨૦૦ના સૈકામાં વિધર્મીઓ દ્વારા જીર્ણશીર્ણ થયેલા કુળદેવી ભવાની વડાવરી માતાજીના મંદિરને નવો ઓપ આપી પરિવારનાં સૌને સાથે રાખી મંદિર બાંધકામમાં પૂરો રસ લીધો. પ્રતિષ્ઠા પણ ધામધૂમથી તેમના હાથે થઈ. તેના ટ્રસ્ટી તરીકે પણ આજે સુંદર સેવા આપી રહ્યા છે. સંપત્તિ કમાયા, સંપત્તિનો સદ્ઉપયોગ કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ પાલિતાણામાં તળેટી રોડ ઉપર પોતાના ખર્ચે સંઘવી ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. પ.પૂ.આ. ભગવંતશ્રી કલાપૂર્ણસૂરિજી મ.સા.ના પુનીત હાથે ધર્મશાળાનું ઉદ્ઘાટન થયું. સિહોરથી સિદ્ધગિરિ તીર્થનો પૂજ્યશ્રીની નિશ્રામાં છ’રી– પાલિત યાત્રા સંઘ નીકળેલ જે ખૂબ જ યાદગાર બની ગયો. દોઢ દાયકા પહેલા મોરબીથી કટારિયા-ભદ્રેશ્વર સુધીનો યાત્રા સંઘ નીકળેલ જે પુનીત પ્રસંગના પણ અનેક ચિરઃસ્મરણીય સંભારણાં બન્યાં. શ્રાવકજીવનના આચાર-વિચારને જીવનમાં પૂર્ણપણે આત્મસાત્ કરી સવારસાંજ સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન, જાપ અને પૂજાઅર્ચના વગેરેમાં ચુસ્ત રીતે વળગી રહ્યા છે. સાદગી અને સેવા એમની ખાસિયાતો છે. નાનામોટા ફંડફાળામાં સંઘવી પરિવારની દેણગી હોય જ. પોતાની હયાતીમાં જ્યાં જ્યાં અપાય ત્યાં ત્યાં યથાશક્તિ આપવું જ એવા એક મંત્રબીજને નજર સમક્ષ રાખ્યું છે. તીર્થયાત્રાઓ પણ પરિવાર સાથે સુસંપન્ન બની છે. હાલમાં નિવૃત્તજીવન ગાળે છે પણ તેમની ભક્તિભાવના, ત્યાગભાવના અને સમર્પણભાવના ખરેખર અજોડ છે. અનેકોને શક્ય ઉપયોગી બનતા રહ્યા છે. સંઘ અને શાસનસેવાના દરેક પ્રસંગે તેમની અમીરાત અને ઉદારતાનાં દર્શન થતાં રહ્યાં છે. આવા પુણ્યાત્માઓ જ જૈન સમાજનાં સાચાં ઘરેણાં છે. અરિહંત પરમાત્મા તેમને લાંબુ દીર્ઘાયુષ બક્ષે એવી શુભેચ્છા. પાલિતાણા સિદ્ઘશીલા ધર્મશાળાના આયોજનમાં પાર્ટનર હર્ષદભાઈ દોશી અને વર્ષાબહેન દોશી પરિવારનો પણ સારો સહયોગ મળ્યો છે. અનેક સમ્માનોથી વિભૂષિત શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ Jain Education International For Private ચતુર્વિધ સંઘ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાગંધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનું યોગદાન પણ અવિસ્મરણીય છે. ધ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું સ્થાન ધરાવતા દશાશ્રીમાળી જૈન જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં ધર્મપત્ની ગંગાબહેનની કૂખે સંવત ૧૯૬૮માં કાંતિલાલનો જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં અને ધર્મભાવનાથી રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન જીવતાં. કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. શિક્ષણમાં બહુ મન ન લાગવાથી નોનમેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ વર્ષની વયે ધંધાર્થે મુંબઈ-કલકત્તા થોડાં વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ ધંધાને બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા. ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘનો ઉપાશ્રય જીર્ણ હોવાથી નવેસરથી બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ કરાવ્યું, જેમાં તેમને સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાંતાબહેન આજે ૮૫ વર્ષની ઉંમરે ગર્ભશ્રીમંતનાં દીકરી હોવા છતાં સાદું-સેવાભાવી અને પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં એક જ દીકરી સરોજબહેન તેમણે પણ માતાપિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણસંસ્થામાં સેવા આપી રહ્યાં છે ને માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી રહ્યાં છે. શ્રી કાંતિભાઈ ૯૨ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવે છે. કાંતિભાઈને આખું ગામ ‘દાદા’ કહીને સંબોધે છે. ધ્રાંગધ્રા શ્રીસંઘનો અભ્યુદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીના, મહારાજોનાં આવાગમન અને ચોમાસાં થવાં લાગ્યાં. સંઘમાં ધાર્મિક ક્રિયાઓ, દીક્ષાઓ થવા લાગી, જેમાં દોઢ દાયકાથી તેઓએ સક્રિય સેવા આપી છે. મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. પુનઃ વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું વિસ્તૃતીકરણ કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિજીના ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં લોકોનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિંગના સંચાલનમાં સેવા ઉપરાંત પાલિતાણાની મુક્તિનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર પાડ્યાં. જૈન સંસ્થાઓએ સોંપેલા લાખો રૂપિયાનો વહીવટ તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો. સં. ૨૦૪૦માં શ્રી તપાગચ્છ સંઘની વિનંતીથી વાડીનું કામ ઉપરાંત સંઘનાં ભાઈબહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતીકરણ તેમ જ કુમાર પાઠશાળાનાં નૂતન મકાન તેમના હસ્તે અને Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy