SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા વર્તમાન શાથ્વી શમુદાયમાં તપસ્વીરો –ગણિશ્રી મહોદયસાગરજી મ. જૈન સાહિત્યમાં આજસુધીમાં શ્રમણોનાં જે સુયોગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્રલેખનો અને મહિમાગાન થયાં છે તેમની સામે આ વિદુષી સાધ્વીઓ વિષે બહુ જ ઓછુ લખાયું છે અને બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચિંતનની જ્યોત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરત્નોએ ગજબનો પરિશ્રમ ઉઠાવ્યો છે. વર્તમાન સમયમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વીનીઓ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને અખૂટ વાત્સલ્યપ્રેમી સ્ત્રીરત્નો જ્યારે વૈરાગ્ય અને તપસ્યાનો કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેમની ઋજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે. એમાંય જૈનદર્શનમાં તો જપ-તપ અને સંયમસાધનાના નિયમો કપરા છે, વ્રતો આકરાં છે, સંયમજીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું દોહ્યલું છે વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતાભાવે સહન કરવાં એ જેવી તેવી વાત નથી. નારી જાતિને સદા કાળથી શારીરિક બળમાં દુર્બળ માનવામાં આવી રહી છે પણ એવી દુર્બળ નારીઓ પણ તપસ્યાના ક્ષેત્રે સદાય આગળ જ રહી છે. સુંદરીએ સંયમ પ્રાપ્ત કરવાને માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું. રાજસી સુખભવની વચ્ચે રહેલાં કોમલાંગી સીતાજી, કલાવતી, રાજીમતિ, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી આદિ મહાસતીઓએ દીક્ષા ગ્રહણ કરીને એજ સુકોમળ કાયાથી ઉગ્ર સાધના કરી. સહનશીલતા, નમ્રતા, સાત્ત્વિકતા, શીલ-પરાયણતા આદિ ગુણોને આત્મસાત્ કરી આજ સુધીમાં અનેક સાધ્વીરત્નોએ શ્રમણી પરંપરાને ગૌરવ અપાવ્યું છે. આ લેખમાળા, રજૂ કરનાર અચલગચ્છ સંપ્રદાયના પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીએ બહુરત્ના વસુંધરાના પ્રયાસ વખતે ઘણી જહેમત લઈને જે માહિતી ગ્રંથસ્થ કરી તેમાંનો સારભાગ અત્રે રજૂ કરેલ છે. – સંપાદક જંગલમાં વડના ઝાડ નીચે સ્વયં વેષ પરિધાન!!! પ્રભાવતીને તેમજ તેમનાં માતા-પિતાને ખૂબ દુઃખ થયું. કેટલાક સમય બાદ ગોધરામાં પ. પૂ. શાસનસમ્રાટ પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.સા. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ના આ સાધ્વીજી ભગવંતે પોતાના જીવનમાં વિશિષ્ટ સમુદાયના પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ.સા. આદિ મુનિવરો પ્રકારના પરાક્રમ દ્વારા સંયમરૂપી અણમોલ રત્નની પ્રાપ્તિ કરી તેમજ સા. શ્રી ગુણશ્રીજી આદિ ઠાણાનું ચાતુર્માસ થયું. છે. ગૃહસ્થાપણામાં તેમનું નામ પ્રભાવતીબહેન હતું. ગુજરાતમાં ચાતુર્માસના અંતે ઉપધાન તપ નક્કી થતાં ગોધરાથી ૮ માઇલના પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામમાં તેઓ રહેતાં હતાં. ૧૪ અંતરે આવેલ વેજલપુર ગામમાં આ સમાચાર પ્રસરતાં ત્યાંનાં વર્ષની નાની વયમાં સં. ૧૯૮૭માં એમનાં લગ્ન એ જ ગામના અગ્રણી શ્રાવિકા ધીરજબહેન કે જેઓ પ્રભાવતીબહેનના કાકાની શાંતિલાલભાઈ સાથે થયેલ, પરંતુ તેમને હજી સાસરે વળાવેલ દીકરી થતા હતાં તેમણે ઉપધાનમાં જોડાવાનું નક્કી કર્યું. તેમની ન હતા, એ અરસામાં જ ગાંધીવાદી ચળવળમાં જોડાયેલ સાથે પ્રભાવતીબહેનને પણ ઉપધાન કરવાની હોંશ જાગતાં, શાંતિલાલભાઈને ૬ મહિનાની કેદની સજા થઈ. આ બનાવથી પૂર્વના દુઃખદ પ્રસંગથી તેનું મન શાંત થાય તે માટે માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy