SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૪૮૫ પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાલ, જૂહુ (મુંબઈ)ના આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં હતાં. આ સર્વ શાસનપ્રભાવનાનાં કાર્યો પૂજયશ્રીના પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ન શતાવધાન પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! દાદર શ્રી આત્મકમલ લબ્ધિસૂરિજી જૈન જ્ઞાનમંદિર આજથી ૬0 વર્ષ પૂર્વે પૂજ્યશ્રીએ દીર્ઘદ્રષ્ટિથી કરાવેલું. આજે એ જ્ઞાનમંદિર ઉત્તમ રીતે ધર્મની પ્રભાવના અને આરાધકોને આરાધનામાં ઘણી પ્રેરણા આપે છે! સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર-પથદર્શન અને શાસનના શણગારરૂપ એવા પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ગરવી ગુજરાતની તીર્થભૂમિ તરીકે વિખ્યાત બનેલ મહેસાણા જિલ્લાની પુણ્ય ધરા પર અને ગગનચુંબી જિનાલયોથી શોભતી નગરી વીસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ સં. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધો. ‘પુત્રનાં લક્ષણ પારણાંમાંથી' એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ ડાહ્યાભાઈએ બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની આરાધનાના બળે, પોતાના વડીલ ભાઈ-બહેન સાથે ધાર્મિક અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું કરી ધંધાર્થે મુંબઈ ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં તણાયા નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયા. શ્રાવકાચાર, વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. પૂ. આગમોદ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહૂર્ત ફરમાવ્યું. એ ધન્ય દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમોદ્ધારકશ્રીના વરદ્ હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ઘોષિત થયા. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન અને વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. પૂ. આગમોદ્ધાર કશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, વિજયદેવસૂરિ સંઘ (પાયધૂનીમુંબઈ) ની પાટ પરથી અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અભુત પ્રવચનકાર તરીકે પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આદિ પ્રદેશોમાં અવિરામ વિચરીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના કરી રહ્યા. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે પાલિતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર આવ્યા કે વહેલી તકે ઉર્જન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે મુજબ છે : ૧. પરમાત્મા વીરપ્રભુની ૨૫૦૦મી નિર્વાણકલ્યાણકની ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને શાનદાર રીતે સંપન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy