SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ તવારીખની તેજછાયા * ગુજરાત-કપડવંજનું ગૌરવ + આગમોદ્ધારકશ્રીના હસ્તદીક્ષિત લધુવય અંતિમ શિષ્ય + વ્યાકરણ-સાહિત્યઆગમ-કર્મગ્રંથના પ્રખર અભ્યાસુ. * પૂ. પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના પરમ મિત્ર. * પૂ. ગચ્છાધિપતિ માણિક્યસાગર સૂ.મ.ના કૃપાપાત્ર + ૩૨ વર્ષની વયથી પ્રાયશ્ચિત આપવાના અધિકારી. * શતાધિક દીક્ષા હતા. માંડવગઢ-અયોધ્યાપુરમુ–ઉવસગ્ગહરં–નાગેશ્વર ૨૪ જિનાલય આદિ અનેક તીર્થોના પ્રતિષ્ઠાકારક + બૂદ્વીપ મંદિરના સ્વપ્નશિલ્પી * પિતા મુનિ લબ્ધિસાગરજીના આજીવન વૈયાવચ્ચ * ૮૧ વર્ષની વયે પણ અપ્રમત્ત, જ્ઞાનમગ્ન, સ્વાધ્યાયી & ગીતાર્થતા-વાત્સલ્યતા–સરલતા-સહજતાના સ્વામી * કપડવંજના પૂ. સાગરજી મ.ના ભવ્ય સ્મારકના પ્રણેતા. 4 બાંસવાડા-બિબડોદ જિર્ણોદ્ધારના પ્રેરક એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્ર હસમુખ (આ ત્રિપુટી) શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. ધર્મસંસ્કારોના અભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષા દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાત વર્ષની હતી. તેઓશ્રી નવાં નક્કોર શ્વેતવસ્ત્રોમાં બાલસૂર્ય સમા પ્રકાશી રહ્યા! એ જોઈને જ નામ રાખવામાં આવ્યું બાલમુનિશ્રી સૂર્યોદયસાગરજી. પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્ય તરીકે ઘોષિત થયાં. તેઓને સાત વર્ષની લઘુવયમાં દીક્ષા મળી. તેમાં વર્તમાન જીવનનાં માતા-પિતા આદિની પ્રેરણા કરતાં ભૂતકાળની આરાધનાનું બળ આ વર્તમાન સંયમમાર્ગનું મુખ્ય કારણ સમજાય છે, કેમકે ગુરુદેવનો જન્મ થયો ત્યારે તેઓના પિતાશ્રીએ પોતાની ગૃહિણીને જણાવ્યું કે “તને સંભાળનાર પુત્ર આવી ગયો છે તો મને સંયમ માટે રજા આપ.” ત્યારે અર્ધાગનાએ કહ્યું કે “શું તમે મને નહીં તારો? સંસારમાં ડૂબાડવા માટે મૂકીને જશો?” આવા પરસ્પરના સંવાદમાં નક્કી થયું કે પુત્ર સાત વર્ષનો થાય અને તેની મરજી હોય તો તેને લઈને દીક્ષા લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ મારા ગુરુદેવના પિતાશ્રી પોતાની દુકાને બેઠા અને વિશાલ કુટુંબની જવાબદારી સાથે દુકાને બેઠા. અને પુત્રની ઉંમર ફા. સુ. ૧૨ના સાત વર્ષની થતાં પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે“આપણો વાયદો પૂરો થયો છે.” પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું કે-“હું તૈયાર જ છું.” આ પછી અઠવાડિયામાં જ પતિ-પત્ની અને પુત્રે ઘેરથી પ્રયાણ કર્યું અને ૩ મહિના સુધી સંપૂર્ણ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામેગામનાં જિનાલયો જુહારી છેક અ. સુ. ૨-ના અમદાવાદ આવ્યા અને ત્યાં પૂ. સાગરજી મ. વિદ્યાશાળામાં ચાતુર્માસ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા અને ઉપદેશ મળતાં તેમની નિશ્રામાં જ અ. સુ. ૫-ના ત્રણે જણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું સુંદર ફલ, જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ વધુ ચમત્કારિક ઘટના બની દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે શ્રા. વ. ૫-ના પૂ. ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દીક્ષાના દોઢ માસના ગાળામાં ઊગેલા વાળનો લોચ અશક્ય જણાતાં સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સાત પૈકી હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપિયો મંગાવી લો અને ઉપર અગાશીમાં બંધ બારણે વ્યાખ્યાન ઊઠતાં પહેલાં મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય. મુંડન કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત આપશે તે લઈ લઈશું પણ આટલું મારું કાર્ય કરી આપો! અને મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાળ સાધુ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની આરાધનાનું બળ જ કામ કરી ગયું એમ જણાય છે. આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના કરવામાં ઉદ્યમવંત રહે તેવા ઉત્તમ ભાવથી તે વખતમાં કઠોર સંયમના પાલક તપસ્વી અને શાસનસેવારત પૂ. ધર્મસાગરજી મ. પાસે એકાકી મૂક્યા. જેથી સંયમ અને ભાવનામાં વ્યાઘાત ન આવે. અહીં આગળ બાલમુનિને પૂ. બાલમુનિ અભયસાગરજી મ. સા. સાથે ભણવાનો અને બાલ વય પ્રાપ્ય તોફાન મસ્તીનો અનુભવ કરતાં આગળ વધ્યા. ૩ વર્ષ વિતાવ્યાં. ત્યાર બાદ ઉત્તરોત્તર વિકાસ વધતાં અભ્યાસાદિમાં સુંદર પ્રગતિ કરી. તેના ફળસ્વરૂપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી જેના અભ્યાસગ્રંથો પી.એચ.ડી.ના ગ્રંથો કરતાં પણ વધુ હતા અને સાગર સમુદાયના “રત્ન' તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક ચાતુર્માસ થયાં અને તેમાં અનેક આગમિક વિષયોનું અધ્યયન મળ્યું અને સાથે સાથે ગાઢ મિત્રતા બંધાઈ. ગચ્છાધિતિ પૂ. આ. માણેકસાગરસૂરિજી પાસેથી પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy