SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः । માલતી પુષ્પોથી શોભાયમાન અંજનવર્સી કેશપાશ એટલે યમુનાના જલમાં ગંગાના ફીણનો સમૂહ.” (૩૦) કેશ પછી હવે કર્ણયુગલનું પણ કવિ કાવ્યત્વના પુષ્પ દ્વારા પૂજન કરે છે. અંશપ્રદેશને આશ્લેષ આપતા તેના કર્ણ એટલે સ્મરની જાળ છે. તેથી જ તો તેને જોનારાઓના લોચનપક્ષી ત્યાં બંધાઈ જાય છે. (૩૧) “રાજીમતિના કંઠે પોતાના મંજુલ નિસ્વન દ્વારા વીણા, કોયલ અને વેણુના મધુર નાદને જીતી લીધા છે શું એટલે જ તે કંઠ કંબુની જેમ રેખાત્રયથી અલંકૃત છે?” (૩૨) કંઠ પર રહેલી ત્રણ રેખાને વિજયરેખા તરીકે દર્શાવીને કવિશ્રીએ આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે. - રસનિરૂપણાની ઉત્કૃષ્ટતા તરફ આગેકૂચ કરતા કવિશ્રી કુંકુમરાગથી રંગેલા મીનધ્વજરૂપી હસ્તિરાજના કુંભ સમાન (૩૩) ઉરોજ યુગ્મને કલ્પનાના રંગોથી શણગારે છે– જયારે ઈન્દ્ર વજ દ્વારા પર્વતોની પાંખો છેદી નાખી હતી ત્યારે ગિરિરાજયુગલે તેના હૃદયમાં વસવાટ કર્યો.” (૩૪) “ગિરિસ્વભાવ હોવાથી તે સ્વભાવે કઠીન છે. પરંતુ વેષ પરિવર્તન કરેલું હોવાથી મૂદુ છે, શરમને કારણે તેનું મુખ પણ શ્યામ બની ગયું છે.” (૩૫) “આ પર્વતયુગ્મ પરથી લોકોના મન કામિત અર્થમાટે ભૃગુપત કરે છે.” (૩૬) કટિની કૃશતા જોઈને કવિ વિધિને પણ દાનલમ્પટ ગણે છે. કારણકે નિતમ્બપર અતિપૂલ વક્ષોજના ભારનું નિર્માણ કર્યું. અને મધ્ય(ભાગ)ના નિર્માણમાં અતિકૃપણ બની ગયો.” (૩૮) અહીં વ્યાજસ્તુતિ દ્વારા વિધિની રચનાને પ્રશંસી છે. રાજીમતીનો દેહ સંચારિણી કુન્દલતા (૩૯) અને મન્મથનું નગર છે. (૪૦) તેના બાહુને કલ્પવૃક્ષની શાખાનું ભવ્યરૂપક આપ્યું છે. (૪૧) રેખા અને યવાલિકાથી અલંકૃત તેના પ્રકોઝ (કાંડાનો ભાગ) અંતિશય શોભતા હતા આથી જ વિશ્વાભૂષણ સ્વરૂપ શ્રી નેમિનાથ પરમાત્મા સાથે પાણિગ્રહણ કરવાના હતા. (૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy