SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ વ્યાખ્યાન ૩૦૪] મુનિનો સ્થિરતા ગુણ કુમારે તેને જીતી લીધો. તેની સાથેના યુદ્ધમાં કુમારને ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી સર્વ વિદ્યાઘરો હર્ષથી કુમારને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયા. ત્યાં કુમાર સો કન્યા પરણ્યા. ત્યાંથી આજે ક્રીડા કરવા માટે તમારા મિત્ર અહીં આવ્યા ત્યાં તમારો મેળાપ થયો.” આ પ્રમાણે બકુલવતી વાત કરતી હતી, તેવામાં ચક્રી નિદ્રાથી જાગૃત થયા. પછી મિત્ર તથા સ્ત્રીઓને લઈને કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ગયો. ત્યાંથી મિત્રની પ્રાર્થનાને લીધે કુમાર પોતાના નગરમાં આવ્યો. તેને જોઈને અશ્વસેન રાજા અતિ આનંદ પામ્યા. પછી કુમારને રાજ્યગાદી પર બેસાડીને તેમણે ઘર્મનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અશ્વસેનના પુત્ર સનકુમાર ચક્રી દશ હજાર વર્ષે સમગ્ર ભરતક્ષેત્ર સાથી ચક્રવર્તી થયા. એકદા સૌઘર્મ દેવલોકના ઇન્દ્ર દિવ્ય નાટક જોતા હતા; તે વખતે ઈશાન દેવલોકથી કોઈ મહા તેજસ્વી દેવ કાર્યનિમિત્તે ત્યાં આવ્યો. તે દેવે, જેમ સૂર્યની કાંતિથી નક્ષત્રની કાંતિ ઝાંખી થઈ જાય તેમ પોતાની કાંતિથી બીજા સર્વ દેવોની કાન્તિને નિસ્તેજ કરી દીધી. તે દેવના ગયા પછી સૌઘર્મ દેવલોકના દેવોએ સૌધર્મ ઇન્દ્રને પૂછ્યું કે “હે નાથ! આ દેવ આવો અધિક કાન્તિવાળો કેમ થયો?” ઇન્ટે કહ્યું કે “તેણે પૂર્વભવમાં દુષ્કર એવું આંબિલવર્ધમાન તપ કર્યું છે, તેનો આ મહિમા છે.” ફરીથી દેવોએ પૂછ્યું કે “હે સ્વામી! બીજો કોઈ દેવોમાં કે મનુષ્યોમાં આવી કાન્તિવાળો છે?” ઇન્ટે કહ્યું કે “ચક્રવર્તી સનકુમાર જેવો તેજસ્વી અને રૂપવાન છે તેવો મનુષ્ય લોકમાં કે દેવલોકમાં પણ કોઈ નથી.” આ પ્રમાણેના ઇન્દ્રના વાક્ય ઉપર વિશ્વાસ નહીં આવવાથી કોઈ બે દેવો બ્રાહ્મણનું સ્વરૂપ ઘારણ કરીને ચક્રીના મહેલમાં આવ્યા. ત્યાં ચક્રીનું અનુપમ રૂપ જોઈને વિસ્મય પામી તે બન્ને બોલ્યા કે “હે ચક્રી! શું તારું રૂપ! શી તારી કાંતિ! અને શી તારા શરીરની અદ્ભુત લાવણ્યતા! ખરેખર તારા અંગનું વર્ણન કરવામાં મોટા કવીશ્વરો પણ મૂંગા થઈ જાય એવું છે. માત્ર તારા શરીરનું રૂપ જોવામાં પણ કોઈ માણસ એક ભવમાં સમર્થ થાય તેમ નથી, પરંતુ કેટલાય ભવ સુધી તારું રૂપ જોયા કરે તો આખું શરીર બરાબર જોઈ શકે.” તે સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રી બોલ્યા કે “હે બ્રાહ્મણો! અત્યારે તો ખેલ અને તૈલાદિકનું મારા શરીર પર અભંગન કરેલું છે, તેથી તેના શરીરમાં શું લાવણ્ય જુઓ છો? પણ જ્યારે સ્નાન કરીને હું સભામાં આવું ત્યારે મારું રૂપ તમે જોજો.” એમ કહીને તે બ્રાહ્મણોને રજા આપી ચક્રીએ સ્નાન કર્યું. પછી અંગ ઉપર ઉત્તમ વસ્ત્રો તથા સર્વ અલંકારો ઘારણ કરી છત્રાદિક રાજચિહ્નોથી ભૂષિત થઈ સભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. પછી તે બન્ને બ્રાહ્મણોને બોલાવી પોતાનું રૂપ દેખાડ્યું. દેદીપ્યમાન ભૂષણોથી સુશોભિત એવા તે ચક્રીને જોઈને તે બન્ને બ્રાહ્મણો, સાયંકાળે જેમ કમળો કરમાઈ જાય તેવા પ્લાન મુખને ઘારણ કરતા સતા, વિચારવા લાગ્યા કે “અહો! મનુષ્યોનું રૂપ કેવું ક્ષણભંગુર છે!” તેમને વિચારમાં પડેલા તેમજ પ્લાન મુખવાળા જોઈને ચક્રીએ પૂછ્યું કે “હે બ્રાહ્મણો! શું વિચાર કરો છો? તેઓ બોલ્યા કે” “તમારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે.” ચક્રીએ પૂછ્યું કે “તમે તે કેમ જાણ્યું?” તેઓ બોલ્યા કે “અમે જ્ઞાનથી જાણ્યું છે, તો પણ તમે ભક્ષણ કરેલા તાંબુલને ઘૂંકી જોઈને ખાતરી કરો. મૂળ વર્ણ તજીને તમારું ઘૂંક પરુ જેવું થઈ ગયું છે. કાશ, શ્વાસ, અજીર્ણ, અર્શ, જ્વર વગેરે સોળ વ્યાધિઓ તમારા શરીરમાં ઉત્પન્ન થયા - ૧ પીઠી અથવા તેને લગતો સુગંધી પદાર્થવિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy