SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૧ થયેલા જીવની તેના ભોગ વડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. તે ઇન્દ્રિયોનો સમૂહ કેવો છે? હજારો નદીઓના પ્રવાહવડે પણ નહીં પુરાતા સમુદ્ર જેવો છે. તે ઇન્દ્રિયોનો અભિલાષ શમસંતોષ વડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિત કથન છે. તેથી હે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપે કરીને જ તૃપ્ત થા. આ જીવ સંસારચક્રમાં રહેલા પરભાવોને આત્મપણે (પોતાપણે) માનીને આ શરીર જ આત્મા છે' એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણાને પામવાથી મોહમાં આસક્ત થયો સતો અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અઘિગમથી (પરના ઉપદેશથી) આત્મરૂપ તથા પર રૂપનો વિભાગ કરીને ‘હું શુદ્ધ છું’ એવો નિશ્ચય કરી સમ્યક્ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળો અન્તરાત્મા થાય છે, (તે જ અંતરાત્મા કહેવાય છે); અને તે જ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો જ યોગ્ય છે. કહ્યું છે કે— स्फुरत्तृष्णामृगतृष्णानुकारिषु । इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥१॥ પુરઃ पुरः ભાવાર્થ-જડ પુરુષો જ્ઞાનરૂપી અમૃતનો ત્યાગ કરીને આગળ આગળ સ્ફુરણાયમાન થતી ભોગપિપાસા (વિષયતૃષ્ણા) રૂપી મૃગતૃષ્ણા જેવા રૂપ રસ ગંઘ સ્પર્શ શબ્દ લક્ષણ ઇન્દ્રિયોના વિષયો તરફ દોડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારનાં યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વગેરે કર્મ કરે છે. તત્ત્વને નહીં જાણનારા (તત્ત્વવિકળ) લોકો ઇન્દ્રિયોના ભોગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી પણ ભ્રાંતિ જ છે. કહ્યું છે કે– वारमणंतं भुत्ता, वंता चत्ताय धीरपुरिसेहिं । ते भोगा पुण इच्छइ, भोत्तुं तिह्वाउलो जीवो ॥१॥ ભાવાર્થ-ઘીર પુરુષોએ અનન્તીવાર ભોગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભોગોને આકુલવ્યાકુલ થયેલો તૃષ્ણાર્થી જીવ ફરી ફરીને ભોગવવાને ઇચ્છે છે. તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કુંડરીક વગેરે અનેક પુરુષો વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું! વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. અહો! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઇન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વીપર આળોટે છે, માટે અનાદિકાળથી અનેક વાર ભોગવેલા વિષયોનો ત્યાગ જ કરવો; તેનો કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહીં. પૂર્વપરિચિત (પૂર્વે ભોગવેલા) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજનો તત્ત્વ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રઅવલોકનવડે જ કાળ નિર્ગમન કરે છે; અને ‘નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવનો અમે ક્યારે સ્પર્શ કરીશું?’ ઇત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy