SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૧ ભાવાર્થ-“સચિત્ત વસ્તુ ઉપર આહાર મૂકવો, સચિત્ત વસ્તુથી તેને ઢાંકવો, યોગ્ય કાલનું ઉલ્લંઘન કરવું, મત્સરભાવ ઘારણ કરવો અને બીજાનો વ્યપદેશ કરવો (પોતાનું છતાં પારકું કહેવું)–એ પાંચ ચોથા શિક્ષાવ્રતના અતિચાર છે.” વિશેષાર્થ-સચિત્ત એટલે સજીવ એવી પૃથ્વી વનસ્પતિ વગેરેની ઉપર આપવા યોગ્ય અન્નપાનને અદાનબુદ્ધિએ અથવા અનાભોગે કે સહસાત્કારે મૂકી દેવું–એ પહેલો અતિચાર છે. તેમ જ સચિત્ત એટલે સૂરણ, કંદ, પત્ર, પુષ્પ, ફળ વગેરેથી અદાનબુદ્ધિએ દેવા યોગ્ય આહારને ઢાંકવો તે બીજો અતિચાર છે. કાળ એટલે સાઘુને ભિક્ષા યોગ્ય સમયનું ઉલ્લંઘન કરવું, અર્થાત્ ભિક્ષા લેવા માટે સાધુને યોગ્ય જે કાળ હોય તેનું ઉલ્લંઘન કરે, તે સમય વીત્યા પછી સાધુને આમંત્રણ કરવા જાય અથવા સાથે આવ્યા ન હોય તો પણ પૌષઘવૃત્તિએ ભોજન કરે તે ત્રીજો અતિચાર છે. મત્સર એટલે કોપ. માગવાથી કોપ કરે અથવા છતી વસ્તુ માગ્યા છતાં ન આપે અથવા “આ ક્ષુદ્ર મનુષ્ય દાન આપ્યું, તો શું હું તેનાથી હીન છું કે ન આપું?” એવા મત્સરથી દાન આપે. અહીં બીજાની ઉન્નતિ સહન ન કરી શકવારૂપ મત્સર (ઈર્ષાભાવ) સમજવો, તે ચોથો અતિચાર છે. અન્ય એટલે બીજા સંબંધી વ્યપદેશ એટલે મિષ (બહાનું) કરે. જેમ કે “આ ગોળ ખાંડ પ્રમુખ પારકું છે, તેથી હું કેમ આપું?” એવો ખોટો મિષ કરે તે અન્યાપદેશ કહેવાય છે. (અપદેશ શબ્દ કારણ, મિષ અને લક્ષ અર્થમાં પ્રવર્તે છે, એમ અનેકાર્થ સંગ્રહમાં કહેલ છે.) એ પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચાર ચોથા શિક્ષાવ્રતના કહેલા છે. આ અતિચાર અનાભોગ વગેરેથી એટલે અજાણપણા વગેરેથી થાય છે; પણ જો જાણીને કરે તો વ્રતનો ભંગ થાય છે. અતિચાર સહિત દાન આપવા વિષે ચંપકશ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે ચંપક શ્રેષ્ઠીની કથા ઘન્યપુર નગરમાં ચંપક નામે શ્રેષ્ઠી હતો. તે ચારે પર્વમાં પૌષધ કરી તેને પારણે હમેશાં અતિથિસંવિભાગ કરતો હતો. તે સંપૂર્ણ પોસહને પારીને ગુરુને વિજ્ઞપ્તિ કરતો કે “સ્વામી! મારે ઘેર ભાત પાણીનો લાભ આપશો. પછી પોતાને ઘેર જઈ પોતાને માટે ભોજનાદિક કરાવતો હતો. જ્યારે ગોચરીનો સમય થાય ત્યારે પાછો ઉપાશ્રયે જઈ સાઘુને નિમંત્રણ કરતો. તેના નિમંત્રણથી સાથુ પણ બીજા કોઈ સાધુ કે શ્રાવકની સાથે તેને ઘેર જતા, કારણ કે સાધુને એકલા વિહાર કરવો કે એકલા કોઈ પણ સ્થાનકે જવું ઉચિત નથી. સાઘુ ઘેર આવતા એટલે તેમને અચિત્ત તથા નિર્દોષ અન્નપાનાદિ અને વસ્ત્ર, કંબલ કે ઔષઘાદિ જેનો ખપ હોય તે ચંપકશેઠ વિનયથી આપતો હતો. સાધુ તેને ફરીથી રાંઘવું ન પડે તેવો ભય રાખી તેના ઘરેથી અલ્પ વસ્તુ વહોરતા હતા. (સાધુનો એવો આચાર જ છે, નહીં તો પશ્ચાતુકર્માદિ દોષ લાગે છે.) પછી તે વંદના કરી સાધુને વિદાય કરતો અને તેમની પાછળ કેટલાંક પગલાં વળાવવા જતો. ત્યાર પછી પોતે ભોજન લેતો હતો. તેમાં પણ “જે વસ્તુ સાધુને આપવામાં આવી ન હોય તે શ્રાવકે ખાવી નહીં' એવો આચાર હોવાથી તે પ્રમાણે વર્તતો હતો. જો કે ગામમાં સાધુ ન હોય તો ભોજનવેળાએ તે ગૃહદ્વારે જઈ અવલોકન કરતો અને એવું ચિંતવતો કે “જો અકસ્માત્ આ કાળે કોઈ સાધુ આવી જાય તો હું તરી જાઉં.' (આ પ્રમાણે પૌષધને પારણે કરવાનો વિધિ છે.) ચંપકશ્રેષ્ઠી એ પ્રમાણે સર્વદા દાન આપતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy