SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૫] અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર ૭પ તે સમયે શ્રી વિરપ્રભુ વૈભારગિરિ ઉપર સમવસર્યા. એ ખબર જાણી ઘન્ય પોતાની સ્ત્રીઓ સહિત જગદ્ગુરુની પાસે ગયો અને સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વૃત્તાંત સાંભળી શાલિભદ્ર પણ વીરપરમાત્માના ચરણમાં આવ્યો અને સંસારના ભયથી તેમની પાસે દીક્ષા લીધી. (બન્નેએ સાથે દીક્ષા લીધાનું પણ અન્યત્ર કહેલ છે) ઘન્ય અને શાલિભદ્ર ગીતાર્થ મુનિ પાસે અભ્યાસ કરી બહુશ્રુત થયા અને એક, બે, ત્રણ અને ચાર ચાર માસના ઉપવાસ સતત કરવાથી તે બન્નેના શરીર માંસ તથા રુધિર રહિત થઈ ગયા. એકદા ત્રણ ભુવનમાં સૂર્ય સમાન શ્રી વીરપ્રભુની સાથે વિહાર કરતાં તે બન્ને મુનિ રાજગૃહ નગરે આવ્યા. માસક્ષપણને પારણે ભિક્ષા માટે જવા તેમણે પ્રભુની આજ્ઞા માગી, એટલે પ્રભુએ કહ્યું-“આજે તમારું પારણું શાલિભદ્રની માતાને હાથે થશે.” “હું ઇચ્છું છું' એમ કહી શાલિભદ્ર મુનિ ઘન્યને સાથે લઈ ભદ્રાને ઘેર ગયા. તપસ્યાથી કૃશ થયેલ તે બન્ને મુનિ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. ભદ્રાએ પણ શ્રી વીરપ્રભુ, ઘન્ય અને શાલિભદ્રને વાંદવા જવાની વ્યાકુલતામાં એ બન્ને મુનિઓને આવ્યા જાણ્યા નહીં. બન્ને મુનિ ક્ષણવાર ત્યાં ઊભા રહી પાછા વળ્યા અને નગરના દરવાજા પાસે આવ્યા. ત્યાં શાલિભદ્રની પૂર્વજન્મની માતા ઘન્યા દધિ વેચવા ગામમાં જતી હતી તે મળી. શાલિભદ્રને જોતાં જ તેના સ્તનમાંથી દૂઘની ઘારા છૂટી. તત્કાળ તેણે તેમને વાંદીને દધિ વહોરાવ્યું. બન્ને મુનિએ શ્રી વીરપ્રભુની પાસે જઈ ગોચરી આલોવી. પછી શાલિભદ્ર પ્રભુને પૂછ્યુંસ્વામી! આજે મારી માતાને હાથે પારણું કેમ ન થયું?” સર્વજ્ઞ પ્રભુએ તેમને પૂર્વભવની માતાનો સર્વ સંબંઘ કહ્યો. પછી બન્ને મુનિ દધિ વડે પારણું કરી, પ્રભુની રજા લઈ, પૂર્ણ વૈરાગ્ય વડે વૈભારગિરિ ઉપર ગયા અને એક શિલાતલને પડિલેહી તેની ઉપર પાદપોપગમન અનશન કર્યું. અહીં ભદ્રા અને શ્રેણિક શ્રી વિરપ્રભુને વાંદવા આવ્યા. ભદ્રાએ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું–“સ્વામી! તે બે મુનિ ક્યાં ગયા છે? મારે ઘેર ભિક્ષા માટે કેમ ન આવ્યા?” પ્રભુએ કહ્યું– ભદ્ર! તારે ઘેર આવ્યા હતા, પણ તેં ઓળખ્યા નહીં. પછી તે પૂર્વભવની માતાએ આપેલી ભિક્ષા લઈ, આહાર કરીને વૈભારગિરિ ઉપર ગયા છે અને અનશન કર્યું છે.” તત્કાળ ભદ્રા શ્રેણિકની સાથે ત્યાં ગઈ. તેમને નિશ્ચલ રહેલા જોઈને ભદ્રા બોલી–પુત્ર! મને ધિક્કાર છે કે મેં તમને ઘેર આવ્યા છતાં ઓળખ્યા નહીં.' એમ કહી તે વિલાપ કરવા લાગી; એટલે શ્રેણિકે તેને સમજાવી. તે બન્ને મુનિ અનશન પાળીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયા અને ત્યાંથી મોક્ષે જશે. “અહો! તે દાનના સૌભાગ્યને હું સ્તવું છું કે જેથી વશ થયેલી સ્વર્ગની ભોગલક્ષ્મી અભિસારિકા (નાયિકા)ની જેમ શાલિભદ્રને મનુષ્યના ભાવમાં પણ પ્રાપ્ત થઈને ભજતી હતી.” વ્યાખ્યાન ૧૫ અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર सचित्ते क्षेपणं तेन, पिधानं काललंघनम् । मत्सरोऽन्यापदेशश्च, तुर्यशिक्षाव्रते स्मृताः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy