SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૩૭] અનર્થદંડનો ત્યાગ કર્તવ્ય દેશના સાંભળતાં કોઈ એક કઠિયારો પ્રતિબોધ પામ્યો. તે જોઈ જૈનધર્મનો અજ્ઞાત, મિથ્યાત્વને લીધે જૈનધર્મ ઉપર દ્વેષ કરનારો ચિત્રગુપ્ત રાજાના ભયથી દંભ વડે આ પ્રમાણે બોલ્યો કે—“આ કઠિયારાને ઘન્ય છે જેણે સર્વસ્વ છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું, જેથી હવે મહેનત વગર તેને અન્નાદિક મળશે. વળી રાજા વગેરેની વેઠથી પણ એ નિશ્ચિંત થઈ ગયો. અહો! મુનિવેષનો મહિમા કેવો છે!'' આવા તેના વ્યંગ ભરેલા વચનો સાંભળી ગુરુ બોલ્યા–અહો! અદ્યાપિ તને અનર્થદંડ મારે છે. ચિત્રગુપ્ત બોલ્યો–અનર્થદંડ એટલે શું? જ્ઞાની ગુરુએ કહ્યું કે—અજ્ઞાન, ક્રોધ અને દંભથી અનર્થદંડ થાય છે અને તેનું ફળ ભવોભવ કુયોનિમાં પડવારૂપ પ્રાપ્ત થાય છે. એ અનર્થદંડની વિડંબના સાંભળ. અનર્થદંડ ઉપર કથા—પૂર્વે ભદ્દિલપુરમાં જિનદત્ત શ્રેષ્ઠીને સેન નામે પુત્ર હતો. તે બાલવયમાં વૈરાગ્યવાન થયો. પિતાએ તેને વૈરાગ્યવૃત્તિ છોડાવવાને જારપુરુષોની ગોષ્ઠીમાં મૂક્યો. ત્યાં તેને રાજપુત્ર સાથે મૈત્રી થઈ. નીચ લોકોના સંગથી તે પાપ કરવામાં પરાયણ થયો. એક વખતે તેણે રાજપુત્રને કહ્યું કે—“હે મિત્ર! તારા વૃદ્ધ પિતાને મારીને સત્વર રાજ્ય કેમ લેતો નથી?’’ આ વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે રાજાને વાત કરી. રાજાએ તે વણિકપુત્રને કુમારને કુબુદ્ધિ આપનારો જાણી ‘વઘ કરવા યોગ્ય છે' એમ સુભટોને જણાવ્યું. સુભટોએ તેને બાંધીને મારી નાખ્યો. તે મૃત્યુ પામીને નારકી થયો. ત્યાંથી નીકળી અસંખ્ય કાલ સુધી ભમીને તું ચિત્રગુપ્ત નામે પુરોહિતપુત્ર થયો છે. ૫ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણ થતાં ચિત્રગુપ્ત પ્રતિબોધ પામ્યો અને તેણે પેલા મુનિરૂપ કઠિયારાને નમન કર્યું. ત્યારે ગુરુ બોલ્યા—હે ચિત્રગુપ્ત! બીજી એક વાર્તા સાંભળ : દ્રમકમુનિનો પ્રબંધ–એક વખતે શ્રી વીરપ્રભુ પાસે કોઈ ભિખારીએ દીક્ષા લીઘી. તેણે શ્રી વીરપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે–‘હે સ્વામી! જ્ઞાનરૂપી સૂર્યના ઉદય વિના હું ચારિત્રમાર્ગને કેવી રીતે જોઈ શકીશ?’ પ્રભુએ તેને સંક્ષેપમાં ચૌદપૂર્વનું રહસ્ય કહ્યું કે−‘તું સર્વત્ર મનને વશ કર.’ તેણે તે વાત સ્વીકારી અને માસક્ષમણ જેવી ઉગ્ર તપસ્યા કરવા લાગ્યો. પારણના દિવસે કોઈ વખત તેને આહાર મળે નહીં અને લોકો તરફથી અપમાન થાય તો પણ તે ભગવંતનું વચન સંભારીને શુભ ધ્યાન ઘરવા લાગ્યો. એક વખતે રાજગૃહીના બજારમાંથી પસાર થતાં કોઈ અજ્ઞ લોકો તેની મશ્કરી કરતાં બોલ્યાં કે, ‘અહો! આ પુરુષે કેટલું બધું ધનાદિક છોડીને સંયમ લીધું છે કે જેથી તે પાખંડ કરીને લોકોને ફોગટ દબાવે છે!' આ વાક્ય અભયકુમારે સાંભળ્યું. એટલે તરત તેમણે લોકોને એકઠા કરીને કહ્યું કે—જે કોઈ ચક્ષુઇંદ્રિયનો વિષય છોડી દે તેને હું આ બહુમૂલ્યવાળું રત્ન આપું છું.’ તે વખતે કોઈ બાલ્યું નહીં. પુનઃ અભયકુમારે કહ્યું કે—‘જે કોઈ સ્પર્શઇંદ્રિયનો વિષય છોડે તેને આ બીજું રત્ન આપું છું.’ વળી કહ્યું કે—‘જે પાંચે ઇંદ્રિયોના વિષયને છોડીને તેને વશ કરે તેને હું આ પાંચ રત્નો આપું છું.' પણ કોઈએ તેનો પ્રત્યુત્તર આપ્યો નહીં. એવામાં તે મુનિ સન્મુખ આવતા હતા તેમને નમન કરીને અભયકુમારે કહ્યું કે–‘હે સ્વામી! તમે પાંચે ઇંદ્રિયોને જીતનારા છો, માટે આ પાંચે રત્ન તમે જ ગ્રહણ કરો.' મુનિ બોલ્યા—‘એ અર્થ (દ્રવ્ય) અનર્થને જ આપનાર છે, તેથી મેં શ્રી વીરપ્રભુની સમક્ષ યાવજ્જીવ સુધી તેનું પ્રત્યાખ્યાન કર્યું છે.' પછી અભયકુમારે લોકોને કહ્યું કે—‘અરે લોકો! આ મુનિનું નિઃસ્પૃહપણું જુઓ! તમે શું જોઈને તેમનું હાસ્ય કર્યું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy