SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [તંભ ૧૦ રાજસભામાં કહ્યું કે–“આ સર્વ સમૃદ્ધિ કે જે મારા પિતાને શરણદાયક થઈ નહીં તે મને શરણભૂત કેમ થશે?” તે સાંભળી તેના ગુરુ બોલ્યા કે–“હે કુમાર! તમારા પિતાના શ્રેયને માટે સુવર્ણના પૂતળાના, ગાયોના, ભૂમિના, તેમજ શય્યા, ઉપાનહ, તિલ અને કન્યા વગેરેના દાન બ્રાહ્મણોને આપો; કારણ કે પુત્રે આપેલા દાનનું ફળ પિતાને પ્રાપ્ત થાય છે, એમ કૃતિમાં કહ્યું છે અને તે માટે જ લોકો પુત્રની ઇચ્છા કરે છે.” પછી રાજાએ સર્વ દર્શનવાળાઓને બોલાવી બોલાવીને તે દાન આપવા માંડ્યાં. જ્યારે જૈનમુનિઓને દાન માટે બોલાવ્યા ત્યારે તેઓ બોલ્યા કે-“હે રાજન! જીવઘાત કરનારા દાન મુનિઓને યોગ્ય નથી. તે વિષે વૃંદાવૃત્તિમાં કહ્યું છે કે – तथा हि येन जायंते, क्रोधलोभादयो भृशं । स्वर्णं रूप्यं न तद् देयं, चारित्रिभ्यश्चरित्रहृत् ॥१॥ જેનાથી ક્રોઘ, લોભ વગેરે વિશેષે ઉત્પન્ન થાય તેવું સુવર્ણ અને રૂપું ચારિત્રઘારીઓને આપવું નહીં, કારણ કે તે ચારિત્રને હરનારું છે.” વળી કહ્યું છે કે विभवो वीतसंगानां, वैदग्ध्यं कुलयोषितां ।। दाक्षिण्यं वणिजां प्रेम, वेश्यानाममृतं विषं ॥१॥ નિઃસંગ પુરુષોને વૈભવ વિષ સમાન છે, કુલીન સ્ત્રીઓને અતિ ચાતુર્ય વિષ સમાન છે, વ્યાપારીને દાક્ષિણ્યતા વિષ સમાન છે અને વેશ્યાઓને પ્રેમ વિષ સમાન છે. આ ચારે અમૃત સમાન છતાં તે તે અધિકારીપરત્વે વિષ જેવાં છે.” વળી હે રાજા! જે અપવિત્ર વસ્તુ ખાય છે અને શીંગડાં ખરીઓથી જંતુઓને મારે છે તેવા પશુ વગેરેનું દાન શ્રેયને માટે કેમ થાય? માટે જો દાન જ આપવું હોય તો એક અભયદાન આપવું તે જ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે कपिलानां सहस्रं तु, यो द्विजेभ्यः प्रयच्छति । एकस्य जीवितं दद्यात्, कलां नार्हति षोडशीं ॥१॥ જે બ્રાહ્મણોને એક હજાર કપિલા-ગાયો આપે અને એકને જીવિતદાન (અભયદાન) આપે તો તે ગોદાન જીવિતદાનની સોળમી કળાને પણ યોગ્ય થતું નથી.” વળી હે રાજા! એકે કરેલું જે ઘર્મ કે કર્મ, તેનું ફળ બીજાને મળતું જ નથી. જે કરે તેને જ મળે છે. કહ્યું છે કે एकस्मिन् भुक्तवत्यन्यः, साक्षादपि न तृप्यते । मृतस्य कल्पते यत्तु, तद्भस्मनि हुतोपमं ॥१॥ એક માણસ જમે અને બીજો કૃતિ પામે એવું સાક્ષાત્ પણ બનતું નથી તો જે મરેલાને માટે કહ્યું છે તે તો ભસ્મમાં (ઘી) હોમ્યા બરાબર જ છે.” કરેલું કર્મ તેના કર્તાને જ અનુસરે છે. જો એમ ન હોય તો કૃતનાશ (કરેલાનો નાશ) અને અકૃતાગમ (નહીં કરેલાનો આગમ) એ દોષ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે સાંભળી રાજા બોલ્યો-“મહારાજ! ત્યારે તમને શું શું આપીએ?” પછી મુનિઓએ એષણીય પ્રાસુક આહાર વગેરેનું સ્વરૂપ કહી બતાવ્યું. તે સાંભળી જૈનમુનિના ઘર્મમાં નિર્દોષપણું જાણી રાજા પુરુષદને પોતાના કનિષ્ઠબંદુને રાજ્ય ઉપર બેસાડીને સો રાજપુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અવધિજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જ્ઞાતિજનોને પ્રતિબોઘવા માટે ત્યાં આવ્યા. રાજા પુરુષસિંહની સાથે તેના પુરોહિતનો પુત્ર ચિત્રગુપ્ત તેમને વાંદવા માટે આવ્યો. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy