SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ (રdભ ૯) વ્યાખ્યાન ૧૨૧ સાતમા વ્રતની અંતર્ગત અનંતકાયનું સ્વરૂપ प्रसिद्धा आर्यदेशेषु, कंदा अनंतकायिकाः । द्वात्रिंशत् संख्यया ज्ञेया, त्याज्यास्ते सप्तमे व्रते ॥१॥ ભાવાર્થ-“આ આર્યદેશમાં કંદ વગેરે બત્રીશ પ્રકારના અનંતકાય પ્રસિદ્ધ છે, તે સાતમા વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય છે.” કંદ વગેરે અનંતકાય બત્રીશ પ્રકારના છે, તે આ પ્રમાણે–૧ સૂરણ કંદ, ૨ વજકંદ, ૩ લીલી હળદર, ૪ લીલું આદુ, ૫ લીલો કચૂરો, ૬ શતાવરી, ૭ વિલાલી (વરિયાળી કંદ), ૮ કુંઆર, ૯ થોર, ૧૦ ગલો, ૧૧ લસણ, ૧૨ વંશકારેલા, ૧૩ ગાજર, ૧૪ લૂણીની ભાજી, ૧૫ લોઢીની ભાજી, ૧૬ ગિરિકર્ણિકા, ૧૭ પત્રના કુંપલીઆ, ૧૮ ખરસુઓ, ૧૯ થેગી, ૨૦ લીલી મોથ, ૨૧ લોણરૂખ વલ્લી, ૨૨ ખિલ્લહુડા, ૨૩ અમૃતવેલ, ૨૪ મૂળા (કાંદા), ૨૫ ભૂમિમાંથી નીકળતા બિલાડીના ટોપ, ૨૬ વિદળના અંકુરા, ૨૭ ઢક્ક વષ્ણુલો, ૨૮ સુઅરવલ્લ, ૨૯ પલંક, ૩૦ કોમળ (કાચી) આંબલી, ૩૧ આલુ કંદ, ૩૨ પિંડાલુ-આ બઘા નામે કરી અનંતકાયિક છે. હવે તેઓના ભેદ પ્રસિદ્ધ નામથી કહે છે. (૧) સૂરણ કંદ પ્રસિદ્ધ છે. (૨) વજકંદ પ્રસિદ્ધ છે. (૩) આર્ટ (લીલી) હળદર, (૪) આદ્રકંદ શુગર તે લોકમાં “આદુ’ એવા નામથી પ્રસિદ્ધ છે, આÁકચૂરક, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) વિલરિકા, એક જાતની પ્રસિદ્ધ વેલ છે, (૮) કુમારી એટલે કુવારપાઠો, (૯) થોર, (૧૦) ગડુચી એટલે ગળો, (૧૧) લશુન કે લસણ, (૧૨) વંશકારેલા, (૧૩) ગાજર, (૧૪) લવણ, એક જાતની વનસ્પતિ છે જેને બાળવાથી સકિા (સાજીખાર) ઉત્પન્ન થાય છે. (૧૫) લોઢક એટલે કમલિનીનો કંદ, (૧૬) ગિરિકર્ણિકા એક જાતની વેલ. (૧૭) કંપલીઆ-(કોમળ પાંદડાં)–તે પ્રૌઢ પત્ર થયા પહેલાં બીજ ઊગવાને સમયે જે અંકુરા થાય છે તે બધા લેવા. અહીં શિષ્ય શંકા કરે છે કે “શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વ કિસલય-કુંપલીઆ ઊગતી વખતે અનંતકાય છે.” તે વાક્ય તો તમે સત્ય કર્યું, પણ અન્યત્ર શાસ્ત્રમાં જ કહેવું છે કે, નવિય મૂકે નીવો, સોવિય પત્ત પઢમયા તિ” એટલે જે મૂળનો જીવ છે તે પણ પ્રથમ ઊગતાં પત્રમાં આવે છે. એ વાક્યનું સમાધાન શું? એક ઠેકાણે સાંઘો છો તો બીજે ઠેકાણે તૂટે છે.” ગુરુ કહે છે-“તેનો ઉત્તર સાંભળ, ઉતાવળો ન થા. જે બીજ છે તેનો જીવ વર્ષાકાળ તથા પૃથ્વી વગેરે સામગ્રી પામીને ઊગવાની અવસ્થામાં તેનો તે રહે છે અથવા બીજો પણ હોય છે. બીજ, મૂળ ને પ્રથમ પત્રમાં એકજીવપણું કહેલું છે, તે અમે પણ જાણીએ છીએ. પણ કહ્યું છે કે, “બીજમાં મૂળપણે થઈને તે બીજનો જીવ અથવા બીજો જીવ તે પછી થનારી ઊગવાની અવસ્થાને ઉત્પન્ન કરે છે.” ઉભવ વખતે કિસલય–કંપલીઆની અવસ્થામાં જરૂર અનંતા જીવો ઉત્પન્ન થાય છે, તેથી તે મૂળનો જીવ પોતાની સ્થિતિના ક્ષયથી વિનાશ પામી તે જ જીવ અનંતકાયપણાને પ્રાપ્ત કરી જ્યાં સુધી પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વધે છે એટલે તેમાં વિરોઘ આવતો નથી; કેમકે ભાગ ૨-૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy