SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૯ એક વખતે વંકચૂલ ઉજ્જયિની નગરીમાં ઘોના પુછે વળગીને રાજાના ભંડારગૃહમાં પેઠો. ત્યાં તે રાજાની મુખ્ય પટરાણીના જોવામાં આવ્યો, એટલે તેણે કોપ કરીને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું કે, “હું ચોર છું.” રાણીએ કહ્યું કે, “ભય પામીશ નહીં, પણ મારી સાથે સંગમ કર.” વંકચૂલે કહ્યું કે, “તું કોણ છે?” તે બોલી કે, “હું રાજાની રાણી છું.” ચોરે કહ્યું કે, “જો તું રાજપત્ની હો તો મારી માતા છો, માટે હું પાછો જાઉં છું.” તે સાંભળી રાણીએ નખ વડે પોતાના શરીરે વિદારણ કરીને પોકાર કર્યો, એટલે તત્કાળ રક્ષકપુરુષોએ આવીને વંકચૂલને બાંધી લીધો. આ બધી હકીકત ગુપ્ત ઊભેલા રાજાએ સાંભળી હતી; તેથી રાજાએ ચિંતવ્યું કે, “અહો! સ્ત્રીચરિત્ર કેવું દુર્લક્ષ છે પ્રાતઃકાળે રક્ષકો તેને રાજાની પાસે સભામાં લઈ ગયા. રાજાએ તેના બંઘન છોડાવ્યા એટલે તે નમસ્કાર કરીને આગળ બેઠો. રાજાએ પૂછ્યું કે, “તું મારા મંદિરમાં કેમ પેઠો હતો?” વંકચૂલ બોલ્યો કે, “દેવ! હું ચોરી કરવો પેઠો હતો, ત્યાં મને દેવીએ દીઠો, એટલે સિપાઈઓ પાસે પકડાવ્યો.” વંકચૂલે પેલી નીચ વાર્તા કહી નહીં, તેથી રાજા ઘણો ખુશી થયો અને તેને પુત્ર કરીને રાખ્યો. રાજાએ પટરાણીને મારવા માંડી, ત્યારે વંકચૂલે તેને બચાવી. આવી રીતે પ્રત્યક્ષ નિયમોનું ફળ દેખી વંકચૂલ મનમાં વારંવાર વિચારવા લાગ્યો કે, “અહો! નિયમોનું ફળ કેવું ઉત્તમ છે! એક વખતે રાજાએ તેને કોઈની સાથે યુદ્ધ કરવા મોકલ્યો. ત્યાં તે શત્રુસૈનિકોના ગાઢ પ્રહારોથી ઘાયલ થયો. રાજસેવકો તેને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેના ઔષધ માટે ઘણા વૈદ્યોને એકઠા કર્યા. વૈદ્યોએ કાગડાના માંસનું ઔષધ બતાવ્યું, પણ વંકચૂલે તેનો નિયમ કરેલ હોવાથી તે ઔષઘની ઇચ્છા કરી નહીં. પછી રાજાએ તેને સમજાવવા માટે તેના મિત્ર જિનદાસને નજીકના ગામમાંથી બોલાવ્યો. જિનદાસ ઉજ્જયિનીએ આવતો હતો, ત્યાં માર્ગમાં બે દેવીઓને રુદન કરતી તેણે દીઠી. શ્રેષ્ઠીએ પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુઓ છો?” તે બોલી કે, “ભદ્ર! અમે બન્ને ભર્તાર વગરની સૌઘર્મ દેવલોકનિવાસી દેવીઓ છીએ. કાકપક્ષીનું માંસ ન ખાય તો વંકચૂલ અમારો પતિ થાય તેમ છે; પણ તમારા વચનથી જો તે નિયમનો ભંગ કરશે તો તે દુર્ગતિને પામશે અને અમે ભર્તાર વિનાની રહીશું, એથી અમે રુદન કરીએ છીએ.” તે સાંભળી જિનદાસ બોલ્યો કે–દેવી! રુદન કરો નહીં, હું તેને વિશેષ વૃઢ કરીશ.” પછી જિનદાસ ઉર્જયિની આવ્યો અને રાજાની પ્રેરણા છતાં વંકચૂલને તેણે રસ્તામાં મળેલ દેવીઓની વાર્તા જણાવતાં કહ્યું કે, “મૃત્યુ આવે તે સારું, દારિત્ર્યનો સંગમ થાય તે સારું, પણ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો તે સારું નહીં.” ઇત્યાદિ રીતે તેને ઘર્મમાં દ્રઢ કર્યો. છેવટે મૃત્યુ પામીને તે બારમા અશ્રુતકલ્પમાં દેવતા થયો. જ્યારે જિનદાસ ત્યાંથી પાછો વળ્યો ત્યારે પાછી પેલી બન્ને દેવીઓને માર્ગમાં રુદન કરતી તેણે દીઠી. રડવાનું કારણ પૂછતાં તેઓ બોલી કે, “ભદ્ર! તે નિયમની અઘિક આરાધના કરવાથી અશ્રુત દેવલોકમાં દેવતા થયો, એટલે અમે તો ભર્તાર વિનાની જ રહી. તે સાંભળી જિનદાસ પોતાને ઘરે ગયો. ત્યારથી આ ઢીંપુરી તીર્થને નિર્માણ કરનાર વંકચૂલ અધિક પ્રખ્યાત થયો. જેમ શ્રી વંકચૂલ ચોર હોવા છતાં અંગીકાર કરેલા નિયમોને દ્રઢપણે પાળવાથી અશ્રુતકલ્પને પામ્યો, તેમ અન્ય ભવ્ય પ્રાણીઓ પણ સર્વ અભક્ષ્યનો ત્યાગ કરવાથી અત્યંત સુખની પુષ્ટિને પામે છે.” | અષ્ટમ રજબ સમાપ્ત ! છ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy