SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૮ ભાવાર્થ-‘જેમાં દશ દિશાઓમાં જવાને કાંઈક મર્યાદા કરાય છે તે દિગ્વિરતિ નામે પહેલું ગુણવ્રત કહેવાય છે.’’ ૧૪૬ એટલે જે વ્રતમાં પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઇશાન, અધો અને ઊર્ધ્વ–એ દશ દિશાઓમાં ગમન કરવાને કોઈ પણ મર્યાદા કરાય છે તે પ્રથમ ગુણવ્રત છે; અને તે ઉત્તરગુણરૂપ વ્રત કહેવાય છે. ગુણવ્રતનો અર્થ એવો છે કે ‘બીજા વ્રતોને જે ગુણ ઉપજાવી ઉપકાર ક૨ે તે ગુણવ્રત કહેવાય.' તેમાં પહેલું ગુણવ્રત દિગ્વિરતિ નામે છે. આ વ્રત લેવાથી પાપસ્થાનોની પણ વિરતિ થાય છે. તે વિષે કહે છે—‘ગમનાગમનની મર્યાદા વડે સ્થાવર જંગમ જીવોના મર્દનની નિવૃત્તિ થતી હોવાથી તપાવેલા લોઢાના ગોળા જેવા ગૃહસ્થે આ વ્રત ગ્રહણ કરવામાં આદર કરવો.' એટલે ત્રસ સ્થાવર પ્રાણીઓની ગમનાગમન કરવાથી હિંસા થાય છે, તે હિંસાનો ગમનાગમન બંધ થયેલ સ્થાનમાં રોધ થવાથી ગૃહસ્થને આ વ્રત આદરવા યોગ્ય છે. હિંસાનો નિષેધ થતાં અસત્યાદિક બીજા પાપોનો પણ નિષેધ થઈ જાય છે. અહીં કોઈ શંકા કરે કે, ‘ત્યારે આ વ્રત સાધુએ પણ ગ્રહણ કરવું જોઈએ.' તો તેના ખુલાસા માટે ગૃહસ્થને લોઢાના તપાવેલા ગોળાનું વિશેષણ આપે છે કે—ગૃહસ્થ આરંભ પરિગ્રહમાં નિરંતર તત્પર હોવાથી તે જ્યાં જાય, ખાય, સૂએ અથવા કાંઈ વ્યાપાર કરે, તેમાં તપેલા લોઢાના ગોળાની જેમ અનેક જીવોનું મર્દન કરે છે અને સાધુ તેમ કરતા નથી; કારણ કે તે તો પંચસમિતિ ને ત્રિગુપ્તિમાન હોય છે, તેથી તેમને એ દોષ લાગતો નથી. આ વ્રતનો સ્વીકાર કરનારા ગૃહસ્થને ત્રસ તથા સ્થાવર જીવોને અભયદાન તથા લોભસમુદ્રની નિયંત્રણા ઇત્યાદિ મહાન લાભ થાય છે. ગૃહસ્થ લોઢાના ગોળા જેવો છે. તે વિષે સર્વજ્ઞ ભગવંતે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે—‘અગ્નિના તણખાઓથી પ્રકાશમાન લોઢાના ગોળા જેવો ગૃહસ્થ નિરંતર હોય છે; અને અવિરતિરૂપ પાપ તેને પોતાને તેમજ સમસ્ત જીવોને પણ બાળે છે.’’ વળી કહ્યું છે કે, “જીવ સર્વ સ્થાને પોતાના દેહ વડે જો કે ગમનાગમન કરતો નથી તો પણ તે અવિરતિ હોવાથી તેને અવિરતપણાથી બંધાતું પાપ નિરંતર લાગ્યા કરે છે.’’ વળી પૂર્વભવમાં તજી દીધેલા દેહ વડે જો કોઈ પણ જીવોનો વધ થાય છે તો તેનું પાપ પણ અવિરતિ વડે જ્યાં નવો દેહ થર્યો હોય ત્યાં તે જીવને લાગે છે. પણ જો પૂર્વનો દેહ વિનાશ પામી જાય તો અથવા વ્રત લીધું હોય તો તેથી તેવા પાપનો બંધ થતો નથી; માટે વિરતિ કરવામાં જ કલ્યાણ છે, એવું વૃદ્ધ પુરુષોનું વાક્ય છે. હવે પહેલા ગુણવ્રતનું ફળ કહે છે—જે પ્રાણી દિગ્વિરતિ વ્રત લઈને ગમનાગમનમાં સંકોચ કરે છે, તે પ્રાણી સિંહની જેમ સંસારનું ઉલ્લંઘન કરવા માટે ફાળ મારવાનો આરંભ કરે છે.’’ આ વિષે સિંહશ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે— સિંહ શ્રેષ્ઠીની કથા વસંતપુર નામના નગરમાં કીર્ત્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામે એક પુત્ર હતો અને જેના હૃદયમાં જૈનધર્મની વાસના હતી એવો સિંહ નામે એક શ્રેષ્ઠી મિત્ર હતો. તે પોતાના કુમા૨થી પણ રાજાને વિશેષ પ્રિય હતો. એક વખત કોઈ એક પુરુષે રાજસભામાં આવીને કહ્યું કે, ‘હે દેવ! For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy