SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૭ સિંઘુલ નામે પુત્ર થયો. અનુક્રમે સિંહભટરાજા ગુજરી જવાથી મુંજ રાજ્ય ઉપર આવ્યો. તેણે પોતાના ભાઈ સિંઘુલને ઉગ્ર પરાક્રમવાળો જાણીને કારાગૃહમાં નાખ્યો. સિંઘુલને શ્રી ભોજ નામે પુત્ર થયો. તેના જન્મ વખતે મુંજે કોઈ નિમિત્તિયાની પાસે તેનું ભાગ્યબળ જોવરાવ્યું. નિમિત્તિયાએ લગ્નબળ જોઈને કહ્યું કે, “આ ભોજકુમાર પચાસ વર્ષ, સાત માસ અને ત્રણ દિવસ સુધી ગૌડદેશ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભોગવશે.” આ પ્રમાણે સાંભળી મુંજરાજાના મનમાં આવ્યું કે, “આ ભોજકુમાર જીવતો હશે તો મારા પુત્રને રાજ્ય મળશે નહીં, તેથી ભોજકુમારને મારી નાખવા માટે ચંડાળોને સોંપી દઉં.” આવું વિચારી તેને ચંડાળને સોંપ્યો. ચંડાળો જ્યારે તેને વઘસ્થાને લઈ ગયા, ત્યારે તેઓએ કહ્યું કે, “તું તારા ઇષ્ટદેવનું સ્મરણ કર.” બાળક ભોજે બુદ્ધિથી વિચારી પોતાના કાકા યોગ્ય સંદેશારૂપ એક પત્ર ઉપર આ પ્રમાણે કાવ્ય લખી આપ્યું मांधाता च महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतुर्येन महोदधौ विरचितः क्वासौ दशास्यांतकृत् । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दीवं भूपते! नेकैनापि समं गता वसुमती नूनं त्वया यास्यति ॥१॥ ભાવાર્થ-“કૃતયુગના અલંકારરૂપ માંઘાતા રાજા પણ ચાલ્યો ગયો, જેણે સમુદ્ર ઉપર પાજ (પુલ) બાંધી હતી અને રાવણને માર્યો હતો એવા રામચંદ્ર પણ ચાલ્યા ગયા, તે સિવાય બીજા યુધિષ્ઠિર વગેરે રાજાઓ પણ ગયા, પરંતુ તે કોઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ લાગે છે કે હે રાજ! તમારી સાથે તો જરૂર આ પૃથ્વી આવશે.” ચંડાળોને દયા આવવાથી રાજા ભોજને બચાવ્યો અને પેલું પત્ર લઈ જઈ તેમણે રાજાને આપ્યું. તે વાંચી મુંજરાજા તત્કાળ ક્રોઘરહિત થઈ ગયો, અને સત્વર ભોજકુમારને બોલાવી યુવરાજપદ આપ્યું. એકદા મુંજરાજા ભોજકુમારને રાજ્ય સોંપી તૈલંગ દેશના રાજાની સાથે યુદ્ધ કરવા ગયો. તૈલંગ ભૂપે તેને જીતી લઈ કારાગૃહમાં નાખ્યો. રાજકેદી હોવાથી તેના માટે રાજાના રસોડેથી ખાવાનું મોકલવામાં આવતું. કોઈ પ્રસંગે મૃણાલવતી નામની તે રાજાની વિઘવા બહેન ત્યાં જતી. તેની સાથે વાર્તાવિનોદ કરતાં મુંજને સંબંધ જોડાયો. ભોજકુમારે મુંજરાજાને છોડાવવા માટે કારાગૃહ સુધી એક સુરંગ ખોદાવી અને તે દ્વારા મુંજને આવવાનો સંકેત આપ્યો. એક વખતે મુંજરાજા દર્પણમાં પોતાનું મુખ જોતો હતો, તેવામાં મૃણાલવતી પછવાડેથી ગુપ્ત રીતે આવી પોતાનું મુખ પણ જોવા લાગી, તે વખતે પોતાના મુખ ઉપર જરાવસ્થાનો આભાસ થતો જોઈ તેને ખેદ થયો. ત્યારે તેને મુંજે કહ્યું કે, “હે મૃણાલવતી! યૌવન ચાલ્યું ગયું તેનો તું ખેદ કર નહીં; કારણ કે સાકરને ખાંડીએ તો પણ તેની મીઠાશ જતી નથી.” આ પ્રમાણે તેને શાંત કરી, મુંજ પોતાના સ્થાન પ્રત્યે જવા તૈયાર થયો; પરંતુ મૃણાલવતીમાં લુબ્ધ હોવાથી તેને કહ્યું કે, “પ્રિયા! અહીંથી એક સુરંગ કરાવી છે, તે વડે હું મારા સ્થાનમાં જાઉં છું, માટે જો તમે સાથે આવશો તો હું તમને ત્યાં લઈ જઈને પટ્ટરાણી કરીશ.” મૃણાલવતી બોલી કે, “કાંત! થોડીવાર રાહ જુઓ, હું વિચાર કરી લઉં.” પછી તેણે વિચાર કર્યો કે, “જો આ ત્યાં જશે તો ત્યાં બીજી રૂપાળી રાણીઓ હશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy