SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૫] કામીની દયનીય દશા ૧૩૩ વળી યોગશાસ્ત્રમાં પણ કહેવું છે કે, “યોનિતંત્રમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તે મૈથુન વડે પીડિત થઈને મૃત્યુ પામે છે તેથી મૈથુનનો ત્યાગ કરવો.” કામશાસ્ત્રના કર્તા વાત્સ્યાયન પણ યોનિમાં જંતુની ઉત્પત્તિ જણાવે છે. તે કહે છે કે, “યોનિરક્તમાં કોમળ મધ્યભાગે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે.” એ પ્રમાણે સ્ત્રીના સંગથી અસંખ્ય જીવોનો ઘાત થાય છે, માટે હે મૂઢ! તું એ વિષયમાં શું સાર જુએ છે! લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमानं । वस्त्रं तु शीर्णपटखंडमयी च कंथा हा हा! तथाऽपि जंतुः विषयाभिलाषी ॥१॥ ભાવાર્થ-“ભિક્ષાથી ભોજન મળે તે પણ એક જ વાર અને નીરસ મળે, ભૂમિ ઉપર સૂવાનું હોય, પોતાનું શરીર જ માત્ર પરિજન હોય, વસ્ત્રમાં માત્ર જીર્ણ અને ફાટેલી કંથા હોય, તથાપિ ખેદની વાત છે કે, તેવા પ્રાણીઓને પણ વિષયની અભિલાષા થયા કરે છે.” એ કામભોગમાં માત્ર સંકલ્પ જ સારભૂત છે, પરમાર્થે જતાં તેમાં બીજો કાંઈ પણ સાર જોવામાં આવતો નથી. જે પ્રાણી ભાવથી સ્ત્રીસંગનો ત્યાગ કરે છે તે જ બ્રહ્મચારી કહેવાય છે. તે વિષે કહ્યું છે કે रामासंगं परित्यज्य, व्रतं ब्रह्म समाचरेत् । ब्रह्मचारी स विज्ञेयो, न पुनर्बद्धघोटकः॥१॥ ભાવાર્થ-“સ્ત્રીનો સંગ ભાવથી છોડીને જે બ્રહ્મચર્ય પાળે તે જ બ્રહ્મચારી કહેવાય, કાંઈ બાંઘેલા અશ્વની જેમ બ્રહ્મચર્ય પાળે તે બ્રહ્મચારી કહેવાય નહીં.” અર્થાત્ સ્ત્રીમાં આસક્તિ છોડીને જે ભાવથી શીલ પાળે તેને જ ખરેખર બ્રહ્મવ્રતધારી જાણવો. સ્ત્રીઓને લૌકિકશાસ્ત્રમાં તેમજ લોકોત્તરશાસ્ત્ર (જૈન શાસન) માં દોષની ખાણરૂપ કહેલી છે; એટલું જ નહીં પણ તે પ્રત્યક્ષ રાક્ષસી છે, સ્વજન-સ્નેહની વિઘાત કરાવનારી છે અને ઘણી માયાવી છે. તે વિષે કહ્યું છે કે, न सा कला न तत् ज्ञानं, न सा बुद्धिर्न तद् बलं । ज्ञायते यद्वशाल्लोके, चरित्रं चलचक्षुषां ॥१॥ ભાવાર્થ-“તેવી કોઈ કળા, તેવું કોઈ જ્ઞાન, તેવી કોઈ બુદ્ધિ અને તેવું કોઈ બળ નથી કે જેથી ચપળ નેત્રવાળી સ્ત્રીઓનું ચરિત્ર જાણી શકાય.” સ્ત્રીના સંગથી મુંજરાજાને મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું. તેની કથા આ પ્રમાણે મુંજરાજાની સંક્ષેપ કથા માલવદેશમાં પરમારવંશી શ્રી સિંહભટ નામે એક રાજા હતો. તે એક વખતે વનની શોભા જોવા શરકટના વનમાં ગયો હતો. ત્યાં એક તરતનો જન્મેલ બાળક મુંજના ઘાસમાં પડેલો તેના જોવામાં આવ્યો, તેથી તેને લઈ તેનું મુંજ નામ પાડી પુત્ર કરીને રાખ્યો. ત્યાર પછી તે રાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy