SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરભાવના, ૪૦૫ (૧) “મેધિકી ” (નિષદ્યા) સ્થિર આસન કરી શાન કાયેત્સર્ગાદિ કરતા હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ ન કરે, ભયથી ડરે નહિ, ગભરાઈ જાય નહિ અને અડાલપણું તજે નહિ. (૧૧) “શય્યા” સૂવાની જગ્યા ઉંચી-નીચી હાય, હવા વગરની હાય, સુકોમળ ન હોય તે તેથી ઉગ ન પામે, સૂવાની સર્વ અગવડે ખમે. (૧૨) “ આક્રોશ ? કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવાં વચન કહે એ સર્વ પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. શાંતિ ધારણ કરે. (૧૩) “ વધ ” કઈ લાકડી વિગેરે મારે, ચાબખા મારે અને ચાવત્ વધ કરવા સુધી જાય પણ એના પેટમાંથી પાણું હલે નહિ. શરીરના દુઃખને એ ગણે નહિ. ( ૧૪ ) “ યાચના ' (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે વસતિ માગતાં મનમાં ખેદ પામે નહિ, પોતે કેમ ભિખ માગે એ ખ્યાલ પણ ન કરે. એનામાં દીનતા કે અભિમાન બને ન હોય. (૧૫ ) “ અલાભ ? જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં આપે નહિ તે તેથી મુંઝાય નહિ. ઉદ્વેગ કે વિષાદ ન કરે. અલાભને એ સાચો તપ ગણે. ( ૧૬ ) “ ગ” વ્યાધિ થઈ આવે તે જરાપણ વ્યાકુળ ન થાય, કર્મને દેષ વિચારી તેની પીડા શાંતિથી ખમે, હાયવોય કદી કરે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy