SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ર ત્યાર પછી હું ઉત્સાહમાં આવ્યો અને તેઓના જ ઉપદેશથી તે જ ક્ષેત્રમાં રહેલું કાર્મણ વર્ગણુનું બનેલું કર્મપરિચોરી-સજા. ણમ રાજા સંબંધી અકુશળ (પાપ) નામનું દ્રવ્ય વધસ્થાનકે. હતું તે મેં પુષ્કળ ગ્રહણ કર્યું-ઉપા, તેઓએ તે મારી પાસે ગ્રહણ કરાવ્યું-ઉપડાવ્યું અને પાછો તેઓએ જ મને કર્મપરિણામ રાજા પાસે ચોર તરીકે જાહેર કર્યો. કર્મપરિસુમ રાજા તુરત જ હુકમ કર્યો કે એને અનેક પ્રકારની વિડંબના આપતાં આપતાં પાપિપંજરમાં લઈ જાઓ અને ત્યાં એને સારી રીતે હેરાન કરે, ત્રાસ આપે અને અતિ માર મારી મારી નાંખો. રાજાને આવો હુકમ સાંભળીને તેના અધમ સેવકે ઘણું રાજી થયા. ત્યાર પછી તેઓએ કર્મ નામની ભસ્મ-રાખ મારા આખા શરીરે લગાડી, રાજસી સેનાગેરૂના થાપા મારી ચામડી પર લગાવવામાં (છાપવામાં) આવ્યા, તામસી ઘાસની મશન (કાળા) ચાંડલા મારા આખા શરીર પર કરવામાં આવ્યા, મારી ડોકમાં પ્રબળરાગલપરંપરા નામની કણેરના બેડકાની માળા પહેરાવવામાં આવી, વળી કવિકલ્પસંતતિ રૂપ એક રામપાતર (કાડીઆ)ની બીજી મેટી માળા મારા હૃદય સુધી ૧ અકશળદ્રયઃ આ ઘણું સુંદર રૂપક છે. અકળ દ્રવ્ય એટલે પાપકર્મ? કર્મની પૌલિક વર્ગનું હોય છે, ઘણી જ સૂક્ષ્મ હોય છે, આખા ક્ષેત્રમાં તે ભરેલી હોય છે. પ્રાણી દરેક સમયે કર્મ બાંધે ત્યારે આત્મા એ વગણ ગ્રહણ કરે છે અને તે વખતે તેનાં પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ નિણિત થાય છે. એ કર્મવર્ગણા કમરાજાની જ હોય છે અને તે જ પ્રાણીને સંસારમાં અનેક પ્રકારના અનુભવ કરાવે છે અને રખડાવે છે. એ કર્મરાનનું ધન છે અને એના પરિણામે પ્રાણી કર્મની જ સજા ભોગવે છે. આ અકુશળદ્રવ્યને પ્રાણી કર્મરાજાના માણસની પ્રેરણા-ઉપદેશથી જ ગ્રહણ કરે છે અને તે એકઠા કરવાનું કાર્ય તે જ તેની ચોરી છે. એ ચોરીને પરિણામે એ મુદ્દામાલ સાથે પકડાય છે અને એને સજા થાય છે તે કર્મને ઉદય સમજો. આમાં સૃષ્ટિક્રમ, વિકાસક્રમ અને સૃષ્ટિકતૃત્વ આદિ સર્વ બાબતેને નિકાલ થઈ જાય છે. ૨ કર્મ નામે ભસ્મ-રાખ આખા શરીરે ચોળી, રાજસી અને તામસી વૃત્તિ બનાવનાર હાથાઓ અને ચાંડલા મારા આખા શરીર પર કરવામાં આવ્યા ( એમાં સાત્વિક ભાવને અભાવ છે તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે), ડોકમાં ગુલાબ ચંબેલીની નહિ પણ કણેરના તુચ્છ ખોટા ફૂલની માળા પહેરાવી તે પ્રબળ રાગકોલ-રાગના-મોહના ઉછાળાને બતાવનારી હોય તેવી બનાવી દીધી હતી, અનેક કુવિકલ્પોને બતાવનાર શરાવળાની-કેડીઆ-રામપાતરની બીજી લાંબી માળા અર્થસૂચક રીતે બનાવી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy