SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ છ tr ૮ થશે, ત્યાર પછી તારે એ વાનરાના બચ્ચાંને છઠ્ઠી સ્રી( શુક્લ લેશ્યા )એ બનાવેલાં પગથીઆં ઉપર ચઢાવવું. જ્યારે એ તે “ પગથીઆપર ચઢશે ત્યારે એની દુઃખ ભાગવવાની સ્થિતિ અત્યંત “ નરમ પડી જશે, એને થતાં ઉપવા લય પામી જશે, એને કેરી “ ખાવાની ઇચ્છા તદ્દન નહિ જેવી થઇ જશે, ધૂળ અને કચરામાં “ આળેાટવાની એની ઇચ્છા તદ્દન તૂટી જશે અને મધના રસથી થ ચેલી ભીનાશ અને શરદી તદ્દન સાશાઇ જશે. એનું શરીર વધારે “ સૂકું પડી ગયેલું હેાવાથી એમાંની ઘણી ધૂળ અને કચરા મરી જશે, “ પ્રાંતે તદ્દન ધૂળ અને કચરાથી શરીર સાફ થઇ જશે, એને નિર્ “ તર આહ્લાદ થશે. અને તદ્દન નિર્મળ સ્ફટિક જેવી શુદ્ધતા તેની “ જણાઇ આવશે. ૯ પાછળની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીએ ચઢતાં ચઢતાં એને “ ધર્મધ્યાનરૂપ મંદ મંદ પવન લાગશે; એ પવન “ સુખકારી હાવાથી મંદ મંદ ચાલે છે, સંતાપને દૂર “ કરનારે હાવાથી શીતળ છે અને સાચા ગુણે “ રૂપ કમળવનનાં પુષ્પાના પરાગને ધારણ કરનારો “ હાવાથી સુગંધી છે. એ પવનને સંબંધ થવાથી એ બચ્ચાને સતત “ પ્રમાદ થતા જણાશે. હવે નીચે રહેલા ઉદર ખિલાડા ભુંડ ડુક્કર “ વીંછી કાકિડા ઢેઢગરાળી વિગેરેથી અતિ ઉદ્વેગ પામેલ હોય તેમ “ પ્રથમની ત્રણે સ્ત્રીઓએ રચેલા ઘણા અંધકારમય માર્ગને પણ “ છેડી દઇને પછવાડેની ત્રણે સ્ત્રીઓએ રચેલા નિર્ભય અને સર્વદા “ પ્રકાશીત રહેતાં પગથીઆને માર્ગે છૂપાઇ રહેલું એક વાનરાનું મોઢું ધર્મધ્યાન ૫ ૧ ન. ૧ આ દરેકે દરેક શબ્દ લક્ષ્યમાં લેવા જેવેા છે. શુદ્ધ લેશ્યા પ્રાપ્ત થતાં મન વિશાળ થતું જાય છે, તંદુરસ્ત થતું જાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું. જેનાં મનમાં વિશાળતા નથી તે કંઇ લેશ્યામાં છે તે આ ઉપરથી સમજી શકારો. ૨ આનું નામ કર્મનિર્જરા કહેવાય છે. ૩ ધર્મધ્યાન અને શુકલધ્યાનના સામાન્ય ફ્રુટ સ્વરૂપ માટે જીએ જૈ ૬. યોગ પૃ. ૧૪૪ થી આખર સુધી (પ્ર. આ.). ૪ પવન ત્રણ ગુણવાળા હાય તે તે સારા લાગે છેઃ મંદ, શીતળ અને સુગંધી, જોસવાળા ગરમ અથવા દુર્ગંધી પવન સારા લાગતા નથી. આ ધર્મધ્યાન પવન સુખ કરનાર હેાવાથી મંદ લાગે છે, સંતાપને દૂર કરનાર હેાવાથી શીતળ લાગે છે અને ગુણેાની સુવાસ આપે છે તેથી સુગંધી લાગે છે. ત્રણે વિશેષણા ખરાખર ચેાગ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy