SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] સંસારબજાર (ચાલુ). ૧૭૫૭ “સ્ત્રી(શુકલ લેશ્યા)એ વિશુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રંગના સંકેત અસંખ્ય પગથી બનાવ્યાં છે. પેલું વાંદરાનું બચ્ચું જ્યાં સુધી પ્રથમની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીઓ પર રહેતું કે ફરતું હોય છે ત્યાં “સુધી તે ઉછળી ઉછળીને ગેખો તરફ દોડે છે, ત્યાંથી આંબાઓનાં ઝાપર ફલેગ મારે છે અને જમીન પર પડી આખા શરીરે રજ લગાડે છે અને ધૂળમાં રગદોળાય છે; ત્યાં ચીકાશનાં બિંદુઓ વડે ભેદાય છે, “હેરાન થાય છે; ત્યાર પછી એના શરી૨૫૨ સેંકડે ઘારઓ પડે છે “એટલે પછી પેલા ઉંદર બીલાડાં ભુંડ વરૂ વિગેરેથી વધારે વધારે ત્રાસ “પામે છે; એને પરિણામે કઈ વખત એ તદ્દન નાશ પામી ગયેલ હોય “એવું લાગે છે, કઈ વખત મૂછ પામી ગયેલ હોય એવું લાગે છે, કેઈ “વખત ભયંકર આકાર ધારણ કરે છે અને એવી રીતે આખો વખત સંતપ્ત સ્થિતિ( high excitement )માં રહે છે. આ વાનરાનું બચ્ચું “તને પણ એ સ્થિતિમાં ઘણી દુઃખપરંપરાનું કારણ બને છે. એટલા માટે તારે એ વાનરાના બચ્ચાંને એ ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં દાદરનાં પગથીઆમાંથી છૂટું પાડવું અને ઉપરનાં સારાં પગથી છે તે પર ચઢાવી દેવું. એથી સ્ત્રીએ બનાવેલાં દાદરાનાં પગથી પર એ વાનરાનું બન્યું ચઢવા માંડશે ત્યારે દરેક ક્ષણે એ વાનરાના બચ્ચાંના “સંતાપો ઓછા થતા જશે, પેલા ઉપદ્રવ કરનારા ઉંદર બિલાડી વિ“ગેરે ઓછા થઈ જશે અને એને આંબાનાં ફળો ખાવાની ઈચ્છા જરા જરા ઓછી થતી જશે. ત્યાર પછી મધના સંબંધથી થયેલી “શરદી ઓછી થતી જશે અને શરીર પરથી જ ખરી પડતી જશે “એટલે એને કાંઈક મુખ થશે અને એ પોતે પણ તેજવાનું સ્વરૂપવાનું “થશે. ત્યાર પછી પાંચમી સ્ત્રીએ બનાવેલાં પગથી ઉપર તારે એને ચઢાવવું. ત્યાં ચઢતાં એને સંતાપે વધારે ઓછા થતા જશે, પાતળા પડતા જશે, ઉપદ્રવ ઘણું આછા થતા જશે, અપથ્ય કે કેરી ખાવાની “ ઈછા ઓછી ઓછી થતી જશે, શરીર સૂકું પડતું જશે અને એના ઉપર લાગેલે ધૂળને કચરે ઘણો ઘણો ખરતે જશે, પડતે જશે. * ત્યાર પછી એ વાનરાના બચ્ચાંના શરીરે પડેલા ઘા જરા જરા રૂઝાતા જશે, એ મહા આનંદ પામતું જશે, ઘેળાપણું ધારણ કરતું “જશે, (અનું) શરીર તંદુરસ્તીમાં વધતું જશે અને એ જાતે વિશાળ - ૧ ઇદ્રિ. ૨ આંબા નથી પણ એ વિષક્ષે છે. વાંદરાએ એને આંબા માન્યાં છે. જુઓ પૃ. ૧૭૪૦-૧. બાકીના સર્વ શબ્દોનો ખુલાસો પણ એ જ પૃષ્ઠ પર થઈ ગયો છે. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy