SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ પિતાને અનેક પ્રકારે આનંદ આપતા અને પાંચ ધાવના લાલન પાલનથી ઉછેરાતા હું ત્રણ વર્ષની ઉમરને થે. વૈશ્વાનરનો જન્મ-સ્વરૂપ, હું અસંવ્યવહાર નગરથી આગળ ચાલ્યો ત્યારથી જ મારો બેવડે પરિવાર (કુટુંબ) હત: એક અંતરંગ પરિવાર અને અંતરંગ બીજો બહિરંગ પરિવાર. આ અંતરંગ પરિવારમાં પરિવાર, પહેલેથી એક અવિવેકિતા નામની બ્રાહ્મણી મારી ધાવમાતા તરીકે કામ કરતી હતી. આ મારી ધાવમાતાએ મારો જન્મ થયો તેજ દિવસે એક છોકરાને જન્મ આપે. એ છોકરાનું નામ વિધાનર પાડવામાં આવ્યું. આ છોકરે ખાનગી રીતેગુપ્ત રીતે તે શરૂઆતથી જ મારી સાથે હતો, પરંતુ હવે તે બીજા સર્વને દેખાય–જણાય તેવા સ્પષ્ટ આકારમાં મારી સાથે થયો. મેં એ બ્રાહ્મણપુત્ર વિશ્વાનરને જે ત્યારે તેનું રૂપ આવા પ્રકારનું હતું. તેને નાના મોટા અને પહોળા વર અને કલહ નામના બે પગ હતા, જરા જાડી, કઠણ અને ટુંકી ઈર્ષ્યા અને તેય' નામની બે જાંઘો હતી, બહુ આડી અવળી રીતે આવી રહેલા અનુશય અને અનુપમ નામના બે સાથળ હતા, એક બાજુએ ઊંચું થયેલ શિન્ય’ નામનું કેડનું તળીયું હતું, પરમર્મઉદ્દઘાટન નામનું વાંકુ, ઊંચું, નીચું અને લાંબું પેટ ૧ અંતરંગ પરિવારમાં અંદરનું વાસ્તવિક સ્વરૂપ-વસ્તુનું હાર્ટ-તન્ય સમજવું; અને બહિરંગ પરિવારમાં ઉપર ઉપરની દૃષ્ટિથી દેખાતાં સગાં સંબંધીઓકુટુંબીઓ સમજવાં. આ અર્થમાં અંતરંગ અને બહિરંગ શબ્દો આખા ગ્રંથમાં વારંવાર વાપરવામાં આવશે. ૫% રાજ, નંદા દેવી વિગેરે બહિરંગ પરિવાર સમજેવો. વૈશ્વાનરનું સ્વરૂપ હાલ ચાલે છે તેને અંતરંગ પરિવારમાં સમાવેશ થાય છે. તા-અવિવેક-વિનય ગુણનો નાશ. આથીજ કોધનો જન્મ થાય છે એ બરાબર વિચારવાથી જણાશે. વિવેકી પ્રાણીઓ ક્રોધ કરતા નથી. ૩ વૈશ્વાનર-આને મૂળ અર્થ અગ્નિ થાય છે. અહીં તે કોઈને બતાવે છે. ક્રોધ થાય ત્યારે શરીરમાંથી અગ્નિ નીકળવા માંડે છે. વૈશ્વાનર એ ક્રોધનું રૂપક સમજવું. “વૈશ્વાનર” એવું ક્રોધનું નામ પણ છે. ૪ કલહ કજીઓ, કંકાસ. ૫ સ્તયઃ ચેરી. ૬ અનુશય અત્યંત દ્વેષ, પૂર્વનું વૈર. ૭ અનુપમ શાંતિનો અભાવ, સમતાની ગેરહાજરી. ૮ પિશૂન્ય: ચાડી આપણું, ચુગલીખારપણું. ૯ ૫રમમઉદઘાટન: પારકાના મર્મ-ખાનગી વાત ખુલ્લી પાડવાની ટેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy