SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] નંદિવર્ધન અને વેશ્વાનર છે. તે નગરમાં મેટા રાજાને સર્વ ગુણોથી ભરપૂર પદ્ધ નામના રાજ હતા. કામદેવની સ્ત્રી રતિના જેવી તે પદ્મ રાજાને નંદા નામની રાગી હતી. ભવિતવ્યતાએ મને તે નંદા દેવીની કુખમાં દાખલ કયા અને તે રાણીના ગર્ભમાં ઉચિત વખત સુધી હું રહ્યો. ત્યારપછી પુણોદય નામનો સહચારી મને આપવામાં આવ્યો હતો તેની સાથે હું મારી માતાની કુખમાંથી બહાર નીકળે, નંદા રાણીએ પુદયનો મને જે અને પિતાને પુત્ર છે એવું અભિમાન સાથે જન્મ. તેને થયું. તે વખતે પ્રમાદકુંભ નામનો એક દા સીનો પુત્ર હતા તે ઉતાવળથી જઇને પદ્મ મહારાજાને મારા જન્મની વધામણી આપી. એ હકીકત સાંભળીને મહારાજાને બહુ આનંદ થયો અને અત્યંત હર્ષ થવાને લીધે આખા શરીરના સર્વ અવયવોમાં રોમાંચ ખડા થઈ ગયા. જે છોકરો વધામણી લઇને આવ્યો હતો તેને ઇનામ આપવામાં આવ્યું અને મહારાજાએ મારા જન્મનો મહેરાવ કરવા માટે આજ્ઞા કરી. એ આજ્ઞાને અનુસરીને મોટાં મોટાં દાન આપવામાં આવ્યાં, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવામાં આવ્યા, નગરદેવતાનું પૂજન કરવામાં આવ્યું, દુકાને દુકાને અને બારણે બારણે તોરણાદિ લટકાવીને શેભા કરવામાં આવી, મોટા મોટા રસ્તાઓ પર પાણી અને સુગંધી પદાથોનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરવામાં આવ્યા, આનંદનાં વાજિંત્રો વગાડવામાં આવ્યાં, બહુ સારાં અને શ્વેત કપડાં પહેરીને નગરના લેકે રાજભવનમાં આવવા લાગ્યા, તેઓને યથાયોગ્ય માન સન્માન આપવામાં આવ્યું, તેવા પુરુષોને યોગ્ય આચરણ તેઓ સાથે કરવામાં આવ્યું, શરણાઇ અને બીજાં વાજિંત્રો વાગવા માંડયાં, ગાનારી સ્ત્રીઓ ધવળ મંગળ ગાવા લાગી, કંચુકી, વામન અને કુજ લોકો સાથે સ્ત્રીઓ નાચવા લાગી; આવી રીતે મારા જન્મનો મહોત્સવ અતિ આનંદથી થયો. આ બનાવને એક મહીને વીતી ગયા પછી સંસારીજીવ એવું મારું અસલ નામ હતું તે છુપાવીને તેને બદલે નંદિવર્ધન નામ પાડવામાં આવ્યું. હું તેઓને પુત્ર છું એવું અભિમાન મને પણ થયું. હવે મારાં ત માતા ૧ જુઓ પૃ૪ ૩૨૮. ૨ મિથ્યા જ્ઞાન અથવા ગર્વ. ૩ અહીં કર્તએ “અનુશય’ શબ્દ વાપર્યો છે તેને અથે પશ્ચાત્તાપ પણ થાય છે. ૪ ચુકી એટલે જનાનખાનાને નોકર. વામન (ઠાંગણી) અને દુન્જ (કુબડા) પણ અંત:પુરમાં નોકર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy