SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૨ છે તે સર્વ ઉપાડી લઈને અનેક પ્રકારના વેશ ધારણ રાજા રાણીની કરી પોતાના આત્માને વિડંબના આપે છે. એ કાળસરખામણી. પરિણતિ મહાદેવી એવી જબરી છે કે કર્મપરિણામ મહારાજા હાજર હોય તો પણ પોતાનો પ્રભાવ તેનાથી પણ વધારે છે એમ વારંવાર ખુલ્લેખુલ્લું પોતાના વર્તનથી બતાવે છે. સંસારનાટકમાં ખેલ ભજવનારા પ્રાણીઓ વારંવાર નવીન નવીન રૂપ ધારણ કરે છે તેટલા પૂરતજ કર્મપરિણામ મહારાજાનો પ્રભાવ ચાલે છે (અને તે પણ કાળપરિણતિ દેવી જ્યારે વખત થયો છે એમ હુકમ કરે ત્યારેજ ), પણ આ કાળપરિણતિ મહાદેવીને પ્રભાવ તો સંસારથી તદ્દન બહાર આવેલી (રંગભૂમિની બહાર ) નિવૃત્તિ નામની નગરી છે ત્યાં પણ ચાલે છે, કારણ કે તે નિવૃત્તિ નગરીમાં જે લોકો રહે છે તેઓની જુદી જુદી અવસ્થા કરવાનું ચાતુર્ય પણ તે કાળપરિણતિ દેવીમાં છે. આ પ્રમાણે પોતાની સત્તા રંગભૂમિની બહાર પણ ચાલતી હોવાથી પોતાના પતિ કરતાં પણ પોતાની જાતને મેટી માનનારી અભિમાની મહાદેવી શું શું કામ ન કરે? આવાં અભુત ( સંસાર)નાટક કરવામાં અને જોવામાં નિરંતર પ્રવૃત્ત થયેલા તે કર્મપરિણામ મહારાજાને અને કાળપરિણતિ મહારાણીને મનમાં બહુ આનંદ થાય છે. ૧ સિદ્ધદશામાં અવસ્થાંતરઃ સિદ્ધ દિશામાં ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય રહેલાંજ છે. જ્ઞાતા સ્વભાવે નવા નવા ફેયમાં પરિણમવાપણું દરેક સમયે રહે છે તેથી કાળની અસર સિદ્ધદશામાં પણ થાય છે. ત્યાં કર્મની અસર રહેતી નથી, કારણ નિઃકર્મો થાય ત્યારેજ સિદ્ધ થવાય છે, પણ ઉત્પાદાદિને અંગે કાળની અસર રહે છે. આથી રાજ કરતાં રાણીને પ્રભાવ વધારે છે એમ બતાવ્યું. કહેવાનું તાપર્ય એ છે કે એક વસ્તુને સિદ્ધ અત્યારે વર્તમાન રૂપે જીએ, તેને અગાઉ ભવિખ્યત રૂપે જોતા હતા અને હવે પછી ભૂત રૂપે જોશે–એવી રીતે જ્ઞાનમાં અવUાંતર થયા કરે છે અને જ્ઞાન એ સિદ્ધને સ્વભાવ હોવાથી સિદ્ધને પણ જ્ઞાનમાં કાળની અસર થાય છે. એવી જ રીતે અમુક આત્મા આટલા સમય પહેલાં સિદ્ધદિશામાં આવેલ છે તે ગણતરીને પણ કાળની અસર થયા કરે છે. કલ્પનાશક્તિને બહુ જોર આપીને સિદ્ધદશામાં પણ કાળની અસર બતાવવા આ પ્રયાસ કર્તાએ કર્યો જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy