SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ શકાય, પરંતુ કાષ્ઠના વાસણમાં મૂકવા ગ્ય ગણાય એવી તેની ઘટના કરી છે અને તેમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણે ઔષધોને મારા સાધારણ શબ્દોમાં બતાવવા મેં પ્રયત કર્યો છે. મારી રચના સુવર્ણ કે રપાત્રને ચોગ્ય નથી, પણ કાષ્ટપાત્રને ગ્ય છે તે હું અત્ર સ્પષ્ટ રીતે જણાવી દઉં છું. હકીકત આ પ્રમાણે હોવાથી હવે હું જે પ્રાર્થના કરું છું તે હે ભવ્ય પ્રાણુઓ ! તમે ધ્યાન રાખીને સાંભળે. પેલા પ્રાર્થના. ભિખારીએ (સપુણ્યકે) રાજ્યદ્વારમાં કાષ્ઠના પાત્રમાં મૂકેલાં ત્રણે ઔષધોને ગ્રહણ કરીને જે રોગીઓ તેને સારી રીતે સેવે છે તેઓ નીરોગીપણું પ્રાપ્ત કરે છે, એ ઉપરાંત તેણે કાષ્ટપાત્રમાં મૂકેલાં ઔષધે ગ્રહણ કરવાં તે ઉચિત છે, કારણ કે તેમ કરવાથી તે સંપુણ્યક (ભિખારી-અગાઉન) ઉપર પણ ઉપકાર થાય છે. મારી જેવા પ્રાણી ઉપર ભગવાનની કૃપાનજર થવાને પરિણામે ગુરુ મહારાજના પ્રસાદથી અને તેને લઈને થયેલ અનુભવને પરિણામે પ્રગટ થયેલી બુદ્ધિના આવિર્ભાવથી આ કથામાં જે જ્ઞાન દર્શન ચારિત્રની રચના કરવામાં આવશે તેને જે ભવ્ય સો ગ્રહણ કરશે તેઓના રાગ વિગેરે ભાવગો જરૂર નાશ પામી જશે એમાં જરા પણ સંદેહ જેવું નથી, કારણ કે વાળવોવાવુપે વાચા પાક પ્રાર્થના પ્રવર્તજો કારણ કે કહેવાની જે બાબત હોય છે તે કહેનારના ગુણદોષની અપેક્ષા રાખીને પોતાના ઈચ્છિત સાધ્યની પ્રાપ્તિમાં પ્રવર્તતી નથી; એટલે કહેવાની બાબત સારી, ગ્ય અને યથાસ્થિત હોય તે બસ છે, કહેનાર ઉપર કાંઈ તેની સાથે પ્રાપ્તિને સંબંધ હોતો નથી. (કઈ વિષય ઉપર લખાણ કે ભાષણ કર્યું હોય તો તે લખાણ અથવા ભાષણના શબ્દોજ ખાસ કરીને અસર કરે છે અને પરિણામ નીપજાવે છે. સુંદર પરિણામ લાવવા માટે ખાસ કરીને લખનાર કે વક્તાના પિતાના ગુણદોષ ઉપર બહુ આધાર રહેતો નથી.) દાખલા તરીકે કે શેઠને નોકર તદ્દન ભૂખ્યો હોય અને તે એટલે બધે ભૂપે હોય કે ભૂખથી તેનું શરીર તદ્દન દુબળું થઈ ગયું હોય તે પિતાના શેઠના હુકમથી શેઠના પરિવારને માટે તૈયાર કરેલી સુંદર રસે તેઓ તે આરોગે તેટલા માટે પીરસી આપે તે એ સુધાતુર સેવકની પીરસેલી રસવતી પણ શેઠના પરિવારની ભૂખ મટાડે છે ૧ મારી રચના સામાન્ય પ્રકારની છે. અહીં ગ્રંથકર્તા પિતાની લઘુતા બતાવે છે. આ બાબત પર જુઓ ઉપદુઘાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy