SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમોદની પ્રસન્નતા હોય, કારુણ્યની મૃદુતા હોય અને માધ્યસ્થનો સૌમ્ય સમભાવ હોય તેનું નામ ધર્મ. એટલે જે ધર્મનાં અનુષ્ઠાનમાં જીવોનો વધ હોય, પશુઓનો સંહાર હોય, હિંસાની આગ હોય, વેરની જ્વાળા હોય, તે ધર્મ સ્વરૂપમાં ખોટો છે, ભલે એ પોતાને ધર્મ કહે, પણ તે પિત્તળ છે. એટલે જ તો ધર્મનો સંપૂર્ણ ઉપસંહાર કરતાં એક સ્થળે કહ્યું છે ‘મિત્રસ્ય ચક્ષુવા પશ્ય ।' આપણે આપણી ચાલુ આંખોથી જગતને જોઈએ છીએ એના કરતાં મિત્રની આંખથી જોઈએ તો જગત કોઈ જુદું જ જણાય. આજ આપણને ક્યાંક દોષ દેખાય છે, તો ક્યાંક રોષ દેખાય છે; ક્યાંક વે૨ દેખાય છે, તો ક્યાંક ઝેર દેખાય છે. પણ મિત્રની આંખથી જોતાં દોષ ગૌણ જણાશે અને ગુણની પ્રશંસા વધશે. મિત્રનું હૈયું મિત્રને દોષ માટે એકાંતમાં પ્રેમથી ઠપકો આપી ગુણની સુવાસ પ્રસરાવશે. મિત્રનું પ્રત્યેક કામ પોતાનું કામ માની અભિન્નતાથી એ કાર્યને સુંદર રીતે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે. મૈત્રીપૂર્ણ મનને બીજો પણ એક સહજ લાભ છે. કોઈનું પણ કોઈ કાર્ય કરવા છતાં એને કદી ગર્વ નહિ આવે. કોઈ એની પ્રશંસા કરશે કે, ‘તમે તો ખૂબ કર્યું' તો એ નમ્રભાવે એટલું જ કહેશે : ‘આમાં મેં શું કર્યું છે ? આ તો મારું કર્તવ્ય હતું.' મૈત્રી વિના આવી કર્તવ્યભાવના જાગતી નથી. અને સુંદર કાર્ય ન કર્યાનો અનુતાપ પણ મૈત્રી વિના સંભવિત નથી. ‘રે, કેવા મારા સંયોગ કે આવું સુંદર કાર્ય કરવાનો સમય હતો; છતાં હું મારા પ્રમાદ કે અશક્તિને કારણે આ કાર્ય ન કરી શક્યો.' વિશ્વના સંવાદમય અસ્તિત્વનો પાયો એ મૈત્રી છે. અહિંસાનાં કરુણામય તત્ત્વોને આ મૈત્રીભાવ વિના કોણ જીવંત રાખી શકે તેમ છે ? વેર એ તો કાંટો છે. એ જ્યાં વાગ્યો હોય ત્યાં સ્વસ્થતા ન હોય. વેરથી ભરેલા ચિત્તવાળો ધર્મસાધના કરી ન શકે, અને કદાચ કોઈ સંજોગોમાં કરે તો એ અનુષ્ઠાન, એ ક્રિયામાં મૈત્રી ન હોવાથી એમાં એને સ્વસ્થતા ન લાધે, સમાધિનો લાભ ન થાય, પ્રસન્નતાનો અનુભવ ન થાય. સુરભિ વિનાના ફૂલની જેમ એ પ્રસન્નતાનો પમરાટ ન પ્રસરાવી શકે. માટે જ કહ્યું છે ‘મૈચારિમાવસંયુńતર્ધર્મ: રીર્ત્યતે।' Jain Education International મૈત્રી અંગે પંડિત ઓમકારનાથજીએ પૂછેલો એક પ્રશ્ન મને યાદ આવે છે. ઓમકારનાથજી એક નમતી સાંજે મને મળવા આવ્યા, સાથે એમના શાગિર્દ ૬૪ * જીવન-માંગલ્ય — — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy