SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ તર્કરહસ્યદીપિકા ग्रहणमिति । गन्धो घ्राणग्राह्यः पृथिवीवृत्तिः । स्पर्शादेश्च गुणत्वे सति त्वगिन्द्रियग्राह्यादिकं लक्षणमितरव्यवच्छेदकम् । 16. શ્લોકવ્યાખ્યા–સ્પર્શન ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ સ્પર્શ છે. તેને સ્પર્શન ઈન્દ્રિયથી સ્પર્શી શકાય છે. તે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુમાં રહે છે. જીભથી ચાખી શકાય એવો ગુણ રસ છે, અર્થાતુ રસન ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ રસ છે. તે પૃથ્વી અને જલમાં રહે છે. આંખથી જોઈ શકાય એવો ગુણ રૂપ છે, અર્થાત્ ચક્ષુ ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ રૂપ છે. તે પૃથ્વી, જલ અને અગ્નિમાં રહે છે. જલ અને અગ્નિના પરમાણુઓનું રૂપ નિત્ય છે પરંતુ પૃથ્વીના પરમાણુઓનું રૂપ અગ્નિસંયોગથી નાશ પામે છે. પૃથ્વીના પરમાણુઓમાં અગ્નિસંયોગથી પૂર્વરૂપ નાશ પામી નવું પાકજ રૂપ ઉત્પન્ન થાય છે.] કારણના રૂપથી જ બધાં કાર્યોમાં રૂપની ઉત્પત્તિ થાય છે. જયારે પહેલાં યમુક વગેરે કાર્ય ઉત્પન્ન થઈ જાય છે ત્યારે ઉત્તર ક્ષણે તે કાર્યોમાં રૂપ આદિ ગુણોની ઉત્પત્તિ થાય છે, કેમ કે રૂપાદિ ગુણ છે, તેથી તેઓ નિરાધાર ઉત્પન્ન થઈ શકતા નથી, તેમનું આધારભૂત દ્રવ્ય હોવું જ જોઈએ. આમ નિરાધાર ગુણો ઉત્પન્ન નથી થતા. પરંતુ કાર્યભૂત રૂપાદિ ગુણોના નાશનું કારણ તો દ્રવ્યરૂપ તેમના આશ્રયનો નાશ છે, અર્થાત્ ગુણોનો નાશ આધારરૂપ દ્રવ્યના નાશ પછી જ થાય છે. કાર્યદ્રવ્યરૂપ આધાર નાશ પામતાં જ ઉત્તરક્ષણે રૂપ આદિ ગુણોનો નાશ થાય છે. ક્ષણ અત્યન્ત સૂક્ષ્મ છે તેથી આપણે ગ્રહણ કરી શકતા નથી. આ કારણે જ આપણે કાર્યદ્રવ્યના નાશને તથા તેમના ગુણોના નાશને એક સાથે યુગપત) માની લઈએ છીએ. ક્ષણ બહુ જ શીધ્ર હોતાંવેત નષ્ટ થઈ જાય છે. તેથી આપણે દ્રવ્યનાશ અને ગુણનાશના ક્રમને જાણી શકતા નથી. નાકથી સુંઘી શકાય એવો ગુણ ગબ્ધ છે, અર્થાત્ ધ્રાણ ઇન્દ્રિયનો વિષયભૂત ગુણ ગબ્ધ છે, ગન્ધ કેવળ પૃથ્વીમાં જ રહે છે. સ્પર્શ આદિના ઇતરત્યાવર્તક અર્થાત્ અસાધારણ લક્ષણો આ પ્રમાણે છે-જે ગુણ હોવા સાથે સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય છે તે સ્પર્શ, જે ગુણ હોવા સાથે રસનેન્દ્રિયગ્રાહ્ય છે તે રસ, જે ગુણ હોવા સાથે ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય છે તે રૂપ અને જે ગુણ હોવા સાથે પ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે તે ગબ્ધ. [જો કે રૂપત્વ, રસત્વ, ગન્ધત્વ અને સ્પર્શત્વ સામાન્યો પણ ક્રમશઃ ચક્ષુ, રસન, પ્રાણ અને સ્પર્શન ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તો પણ તે સામાન્યો ગુણ ન હોવાથી સમગ્ર લક્ષણ તેમને લાગુ પડતું નથી, તેમનામાં અતિવ્યાપ્ત નથી. જે ઇન્દ્રિયથી જે પદાર્થનું ગ્રહણ થાય છે તે જ ઇન્દ્રિયથી તે પદાર્થની જાતિ અને તે પદાર્થના અભાવનું પણ ગ્રહણ થાય છે એવો નિયમ છે તેથી ‘ગુણ હોવા સાથે (ગુખત્વે તિ)' વિશેષણથી રૂપત્ર આદિ સામાન્યોમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ શકતું નથી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy