SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ૬૦૪ परिमाणतैव स्यात्, परं द्व्यणुकव्यपदेशो न स्यात् । त्रिभिर्द्वयणुकैश्चतुर्भिवरिब्धे त्र्यणुकमिति व्यपदेशः, न तु द्वाभ्यां द्व्यणुकाभ्यामारब्धे, द्वाभ्यामारब्धस्य ह्युपलब्धिनिमित्तं महत्त्वं न स्यात् । त्र्यणुकं च द्रव्यमुपलब्धियोग्यमिष्यते । ततश्चापरापरारब्धत्वेऽपरापरद्रव्योत्पत्तिर्ज्ञेया । गुणः पुनः पञ्चविंशतिधा स्पष्टम् ॥ ६१ ॥ 14. આ નવ દ્રવ્યો સામાન્યતઃ બે પ્રકારનાં છે – (૧) અદ્રવ્ય દ્રવ્ય અને (૨) અનેકદ્રવ્ય દ્રવ્ય. જેમને ઉત્પન્ન કરનાર કોઈ અન્ય દ્રવ્યરૂપ સમવાયિકારણ ન હોય તે અદ્રવ્ય દ્રવ્ય અર્થાત્ નિત્ય દ્રવ્ય. આકાશ, કાલ, દિક્, આત્મા, મન અને પૃથ્વી આદિના પરમાણુઓ અદ્રવ્ય દ્રવ્ય છે. આ દ્રવ્યોને ઉત્પન્ન કરનાર કોઈ કારણદ્રવ્ય નથી. જે દ્રવ્યની ઉત્પત્તિમાં અનેક દ્રવ્યો સમવાયિકારણ હોય છે તે અનેકદ્રવ્ય દ્રવ્ય અર્થાત્ અનિત્ય દ્રવ્ય. પરમાણુઓથી બનેલા ચણુક આદિ સ્કન્ધો અનેકદ્રવ્ય દ્રવ્ય છે. [તાત્પર્ય એ કે જે દ્રવ્ય હોય છે તે કાં તો અદ્રવ્ય હોય છે કાં તો અનેકદ્રવ્ય હોય છે. દ્રવ્ય કદી એકદ્રવ્ય હોતું નથી. એવું કોઈ દ્રવ્ય નથી કે જેની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ હોય. જેની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ હોય તે દ્રવ્ય ન જ હોય પણ જ્ઞાન આદિ ગુણ હોઈ શકે છે. જ્ઞાનની ઉત્પત્તિમાં એક જ દ્રવ્ય સમવાયિકારણ છે, અને તે છે આત્મા.] બે પરમાણુઓથી ઉત્પન્ન થના૨ કાર્યદ્રવ્યને અર્થાત્ ણુકને અણુ કહે છે, કારણ કે બે પરમાણુઓથી ઉત્પન્ન ચણુક દ્રવ્યમાં અણુપરિમાણ જ હોય છે. તેવી જ રીતે ત્રણ કે ચાર પરમાણુઓથી ઉત્પન્ન કાર્યદ્રવ્ય અણુપરિમાણ જ હોય છે, વળી તેને ચણુક નામ નથી અપાતું. ત્રણ કે ચાર ચણુકોથી ઉત્પન્ન થનાર કાર્યદ્રવ્યને ઋણુક કહેવામાં આવે છે. બે ચણુકોથી ઉત્પન્ન થનાર કાર્યદ્રવ્યને ઋણુક કહી શકાય નહિ કેમ કે બે ચણુકોથી ઉત્પન્ન કાર્યદ્રવ્યમાં ઇન્દ્રિયોથી ગ્રહણ થવા લાયક મહત્પરિમાણ હોતું નથી. ઋણુક દ્રવ્યને જ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થવા લાયક માનવામાં આવેલ છે. આ રીતે ઉત્તરોત્તર મહત્પરિમાણવાળાં કાર્યદ્રવ્યોની ઉત્પત્તિ થતી રહે છે. [કારણદ્રવ્યના પરિમાણે કાર્યદ્રવ્યમાં સ્વજાતીય અધિકતર પરિમાણ ઉત્પન્ન કરવાનો નિયમ છે. જો પરમાણુના અણુપરિમાણને ચણુકના પરિમાણમાં કારણ માનવામાં આવે તો તેમાં અણુપરિમાણનું સજાતીય અધિકતર અણુપરિમાણ અર્થાત્ અણુતર પરિમાણની ઉત્પત્તિ માનવી પડે. તેથી પરમાણુના અણુપરિમાણને ચણુકરૂપ કાર્યદ્રવ્યના પરિમાણનું કારણ ન માનીને બે પરમાણુઓની દ્વિત્વ સંખ્યાને કારણ માન્યું છે, તેથી ચણુકમાં અણુતર પરિમાણ ઉત્પન્ન થતું નથી પણ અણુપરિમાણ જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે ચણુકના અણુપરિમાણને ઋણુકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy