SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત પ૯૩ પ્રત્યક્ષ અવિદ્યાનો નિષેધ કરીને સન્માત્ર બ્રહ્મનો અનુભવ કરે છે ત્યારે તે નિષેધક તો આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. પ્રત્યક્ષથી અવિદ્યાનો નિષેધ પણ કરવો અને તેને નિષેધક પણ ન માનવું એ શું સ્વવચનવિરોધ નથી? ___472. तथा पूर्वोत्तरमीमांसावादिनः कथमपि देवमनङ्गीकुर्वणा अपि सर्वेऽपि ब्रह्मविष्णुमहेश्वरादीन्देवान्यूजयन्तो ध्यायन्तो वा दृश्यन्ते । तदपि पूर्वापरविरुद्धम् इत्यादि । 472. વળી, બધા પૂર્વમીમાંસકો અને ઉત્તરમીમાંસકો કોઈ પણ રીતે ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, તેમ છતાં પણ તેઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવોની પૂજા, ઉપાસના કરે છે, તેમનું ધ્યાન કરે છે. આ પણ તેમનો પૂર્વાપર વિરોધ છે. [ધર્મ તો અપૌરુષેય વેદ દ્વારા જ જાણી શકાય છે. કોઈને પણ ધર્મનું સાક્ષાત્ જ્ઞાન થતું નથી. એટલે કોઈ સર્વજ્ઞ સંભવતું નથી. આવો પૂર્વમીમાંસકોનો મત છે. તેથી તેઓ સર્વજ્ઞ દેવને અર્થાત્ ઈશ્વરને સ્વીકારતા નથી. ઉત્તરમીમાંસકોમાં શાંકર વેદાન્તીઓના મતે બ્રહ્મ પરમાર્થ સત્ છે. પરંતુ જયારે વ્યાવહારિક ભૂમિકાએ આ જ બ્રહ્મ માયાવચ્છિન્ન બને છે ત્યારે તે ઈશ્વર કહેવાય છે. ઈશ્વરની પારમાર્થિક સત્તા નથી પણ વ્યાવહારિક સત્તા છે. જેઓ વ્યાવહારિક ભૂમિકાથી ઉપર ઊઠ્યા છે તેમને માટે માયા પણ નથી, ઈશ્વર પણ નથી અને જગત પણ નથી તેમને માટે કેવળ શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ જ છે. ] 473. અથવા યે થે વીદ્ધાતિપુ ચાગ્રુપમાં પ્રાચીનક્નોकव्याख्यायां प्रदर्शिताः ते सर्वेऽपि पूर्वापरविरुद्धतयात्रापि सर्वदर्शनेषु यथास्वं दर्शयितव्याः, यतो बौद्धादय उक्त प्रकारेण स्याद्वादं स्वीकुर्वन्तोऽपि तन्निरासाय च युक्तीः स्फोरयन्तः पूर्वापरविरुद्धवादिनः कथं न भवेयुः। कियन्तो वा दधिमाषभोजनात्कृष्णा विविच्यन्त इत्युपरम्यते ।। 473. અથવા, પહેલાં શ્લોકની વ્યાખ્યામાં બૌદ્ધ આદિદર્શનોએ જેટલાં સ્થાનોએ સ્યાદ્વાદનો સ્વીકાર કર્યાનું દર્શાવ્યું છે તે બધાં સ્થાનો તેમના પૂર્વાપર વિરોધને સ્પષ્ટ કરવા માટે અહીં યથાક્રમે દર્શાવી શકાય. બૌદ્ધ આદિ દર્શનો ઉક્ત સ્થાનોએ સ્યાદ્વાદનો સ્વીકાર કરવા છતાં પણ સ્યાદ્વાદનું ખંડન કરવા માટે કુતર્કો રજૂ કરે છે એ પણ તેમનો સ્વવચનવિરોધ જ છે. હકીકત તો એ છે કે સ્યાદ્વાદને સ્વીકાર્યા વિના કોઈ પણ દર્શનની તત્ત્વવ્યવસ્થાની સિદ્ધિ થઈ શકતી નથી. આમ દહીં અને અડદના બનેલા ભોજનમાંથી કાળા અડદને વીણી વીણી જુદા પાડવાના કામ જેવું જ દોષોની કાલિમાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy