SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૮૩ તત્ત્વરૂપે ઉપદેશે છે – શું આ અન્ધકારને જ પ્રકાશ કહેવા જેવો સ્વવચનવિરોધ નથી? 455. आकाशस्य निरवयवत्वं स्वीकृत्य तद्गुणः शब्दस्तदेकदेश एव श्रूयते न सर्वत्रेति सावयवतां ब्रुवाणस्य कथं न विरोधः । 455. ન્યાય-વૈશેષિકો આકાશને નિરવયવ સ્વીકારીને આકાશનો ગુણ શબ્દ આકાશના અમુક ભાગમાં જ સંભળાય છે, સર્વત્ર સંભળાતો નથી એમ કહે છે એ શું પૂર્વાપર વિરોધ નથી. એક બાજુ આકાશને નિરવયવ કહેવું અને બીજી તરફ તેના ભાગો-અવયવોની વાત કરવી એ સ્પષ્ટપણે સ્વવચન વિરોધ છે. 456. સત્તાયઃ સર્વ યોગ સર્વીર્વરમઃ સશતાયાનેવ મવતિ सामान्यं च निरंशमेकमभ्युपगम्यते, ततः कथं न पूर्वापरतो व्याहतिः । 456. સત્તા સાથેનો યોગ (સંબંધ) એ જ વસ્તુનું) સત્ત્વ છે એમ ન્યાય-વૈશેષિકો કહે છે. એક સત્તા સામાન્યનો સર્વ દેશોમાં રહેલી સર્વ વસ્તુઓ સાથે યુગપતુ યોગ અર્થાત સંબંધ તો ત્યારે ઘટે જયારે સત્તા સામાન્ય સાંશ યા સાવયવ હોય, પરંતુ ન્યાયવૈશેષિકો તો સત્તા સામાન્યને નિરંશ અને એક માને છે. આમ એક બાજુ સત્તા સામાન્યને એક અને નિરંશ માનવું અને બીજી બાજુ તેનો સર્વ વસ્તુઓ સાથે યુગપત યોગ માનવો એ તો સ્પષ્ટ જ પૂર્વાપર વિરોધ છે. 457. સમવાયો નિત્ય વિચૈમાવથ સર્વે: સમવામિ સંવન્ય नैयत्येन जायमानोऽनेकस्वभावतायामेव भवति, तथा च पूर्वापरविरोधः સુવો .. 457. તેવી જ રીતે, સમવાયને નિત્ય અને એક સ્વભાવવાળો કહેવો અને સમવાયનો બધા સમવાયીઓ સાથે નિયત સંબંધ થતો માનવો એમાં સ્વવચનવિરોધ છે. ઘટ અને રૂપનો સમવાયસંબંધ તથા આત્મા અને જ્ઞાનનો સમવાયસંબંધ એક સ્વભાવવાળો ન હોઈ શકે. ભિન્ન ભિન્ન સમવાયીઓમાં નિયમપૂર્વક સંબંધવ્યવસ્થા કરનારો સમવાય એક સ્વભાવવાળો ન હોઈ શકે, અન્યથા બધામાં એક જ પ્રકારનો સમવાયસંબંધ માનવો પડે. પરંતુ ઘટ અને રૂપનો સમવાયસંબંધ આત્મા અને જ્ઞાનના સમવાયસંબંધથી જુદો છે. 458. અર્થવસ્ત્રમાદિત્યર્થ. હારી વચ્ચે તર્થવના પિત્યभिधाय योगिप्रत्यक्षमतीताद्यर्थविषयमभिदधानस्य पूर्वापरविरोध: स्यात्, अतीतादेः सहकारित्वायोगात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy