SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ તર્કરહસ્યદીપિકા 453. ન્યાય-વૈશેષિકો જ્ઞાનને સ્વસંવેદી માનતા નથી. તેમના મતે જ્ઞાન પોતે પોતાને જાણતું નથી. તેઓ કહે છે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે એમ માનવામાં સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષ આવે છે. કર્તા સ્વયં પોતાના ઉપર ક્રિયા કરી શકે નહિ. અર્થાત્ એક જ ક્રિયામાં કર્તા અને કર્મ બન્ને એક જ હોઈ શકે નહિ. ગમે તેટલો કુશળ નટ કેમ ન હોય પરંતુ તે પોતે પોતાના ઉપર (પોતાના ખભા ઉપર) ચડી શકે નહિ, ગમે તેટલી ધારદાર તલવાર કેમ ન હોય પરંતુ તે પોતે પોતાને કાપી શકે નહિ. આ પ્રમાણે જ્ઞાનને અસ્વસંવેદી કહીને પછી ઈશ્વરનું જ્ઞાન સ્વસંવેદી છે એમ કહેવામાં સ્વવચનવિરોધ નથી શું ? ઈશ્વરના જ્ઞાનને સ્વસંવેદી માનતી વખતે સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષ ક્યાં ગયો? પ્રદીપ પોતે જ પોતાના વડે પોતાને પ્રકાશે છે, આમ પ્રદીપનું દષ્ટાન્ત જ સ્વાત્મામાં ક્રિયાના વિરોધરૂપ દોષનું નિરાકરણ કરી દે છે. ન્યાય-વૈશેષિકોના ઈશ્વરનું જ્ઞાન સ્વસંવેદી છે કારણ કે ઈશ્વર સર્વજ્ઞ હોવાથી ઈશ્વરનું જ્ઞાન સર્વને જાણે છે. જો ઈશ્વરનું જ્ઞાન સર્વને જાણતું હોય તો ખુદને જાણે જ, જો ન જાણે તો તે સર્વને જાણે છે એમ ન કહેવાય. આમ ઈશ્વરને સર્વજ્ઞ માનવામાં જ ઈશ્વરજ્ઞાન સ્વસંવેદી છે એનો સ્વીકાર રહેલો જ છે. નૈયાયિકના મતે “આ ઘટ છે એવું ચાક્ષુષ જ્ઞાન થાય છે ત્યારે તે ચાક્ષુષ જ્ઞાનનું જ્ઞાન થતું નથી. પરંતુ આ ચાક્ષુષ જ્ઞાન પછી, જો જ્ઞાતા ઇચ્છે તો, મન દ્વારા ચાક્ષુષ જ્ઞાનનું માનસ પ્રત્યક્ષ થાય છે. આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આમ ચાક્ષુષ જ્ઞાન કે કોઈ પણ જ્ઞાન જો કે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયંપ્રકાશમાન નથી – સ્વયં જ્ઞાત નથી તો પણ પછીની ક્ષણે મન દ્વારા તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. કોઈ પણ જ્ઞાન પોતે પોતાને જાણતું નથી પરંતુ માનસ પ્રત્યક્ષરૂપ બીજા જ્ઞાનથી તે ગૃહીત (જ્ઞાત) થઈ શકે છે. બાહ્યાર્થ જ્ઞાન પ્રત્યક્ષરૂપ હોય, અનુમિતિરૂપ હોય, ઉપમિતિરૂપ હોય કે શાબ્દરૂપ હોય તે જ્ઞાનનું જ્ઞાન તો અનુવ્યવસાયરૂપ માનસ પ્રત્યક્ષથી જ થાય છે.] 454. પરંવનાત્માન્યપ છન્નતિનિગ્રહસ્થાનાનિ તરૂપતિયોदिशतोऽक्षपादर्षेर्वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकताप्रख्यापनमिव कथं न व्याहन्यते । 454. ન્યાયસૂત્રકાર અક્ષપાદ ઋષિ એક તરફ તો દોષનિવૃત્તિ અને તત્ત્વજ્ઞાન દ્વારા વૈરાગ્યને દઢ કરવાનો ઉપદેશ આપે છે અને બીજી તરફ શાસ્ત્રાર્થમાં વાદીઓને ઠગવા અને ભુલાવામાં નાખવા માટે છલ, જાતિ, નિગ્રહસ્થાન જેવા અસદુપાયોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy