SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૭૭ કારણ છે. જે અર્થ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તે જ અર્થને તે જ જ્ઞાન જાણે છે. આ રીતે તે જ અર્થને જ્ઞાનનું કારણ અને તે જ અર્થને જ્ઞાનનો વિષય માનવા માટે તો અર્થ બે ક્ષણ ટકે છે અર્થાત્ અર્થની બે ક્ષણની સ્થિતિ હોય છે એમ માનવું જરૂરી છે. આનો અર્થ એ કે અર્થ બે ક્ષણ ટકે છે એમ તમારું બૌદ્ધોનું કહેવું થયું. તે આ પ્રમાણે – અર્થ જ્ઞાનનું કારણ છે. કાર્ય તો કારણની ઉત્તર ક્ષણે અર્થાત્ બીજી ક્ષણે ઉત્પન્ન થાય છે અને કારણ કાર્યથી એક ક્ષણ પહેલાં હોય છે. તેથી જો જ્ઞાન અર્થરૂપ કારણથી ઉત્પન્ન થાય છે તો તે બીજી ક્ષણે જ ઉત્પન્ન થાય. અર્થ જ્ઞાનને પોતાના સમાન સમયમાં તો ઉત્પન્ન કરી શકે નહિ કેમ કે કાર્ય અને કારણ સમાન સમયવર્તી નથી હોતા, સહભૂ નથી હોતા, તેઓ નિયમથી જ પૂર્વોત્તર કાલવર્તી હોય છે, કારણ પૂર્વવર્તી હોય છે અને કાર્ય ઉત્તરવર્તી હોય છે. અને એ પણ નિયમ છે કે જ્ઞાન પોતાના જનક અર્થને જાણે છે. “જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય નથી” એ બૌદ્ધોનું જ વચન છે. તેથી તે જ અર્થ કારણ હોવાથી તો જ્ઞાનથી એક ક્ષણ પહેલાં હોવાનો અને વિષય હોવાથી જ્ઞાનની સાથે પણ હોવાનો. આમ અર્થને બે ક્ષણ સુધી ટકવું જ પડવાનું. અર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માન્યા વિના તેને જ્ઞાનનો વિષય માનવો અસંભવ છે. આમ એક તરફ અર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માનવી અને બીજી તરફ સર્વ વસ્તુઓ ક્ષણિક છે એમ કહેવું એ તો સ્પષ્ટ જ પરસ્પર વિરોધી કથનો થયાં. 444. तथा नाकारणं विषय इत्युक्त्वा योगिप्रत्यक्षस्यातीतानागतादिरप्यर्थो विषयोऽभ्यधायि । अतीतानागतश्च विनष्टानुत्पन्नत्वेन तस्य कारणं न भवेत् । अकारणमपि च तं विषयतयाभिदधानस्य पूर्वापरविरोधः स्यात् । 444. [વળી, તમે બૌદ્ધો યોગિપ્રત્યક્ષનો સ્વીકાર કરો છો. અને યોગિપ્રત્યક્ષ તો અતીત અને અનાગત અર્થોને પણ જાણે છે, વિષય કરે છે.] ‘જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય પણ નથી’ એમ કહીને તમે બૌદ્ધો જ કહો છો કે યોગિપ્રત્યક્ષનો વિષય અતીત, અનાગત આદિ અર્થ પણ છે. હવે તમે બૌદ્ધો જ વિચારો કે જે અર્થો અતીત છે અર્થાત્ નાશ પામી ગયા છે તથા જે અર્થો અનાગત છે અર્થાત્ ઉત્પન્ન જ થયા નથી તે અર્થો યોગિપ્રત્યક્ષજ્ઞાનનાં કારણો કેવી રીતે બની શકે ? જો અતીત અને અનાગત અર્થો યોગિપ્રત્યક્ષજ્ઞાનનાં જનક કારણો ન હોવા છતાં પણ તેમને તેના વિષયો માનવામાં આવતા હોય તો ‘જે જ્ઞાનનું કારણ નથી તે જ્ઞાનનો વિષય નથી’ એ તમારા જ નિયમ સાથે તેનો વિરોધ હોવાથી પૂર્વાપર વિરોધ સ્પષ્ટ જ છે. 445. एवं साध्यसाधनयोर्व्याप्तिग्राहकस्य ज्ञानस्य कारणत्वाभावेऽपि त्रिकालगतमर्थं विषयं व्याहरमाणस्य कथं न पूर्वापरव्याघातः, अकारणस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy