SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ જૈનમત રૂપમાં પૂર્ણ થાય છે. 412. તë વત્તાવયવનનિર્વાનુમાનયોઃ પઝનક્ષત્વાસંમवेनागमकत्वप्रसङ्गः । न च तयोरगमकत्वं यौगैरिष्टं, तस्मात्प्रतिबन्धनिश्चायकप्रमाणासंभवेन, अन्यथानुपपत्ते: अनिश्चय एव तत्पुत्रत्वादेरगमकतानिबन्धनमस्तु, न तु त्रैलक्षण्याद्यभावः । 412. જૈન– જો હેતુને સહેતુ બનવા માટે પાંચ રૂપો આવશ્યક હોય તો કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુઓમાં પાંચ રૂપો ન હોવાથી તેમને અગમક અર્થાત્ હેત્વાભાસ ગણવાની તમારા ઉપર આપત્તિ આવશે. કેવલાન્વયી હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ નથી અને કેવલવ્યતિરેકીમાં સપક્ષસત્ત્વ નથી. પરંતુ નૈયાયિકો કેવલાન્વયી તથા કેવલવ્યતિરેકી હેતુઓને અગમક અર્થાત્ હેત્વાભાસ નથી માનતા, તેઓ તો તેમને સહેતુ માને છે. તપુત્રત્વ અને શ્યામત્વના અવિનાભાવનું ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ મળતું નથી, તેથી તેમના અવિનાભાવનો નિશ્ચય થઈ શકતો નથી. આ અવિનાભાવનો અનિશ્ચય જ તપુત્રત્વ હેતુની હેત્વાભાસતાનું કારણ છે અને નહિ કે ત્રિરૂપતા કે પંચરૂપતાનો અભાવ. 413. માત્ર વિપક્ષે સર્વ નિશ્ચિત નતિ, ર દિ શ્યામવામા तत्पुत्रत्वेनाश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । यौगस्तु गर्जतिशाकाद्याहारपरिणामः श्यामत्वेन समव्याप्तिको, न तु तत्पुत्रत्वेनेत्युपाधिसद्भावान्न तत्पुत्रत्वे विपक्षासत्त्वसंभव इति ।। 413. બૌદ્ધ અને નૈયાયિક– બૌદ્ધ કહે છે કે તત્પન્નત્વ હેતુમાં વિપક્ષાસત્ત્વનો નિશ્ચય નથી. જો તેની વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત હોત તો શ્યામત્વની નિવૃત્તિમાં તપુત્રત્વની નિવૃત્તિ અવશ્ય હોવી જ જોઈએ. પરંતુ “શ્યામત્વના અભાવમાં તત્વત્રત્વનો અવશ્ય અભાવ (નિવૃત્તિ) હોય છે જ' એવો નિશ્ચય કરાવનારું કોઈ જ પ્રમાણ નથી. આમ વિપક્ષાસત્ત્વનો નિશ્ચય ન હોવાથી ત—ત્રત્વ હેતુ હેત્વાભાસ અર્થાત અગમક છે. નૈયાયિક તો ગરજીને કહે છે કે ગર્ભિણી માતાએ અમુક પ્રકારનો શાકાદિ આહાર લેવો એ ગર્ભગત બાળકના શ્યામ હોવાનું કારણ છે. આમ શાકાઘાહારપરિણામની જ શ્યામત્વ સાથે સમવ્યાપ્તિ છે અને નહિ કે તપુત્રત્વની. તેથી તપુત્રત્વ હેતુમાં શાકાઘાહારપરિણામરૂપ ઉપાધિ હોવાથી આ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત નથી, વ્યાપ્યત્વાસિદ્ધ છે. [જે ધર્મ સાધ્યનો વ્યાપક હોય તથા સાધનનો અવ્યાપક હોય તેને ઉપાધિ કહે છે, જેમ કે “આ પુમડાવાળો છે કેમ કે આ અગ્નિવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy