SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૧ જૈનમત निजबुद्ध्या च तदनवगच्छन्तो भवन्तो यत्साध्यसाधनाय साधनमधुनाभ्यधुः, तत्रापि साध्यसिद्धिनिबन्धनं हेतुः । अतोऽनेकान्तव्यवस्थापनार्थं यथावस्थितं वस्तुस्वरूपं दर्शयद्भिः सद्भिरस्माभिः प्रथमतो हेतोरेव स्वरूपं सम्यगनेकान्तरूपं प्रकाश्यते । तावद्दत्तावधाना निरस्तस्वपक्षाभिमानाः क्षणं माध्यस्थ्यं भजन्तः शृण्वन्तु भवन्तः । तथाहि-युष्मदुपन्यस्तेन हेतुना किमन्वयिना स्वसाध्यं साध्येत व्यतिरेकिणा वा, अन्वयव्यतिरेकिणा वा । यदि तावदन्वयिना, तदा तत्पुत्रत्वादेरपि गमकत्वं स्यात्, अन्वयमात्रस्य तत्रापि भावात् । नापि व्यतिरेकिणा; तत्पुत्रत्वादेरेव गमकत्वप्रसङ्गात् । श्यामत्वाभावेऽन्यत्र गौरपक्षे विपक्षे तत्पुत्रत्वादेरभावात् । अन्वयव्यतिरेकिणा चेत्, तदापि तत्पुत्रत्वादित एव साध्यसिद्धिप्रसक्तिः । न चास्य त्रैरूप्यलक्षणयोगिनो हेत्वाभासताशङ्कनीया; अनित्यत्वसाधने कृतकत्वादेरपि तत्प्रसङ्गात्। अस्ति च भवदभिप्रायेण त्रैरूप्यं तत्पुत्रादाविति ।। 410. બધાં દર્શનોમાં પોતપોતાના ઇષ્ટ સાધ્યને સિદ્ધ કરવા આપેલા હેતુ પણ વસ્તુને અનેકાન્તાત્મક માન્યા વિના સાચા પ્રામાણિક હેતુ બની શકતા નથી, ઘટી શક્તા નથી. આ વાતને સ્પષ્ટ કરવા માટે હું (ગુણરત્ન) મેં પોતે રચેલ પરહેતુતમોભાસ્કર' (‘પ્રતિવાદીઓના હેતુરૂપી અન્ધકારનો વિનાશક સૂર્ય) નામના વાદસ્થલને અહીં લખું છું. આ જગતમાં પોતાને સકલતાર્કિકચૂડામણિ સમજનાર, સદા હઠપૂર્વક મિથ્યાભિમાનની પુષ્ટિમાં દત્તચિત્ત, ગુણી વિદ્વાનોની ઈર્ષ્યા કરનાર, મૂર્ખાના સમૂહ આગળ મોટી મોટી વાતોની બડાઈ હાંકી જબરો ઘટાટોપ કરનાર, સ્પષ્ટ અનુભવથી વસ્તુની અભ્રાન્ત અનેકાન્તાત્મકતાને સમજીને સ્વપક્ષની યુક્તિઓમાં તેનો યથેષ્ટ વ્યવહાર કરવા છતાં પણ કેવળ પોતાના મોઢે પ્રકટપણે અનેકાન્તને ન સ્વીકારનાર, વસ્તુના યથાર્થ સ્વરૂપ તરફ આંખો બંધ કરીને પોતાના મત પ્રત્યેના મિથ્યામોહનું અનુચિત રીતે પોષણ કરનાર આપ જેવા વાદીઓને પોતાને તો સ્વબુદ્ધિથી હેતુના ખરા સ્વરૂપનું પરિજ્ઞાન છે નહિ અને અન્ય ગુણવાનું વિદ્વાનોને હેતુનું ખરું સ્વરૂપ પૂછી તેને જાણવામાં આપ આપનું અપમાન સમજો છો. આ રીતે આપ હેતુના ખરા સ્વરૂપથી સર્વથા અનભિજ્ઞ રહીને પણ સ્વપક્ષની સિદ્ધિ માટે જે તે હેતુનો પ્રયોગ કર્યા કરો છો. હેતુ જ સાધ્યની સિદ્ધિમાં મુખ્ય કારણ છે. તેથી અમે જૈનો તો અનેકાન્તની સિદ્ધિ માટે યથાવત્ વસ્તુનું સ્વરૂપ દર્શાવતી વખતે સૌપ્રથમ સાધ્યના પ્રમુખ સાધક હેતુની અનેકાન્તાત્મકતાનું સમ્યફ રીતે પ્રતિપાદન કરીએ છીએ. આપ કૃપા કરીને થોડા વખત માટે આપના મતનું મિથ્યાભિમાન છોડીને મધ્યસ્થચિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy