SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ તર્કરહસ્યદીપિકા નિબંધ છે, તે નિર્બાધતા કોઈથી છૂપી નથી, તે તો સર્વપ્રસિદ્ધ છે, સૌને અનુભૂત છે. તેથી અનેકાન્તાત્મકતાની નિર્બાધ પ્રતીતિરૂપ હેતુ અસિદ્ધ નથી.વળી, ઉક્ત પ્રતીતિ નિર્બાધપણે સર્વજનપ્રસિદ્ધ છે, સૌના અનુભવનો વિષય છે, તેથી તેમાં સંદેહ થઈ શકતો નથી, એટલે અમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ પણ નથી. નિર્બાધ પ્રતીતિમાં સંદેહની ગુંજશ જ નથી. અમારો હેતુ સાધ્યથી ઊલટા અર્થને સિદ્ધ કરતો નથી, તેથી તે વિરુદ્ધ પણ નથી. સાંખ્યું માનેલા દ્રવ્યકાન્ત(સર્વથા નિત્યત્વ)નો, બૌદ્ધોએ માનેલા પર્યાયૈકાન્ત(સર્વથા ક્ષણિકત્વ)નો તથા વૈશેષિક અને નૈયાયિકે સ્વીકારેલ દ્રવ્ય અને પર્યાય(ગુણ, કર્મ આદિ)ના એકાન્ત ભેદનો તો કોઈને ક્યારેય અનુભવ થતો નથી કે જેથી અમારો અનેકાન્તાત્મક વસ્તુને સિદ્ધ કરનારો હેતુ વિરુદ્ધ ગણાય. વસ્તુનું અનેકાન્તાત્મક રૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત નથી, તેથી અમારો હેતુ બાધિત બની અકિંચિત્કર બની જતો નથી, આમ તે બાધિત યા અકિંચિત્કર પણ નથી. અમે આપેલું ઘટનું દૃષ્ટાન્ત પણ સાધ્યશૂન્ય કે સાધનશૂન્ય નથી. એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મવાળો ઘડો જે રીતે નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે તે રીત અર્થાત્ પ્રક્રિયા અમે પહેલાં દર્શાવી દીધી છે. આ રીતે આ નિર્દોષ અનુમાન દ્વારા જ્યારે નિર્બાધપણે વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ થઈ જાય છે ત્યારે તમે પોતે પ્રામાણિક હોવાનો દાવો કરતા હોવા છતાં તેને કેમ સ્વીકારતા નથી? 382. ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान् धारयितुं धीरतां दधाति । तथाहि-यदेव वस्तु सत् तदेव कथमसत् । असच्चेत् सत्कथमिति विरोधः, सत्त्वासत्त्वयोः परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत् । यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात् । एवं नित्यानित्यादिष्वपि વામ્। 382. શંકા— એક જ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્ય-અનિત્ય આદિ વિરોધી ધર્મોના સદ્ભાવરૂપ અનેકાન્તને તો પ્રચંડ વિરોધ આદિ દોષોરૂપ કાળો નાગ એવી રીતે ડસ્યો છે કે તે બિચારાને પોતાના પ્રાણો ધારણ કરવા કઠિન થઈ પડ્યા છે. આ અનેકાન્તમાં વિરોધ આદિ આઠ દૂષણોનું ઝેર વ્યાપેલું છે. તેમાં વિરોધ દોષ આ રીતે રહેલો છે – જે વસ્તુ સત્ છે અર્થાત્ અસ્તિત્વ ધરાવે છે તે જ વસ્તુ અસત્ કેવી રીતે હોઈ શકે ? જો તે અસત્ હોય તો સત્ કેવી રીતે હોઈ શકે ? આમ સત્ત્વ અને અસત્ત્વ એક સાથે રહેતા નથી. જ્યાં સત્ત્વ હોય ત્યાં અસત્ત્વ રહી શકતું નથી અને જ્યાં અસત્ત્વ --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy