SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ભિન્ન જ રહે છે. - ગુણ – જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમ જ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતો હોય તે ગુણ છે.૧ ગુણો ચોવીસ છે – રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ (ચીકાશ), શબ્દ, જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર. દ્વિત્વ વગેરે સંખ્યાની ઉત્પત્તિ તેમજ મહત્પરિમાણની ઉત્પત્તિની ચર્ચાઓ રસિક છે. વળી, વિભાગજ વિભાગની ચર્ચા પણ નોંધપાત્ર છે. કર્મ – જે દ્રવ્યાશ્રિત હોય છે, ગુણ રહિત હોય છે તેમજ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા ન રાખતું હોય તે કર્મ છે. કર્મોના પાંચ પ્રકાર છે — ઉત્સેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. તર્કરહસ્યદીપિકા સામાન્ય અનેક વ્યક્તિઓમાં જે એકત્વબુદ્ધિ થાય છે, એકાકાર જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું કારણ તે વ્યક્તિઓમાં રહેલું એક સામાન્ય છે. સામાન્ય એક અને નિત્ય છે. સામાન્યના બે પ્રકાર છે – ૫૨ સામાન્ય અને અપર સામાન્ય. સત્તા પર સામાન્ય છે અને દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ, ગોત્વ વગેરે અપર સામાન્યો છે. - — Jain Education International વિશેષ – વિશેષ નિત્ય દ્રવ્યોમાં જ રહે છે. તે અત્યન્ત વ્યાવૃત્તિનો હેતુ છે. અર્થાત્ તે જે નિત્ય દ્રવ્યવ્યક્તિમાં હોય તે વ્યક્તિને સજાતીયોથી અને વિજાતીયોથી વ્યાવૃત્ત કરે છે. પ્રત્યેક પરમાણુને પોતાનો ખાસ વિશેષ હોય છે, આત્માઓને પોતપોતાનો વિશેષ હોય છે અને મનોને પણ પોતપોતાનો વિશેષ હોય છે. પૃથ્વીપરમાણુઓ તદ્દન એકસરખા હોય છે, મુક્ત આત્માઓ નવ વિશેષગુણોથી રહિત હોવાથી તદ્દન એકસરખા હોય છે અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં નિત્ય અણુ મનો પણ તદ્દન એકસરખાં હોય છે. તેથી કોઈ પણ બે પૃથ્વી પરમાણુઓ, કોઈ પણ બે મુક્ત આત્માઓ અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં કોઈ પણ બે મનો વચ્ચેનો ભેદ તેમનામાં રહેલા વિશેષોથી જ થઈ શકે. આ વિશેષો અત્યન્ત સૂક્ષ્મ છે અને કેવળ યોગીઓને જ તેમનું પ્રત્યક્ષ થાય છે. સમવાય – હાથથી યા ગમે તેટલા શક્તિશાળી વૈજ્ઞાનિક સાધનથી પણ જે૧. દ્રવ્યાશ્રયી અનુળવાનૢ સંયોગવિમાળેજાળમનપેક્ષ તિ મુળનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૫. ૨. દ્રવ્યમમુળ સંયોગવિમાવેષ્વનવેછ્યું જારળમિતિ જર્મનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૬. ૩. પ્રશસ્તપાદભાષ્ય, ઉદ્દેશપ્રકરણ. નિત્યમેમનેાનુગત સામાન્યમ્ । તર્કસંગ્રહ ૪. પ્રશસ્તપાદભાષ્ય, વિશેષપ્રકરણ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy