SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૭ 3 દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન આ નવ જ દ્રવ્યો છે. આ નવમાંથી પ્રથમ ચાર દ્રવ્યો બે પ્રકારના છે –નિત્ય અને અનિત્ય. નિત્ય પરમાણુરૂપ છે અને અનિત્ય કાર્યરૂપ (અવયવીરૂપ) છે. પરમાણુઓના સંયોગથી જ જગતની બધી ભૌતિક વસ્તુઓ બનેલી છે. પરમાણુઓના સંયોગથી અવયવીરૂપ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ વૈશેષિકો ઉત્પત્તિ પહેલાં કાર્યને કારણમાં સત્ નથી માનતા. એટલે તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે. E આકાશ, કાલ, દિક્ અને આત્મા આ ચાર વિભુ દ્રવ્યો છે. આકાશ અસ્પર્શવત્ ભૌતિક દ્રવ્ય છે. તે નિત્ય અને વિભુ છે. શબ્દ આકાશનો વિશેષગુણ છે. (પ્રશસ્તપાદભાષ્ય પૃ. ૧૪૪). મન અભૌતિક નિત્યપરમાણુરૂપ છે. તે ચેતન નથી. સુખ-દુઃખ આદિ આંતર વિષયોને ગ્રહણ કરવા માટેનું તે અન્તઃકરણ છે. વળી, ઇન્દ્રિય સાથે મન જોડાય નહિ ત્યાં સુધી ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. મન અણુ હોઈ બધી ઇન્દ્રિયો સાથે તે યુગપત્ જોડાઈ શકતું ન હોવાથી પાંચ ઇન્દ્રિયોનાં પાંચ જ્ઞાનો યુગપત્ સંભવતા નથી.૪ દિન, વર્ષ, માસ, વગેરે સમયના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તે કાળ છે." તે નિત્ય અને વ્યાપક છે. પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓના વ્યવહારનું યા પ્રતીતિનું જે અસાધારણ કારણ છે તે દિક્ છે. તે પણ નિત્ય અને વ્યાપક છે. આત્મા નિત્ય અને વિભુ છે. તે જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં તે કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર આ નવ આત્માના વિશેષ ગુણો છે. પરંતુ આ ગુણો સંસારી અવસ્થામાં જ તેનામાં હોય છે કારણ કે આત્મા, ઇન્દ્રિય અને મનના સંયોગવિશેષથી જ આત્મામાં તે ગુણો ઉત્પન્ન થતા રહે છે. મુક્તિમાં તો આત્મા શરીર, ઇન્દ્રિય, મનથી રહિત હોય છે. એટલે મુક્તિમાં તે નવેય વિશેષ ગુણોનો ઉચ્છેદ થઈ જાય છે. આત્માઓ અનેક છે. મુક્તિની અવસ્થામાં પણ આત્માઓ સ્વતન્ત્રરૂપે એકબીજાથી ૧. યિાવવું મુળવત્ સમવાયિાણમિતિ દ્રવ્યનક્ષળમ્ । વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૪. ૨. તંત્ર દ્રવ્યાપિ પૃથિવ્યોનોવાચ્યાજાશાતાિત્મમનાંસિ... નવૈવેતિ । પ્રશસ્તપાદભાષ્ય (ઉદ્દેશપ્રકરણ) ૩. સા (પૃથિવી) દિવિધા – નિત્યા પાનિત્યા ચ। પરમાણુતક્ષળા નિત્યા, ાર્યાક્ષા સ્વનિત્યા । પ્રશસ્તપાદભાષ્ય (પૃથિવીપ્રકરણ), જુઓ સંયોગપ્રકરણ પણ. ૪. ગૌ પદ્યાત્ જ્ઞાનાનાં તસ્યાળુત્વમિહોત્યંતે । ભાષાપચ્છિદ. ૫. વૈશેષિકસૂત્ર, ૨.૨.૬. ૬. એજન, ૨.૨.૧૨. ૭. નવાના માત્મવિશેષમુળાનામત્યનોિિત્તર્માક્ષઃ । વ્યોમવતી, પૃ. ૬૩૮ ૮. વ્યવસ્થાતો નાના । વૈશેષિકસૂત્ર, ૩.૨.૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy