SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ તર્કરહસ્યદીપિકા જ્યાં સુધી શબ્દબદ્ધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાનરૂપ છે પરંતુ મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો (અને બીજાં જ્ઞાનો પણ) જ્યારે શબ્દબદ્ધ થાય છે ત્યારે તે બધાં જ્ઞાનો શ્રુતજ્ઞાનરૂપ બની જાય છે.] પરંતુ સૈદ્ધાન્તિકો તો આ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ચાર ભેદોવાળા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જ માને છે. [તેઓ તેમનામાં શબ્દયોજના ન હોય તો મતિજ્ઞાન અને હોય તો શ્રુતજ્ઞાન એવો ભેદ કરતા નથી.] સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન (સંજ્ઞા) અને ચિન્તા(તર્ક) આદિ જો કે પહેલાં પ્રત્યક્ષ આદિએ જાણેલા (ગ્રહણ કરેલા) પદાર્થોને જ જાણે છે (ગ્રહણ કરે છે) તેમ છતાં કંઈક વિશેષ અંશને પણ જાણે છે એ કારણે તથા અવિસંવાદી હોવાના કારણે અનુમાનની જેમ પ્રમાણ છે. જેમ વ્યાપ્તિગ્રાહી તર્ક પ્રમાણ દ્વારા જ્ઞાત સામાન્ય અગ્નિ અને સામાન્ય ધૂમને જ કંઈક વિશેષરૂપે જાણનારા અનુમાનને કથંચિત્ અગૃહીતગ્રાહી માનીને પ્રમાણ સમજવામાં આવે છે તેમ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા આદિ જ્ઞાનને પણ પ્રમાણ સમજવા જોઈએ, અન્યથા અનુમાનને પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવે. અવિસંવાદી અને વ્યવહાર ચલાવવામાં સમર્થ એવાં સ્મૃતિ, સંજ્ઞા આદિ જ્ઞાનો શબ્દયોજના પહેલાં મતિજ્ઞાનરૂપ છે તથા શબ્દયોજનાથી ઉત્પન્ન થનારું પ્રત્યેક જ્ઞાન શ્રુતરૂપ છે.[અર્થાત્, આ સ્મૃતિ, સંજ્ઞા(પ્રત્યભિજ્ઞા) આદિ જ્ઞાનો પણ શબ્દયોજના પછી શ્રુતરૂપ બની જાય છે.] આ પ્રત્યક્ષના પ્રકરણમાં સ્મૃતિ અર્થાત્ સ્મરણ, સંજ્ઞા અર્થાત્ પ્રત્યભિજ્ઞાન, ચિન્તા અર્થાત્ તર્ક, અભિનિબોધ અર્થાત્ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણના ભેદોનું નિરૂપણ એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી તેમનો મતિ અને શ્રુતનો વિભાગ સ્પષ્ટપણે ખ્યાલમાં આવે અર્થાત્ તેમને ક્યારે મતિજ્ઞાનરૂપ ગણવાં અને ક્યારે શ્રુતજ્ઞાનરૂપ ગણવાં તેની સ્પષ્ટતા થઈ જાય. [મતિજ્ઞાનની વિશેષ વિચારણા અને નવીન અર્થઘટન માટે જુઓ પુસ્તક ‘જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના’.]. 324. અથ પોક્ષમ્—અવિશવિસંવાતિ જ્ઞાનં પરોક્ષમ્ । સ્મરણપ્રત્યभिज्ञानतर्कानुमानागमभेदतस्तत्पञ्चधा । संस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम्, यथा तत्तीर्थकरबिम्बमिति । अनुभवस्मरणकारणकं सङ्कलनं प्रत्यभिज्ञानम्, तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि, यथा स एवायं देवदत्तः, गोसदृशो गवयः, गोविलक्षणो महिषः, इदमस्माद्दीर्धं ह्रस्वमणीयो महीयो दवीयो वा दूरादयं तीव्रो वह्निः सुरभीदं चन्दनमित्यादि । अत्रादिशब्दात् स एव वह्निरनुमीयतं स एवानेनाप्यर्थः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy