SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૬૭ મૃતિઃ સંજ્ઞા વિના નિવો ફત્યનાથનતરમ્ "[૪૦ શારૂ] મનन्तरमिति कथंचिदेकविषेयं प्राकशब्दयोजनान्मतिज्ञानमेतत् । शेषमनेकप्रभेदं शब्दयोजनादुपजायमानमविशदं ज्ञानं श्रुतमिति केचित् । सैद्धान्तिकास्त्ववग्रहेहावायधारणाप्रभेदरूपाया मतेर्वाचकाः पर्यायशब्दा मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्येते शब्दा इति प्रतिपन्नाः । स्मृतिसंज्ञाचिन्तादीनां च कथंचिद्गृहीतग्राहित्वेऽप्यविसंवादकत्वादनुमानवत्प्रमाणताभ्युपेया, अन्यथा व्याप्तिग्राहकप्रमाणेन गृहीतविषयत्वेनानुमानस्याप्रमाणताप्रसक्तेः । अत्र च यच्छब्दसंयोजनात्प्राक् स्मृत्यादिकमविसंवादि व्यवहारनिर्वर्तनक्षमं वर्तते तन्मतिः शब्दसंयोजनात्प्रादुर्भूतं तु सर्वं श्रुतमिति विभागः । स्मृतिसंज्ञादीना च स्मरणतर्कानुमानरूपाणां परोक्षभेदानामपि यदिह प्रत्यक्षाधिकारे भणनं तन्मतिश्रुतविभागज्ञानाय प्रसङ्गेनेति विज्ञेयम् । 323. ધારણા નામનું મતિજ્ઞાન અવિસંવાદી સ્મરણનું કારણ હોવાથી પ્રમાણ છે તથા સ્મરણ ફળ છે. સ્મરણથી “આ તે જ છે' ઇત્યાદિ સંકલનરૂપ સંજ્ઞા યા પ્રત્યભિજ્ઞાન નામનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યભિજ્ઞાન ફળ છે અને સ્મરણ પ્રમાણ છે. પ્રત્યભિજ્ઞાન પણ અવિનાભાવને ગ્રહણ કરનાર તર્ક યા ચિન્તા નામના જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે અને તર્ક ફળ છે. તર્ક પણ (અવિનાભાવનું ગ્રહણ કરીને) અભિનિબોધ યા અનુમાનને ઉત્પન્ન કરે છે, તેથી તર્ક પ્રમાણ છે અને અનુમાન ફળ છે. અનુમાનથી હેયોપાદેયબુદ્ધિરૂપ ફળ ઉત્પન્ન થાય છે, તેથી અનુમાન પણ પ્રમાણરૂપ છે. તેથી કહ્યું પણ છે કે “મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ અનર્થાન્તર છે અર્થાત્ કથંચિત્ અભિન્ન છે” તિત્ત્વાર્થસૂત્ર. ૧.૧૩]. અનર્થાન્તરનો અર્થ કથંચિત્ એકવિષયક થાય છે. આ જ્ઞાનો જ્યાં સુધી શબ્દોલ્લેખ રહિત હોય અર્થાત્ તેમનામાં શબ્દયોજના ન હોય ત્યાં સુધી તે બધાં જ્ઞાનો મતિજ્ઞાનરૂપ છે. જયારથી જ્ઞાનોમાં શબ્દોલ્લેખ યા શબ્દયોજના આવે અર્થાત્ શબ્દયોજનાથી જ્ઞાનો ઉત્પન્ન થાય ત્યારથી તે અનેક પ્રકારના અવિશદ (અસ્પષ્ટ) જ્ઞાનો શ્રુત ગણાય છે એમ કેટલાક માને છે. [તાત્પર્ય એ કે કેટલાકના મતે જ્યાં સુધી મતિ, સ્મૃતિ આદિ જ્ઞાન એટલાં પુષ્ટ ન હોય કે તેમને શબ્દબદ્ધ કરી શકાય અર્થાત્ ભાષામાં ઉતારી શકાય ત્યાં સુધી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો મતિજ્ઞાનરૂપ છે. પરંતુ જયારથી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો અને બીજાં જ્ઞાનો પણ) એટલાં પુષ્ટ બની જાય કે તેમને શબ્દબદ્ધ કરી શકાય અર્થાત્ ભાષામાં ઉતારી શકાય ત્યારથી તે મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો અને બીજાં જ્ઞાનો પણ) શ્રુતજ્ઞાનરૂપ છે અથવા મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy