SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૨૩ રીતે પ્રકૃતિ સાથેનો સંબંધ છૂટી જતાં પુરુષ પોતાના નિજ સ્વરૂપમાં અવસ્થાન કરે છે– આ સ્વરૂપાવસ્થિતિ જ મોક્ષ છે. પુરુષનું સ્વરૂપ જ ચેતનાશક્તિ (ચિતિશક્તિ) છે. આ ચેતનાશક્તિ અપરિણામી (કૂટસ્થનિત્ય), અપ્રતિસંક્રમા, દર્શિતવિષયા અને અનન્ત છે. [વિશેષણોને સમજીએ. તે અપરિણામી (કૂટનિત્ય) હોઈ તેની ઉત્પત્તિ પણ ન હોય અને તેનો નાશ પણ ન હોય, આમ કાલની દષ્ટિએ અનાદિ-અનન્ત છે. વળી તે વિભુ પણ છે એટલે દેશની દૃષ્ટિએ પણ અનન્ત છે. “દર્શિતવિષયા' વિશેષણનો અર્થ સમજવા જેવો છે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ હોય છે ત્યારે પ્રકૃતિના પરિણામ બુદ્ધિનો પણ પુરુષ સાથે સંબંધ હોય એ સ્વાભાવિક છે. પુરુષ સદા દ્રષ્ટા છે. પરંતુ તે ઘટ, પટ આદિનું સાક્ષાત્ દર્શન કરી શકતો નથી. બુદ્ધિ ઘટ, પટ આદિના આકારે પરિણમે છે. બુદ્ધિના આ ઘટાકાર, પટાકાર આદિ પરિણામો બુદ્ધિવૃત્તિઓ કહેવાય છે. આ બુદ્ધિવૃત્તિઓ જ જ્ઞાનો છે. જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિના ઘટાકાર, પટાકાર આદિ પરિણામો પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. બુદ્ધિના આ ઘટાકાર, પટાકાર આદિ પરિણામોને પ્રતિબિંબરૂપે ગ્રહણ કરવા એ જ પુરુષનું ઘટદર્શન, પટદર્શન આદિ દર્શન કહેવાય, અર્થાત્ પુરુષ બુદ્ધિના ઘટાકાર, પટાકાર આદિ પરિણામોનું (બુદ્ધિવૃત્તિઓનુ) સાક્ષાત્ દર્શન કરે છે અને તે પરિણામો દ્વારા જ ઘટ, પટ આદિનું દર્શન કરે છે. આમ બુદ્ધિ પોતાના વિષયાકાર પરિણામો દ્વારા પુરુષને વિષયોનું દર્શન કરાવે છે. તેથી પુરુષને અર્થાત્ ચિતિશક્તિને દર્શિતવિષયા કહી છે. જેમ બુદ્ધિવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે તેમ પુરુષનું પણ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. અહીં “પ્રતિબિંબ'નો અર્થ તકાદાર પરિણામ સમજવાનો છે. જેમ બાહ્ય વિષયોનું દર્શન પુરુષને બુદ્ધિવનિ દ્વારા થાય છે તેમ પુરુષને પોતાનું દર્શન પણ બુદ્ધિવૃત્તિ દ્વારા જ માનવું જોઈએ કેમ કે બુદ્ધિવૃત્તિ વિના પુરુષ સાક્ષાત્ પોતાનું દર્શન કરે છે એમ માનવામાં કર્મકર્તીવિરોધદોષ રહેલો છે. એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક ન હોઈ શકે. ગમે તેટલો કુશળ નટ પણ પોતે પોતાના ઉપર પોતાના ખભા ઉપર) ન ચડી શકે. આમ જ્યારે બુદ્ધિ પુરુષાકારે પરિણમે છે ત્યારે પુરુષ ન તો બુદ્ધિમાં સંક્રમણ કરે છે અર્થાત્ પ્રવેશે છે કે ન તો તેનો કોઈ સ્વભાવ યા અંશ પણ બુદ્ધિમાં સંક્રાન્ત થાય છે. આ અર્થમાં ચિતિશક્તિને અપ્રતિસંક્રમા કહી છે. મુક્તિમાં જ્યારે પ્રકૃતિ સાથે, અર્થાત્ જ પ્રકૃતિના પરિણામ બુદ્ધિ સાથે પુરુષનો કોઈ સંબંધ જ નથી, એટલે કે મુક્તિમાં બુદ્ધિનું જ અસ્તિત્વ ન હોવાથી કોઈ બુદ્ધિવૃત્તિ પણ અસ્તિત્વ ધરાવતી નથી ત્યારે પુરુષ કશાનું દર્શન કરતો નથી, પરંતુ તે દર્શનશક્તિ તો ધરાવે જ છે, દ્રા મટી જતો નથી. મુક્તિમાં બુદ્ધિ જ ન હોવાથી કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy