SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨૧ જૈનમત "मुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्दुःप्रापमकृतात्मभिः ॥१॥" इति स्मृतिवचनाच्च मोक्षस्य सुखमयत्वं प्रतिपत्तव्यमिति स्थितम् ॥ 257. અમે જૈનો નૈયાયિકોને પૂછીએ છીએ કે તમે મુક્તિમાં શુભકર્મના ફળસ્વરૂપ સાંસારિક સુખોનો જ નિષેધ કરી છે કે બધા જ પ્રકારનાં સુખોનો? જો કર્મજન્ય સાંસારિક સુખોનો મોક્ષમાં નિષેધ કરવો જ તમને ઇષ્ટ હોય તો એટલું તો અમે પહેલેથી જ માનીએ છીએ, અમે પણ મોક્ષમાં કર્મજન્ય ઐન્દ્રિયક સુખો માનતા નથી, અમે તો મોક્ષમાં અતીન્દ્રિય સ્વાભાવિક પરમ સુખ જ માનીએ છીએ, તેથી તમારો હેતુ સિદ્ધસાધન હોવાથી અકિંચિત્કર છે. મોક્ષમાં બધા જ પ્રકારનાં સુખોનો ઉચ્છેદ માનવો તો પ્રમાણવિરુદ્ધ છે, કેમ કે આત્મા સ્વયં સુખસ્વરૂપ છે, સુખ તો તેનો નિજ સ્વભાવ છે. પદાર્થોના નિજ સ્વભાવનો ઉચ્છેદ કરવાથી તો પદાર્થનો જ અભાવ થઈ જાય અને જગત શૂન્ય બની જાય. તે વખતે જો સુખસ્વરૂપ આત્મા જ ન રહે તો મુક્ત બનશે કોણ? આત્માની સુખસ્વભાવતા નિમ્નલિખિત અનેક પ્રમાણોથી સિદ્ધ છે, એટલે તેને અસિદ્ધ ન કહી શકાય. આત્મા સુખસ્વભાવ છે કેમ કે તે અત્યન્ત પ્રિયબુદ્ધિનો વિષય છે અર્થાત્ તે સૌથી વધુ પ્રિય છે. આત્મા સુખસ્વભાવ છે કેમ કે તે બીજાના માટે નહિ પરંતુ સ્વયં પોતાના જ સુખ માટે ગ્રહણ કરાય છે, જેમ કે વિષયજન્ય સુખ. સ્ત્રી આદિનો પરિગ્રહ આત્માને માટે કરવામાં આવે છે, પરંતુ આત્માનું ગ્રહણ કોઈ બીજા માટે નહિ પણ સ્વયં તેના પોતાના સુખને માટે કરવામાં આવે છે. પોતાનું વિષયસુખ પોતાને અત્યન્ત પ્રિય છે તથા સ્વયં પોતાના માટે જ છે, તેથી પોતે સુખસ્વરૂપ છે, તેવી જ રીતે આત્મા પણ સુખસ્વરૂપ છે. મુમુક્ષુઓનો તપશ્ચર્યા, યોગસાધના આદિ પ્રયત્ન સુખ માટે છે, કેમ કે તે સમજદાર વ્યક્તિનો બુદ્ધિપૂર્વક કરવામાં આવેલો પ્રયત્ન છે, જેમ કે ખેડૂતનો ધાન્યપ્રાપ્તિ માટે કરવામાં આવેલો ખેતી કરવાનો પ્રયત્ન. મોક્ષમાં સુખ પરિપૂર્ણપણે વિકાસ પામે છે યા અભિવ્યક્તિ પામે છે, એટલે મોક્ષમાં પરમ અતીન્દ્રિય અનન્ત સુખ હોય છે. મોક્ષમાં સુખની પૂર્ણતા યા અનન્તતા યા પરમાતિશયતા આ અનુમાનથી પુરવાર થાય છે– સુખની તરતમતા (અર્થાત્ ક્રમિક વિકાસ) ક્યાંક તો પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરે જ છે કેમ કે તે તરતમતા (ક્રમિક વિકાસ) છે, જેમ કે પરિમાણની તરતમતા આકાશમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. મોક્ષમાં આત્માને નિત્ય પરમાનન્દ હોય છે એ શ્રુતિથી પણ સિદ્ધ છે. “આનન્દ જ બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ છે, તે મોક્ષમાં પ્રક્ટ થાય છે. જયારે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરીને સમસ્ત અવિદ્યાબલ્પનોને કાપી નાખવામાં આવે છે ત્યારે બન્ધનોથી મુક્ત થયેલો આત્મા સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy