SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૭૯ ઉપદેશ ખુદ પુરુષનો હાથ પકડીને બળજબરીથી તેને પાપાચારથી અલગ કરતો નથી. તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ સ્વયં ચાલવાની શક્તિ ધરાવનાર કોઈ પણ દ્રવ્ય ઉપર જોરજુલ્મ નથી કરતું, તેને ફરજ નથી પાડતું કે તે ચાલે જ. હા, કોઈ પણ દ્રવ્ય ચાલશે તો તેને ચાલવામાં મદદ અવશ્ય કરશે.] ગતિમાં ઉપકારી બનવું એ ધર્મદ્રવ્યનું કાર્ય છે, અવકાશ દેનાર આકાશનું કાર્ય ન હોઈ શકે, ન ઘટી શકે. તો પછી શું? તે ધર્મદ્રવ્યનો જ ઉપકાર છે. તેવી જ રીતે સ્વયં સ્થિતિ કરવાની શક્તિ ધરાવનાર દ્રવ્યોને સ્થિતિ કરવામાં ઉપકાર કરવો, સહાય કરવી એ અધર્મદ્રવ્યનું જ કાર્ય છે, અવકાશ આપનારા આકાશનું કાર્ય નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી પૃથક કરનારો કોઈ અસાધારણ ગુણ અવશ્ય માનવો જ જોઈએ. જો આકાશ જ ગતિ અને સ્થિતિરૂપ કાર્યનું અપેક્ષાકારણ બની જાય તો ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય, જે યુક્તિ અને આગમથી સ્વતંત્રદ્રવ્યો તરીકે સિદ્ધ છે તે, નિરર્થક જ બની જાય. જો ધર્મ, અધર્મ અને આકાશ ત્રણેય યુક્તિ અને આગમથી સ્વતન્નદ્રવ્યો છે તો તેમના અસાધારણ ગુણો તથા કાર્યો પણ પૃથફ જ હોવા જોઈએ. આ ત્રણેયનું સ્વતન્નરૂપે પૃથક પૃથક દ્રવ્ય હોવું યુક્તિ અને આગમ બન્નેથી બરાબર સિદ્ધ છે, પ્રસિદ્ધ છે. યુક્તિઓ તો આગળ આપીશું. આગમ આ પ્રમાણે છે– “ભને, દ્રવ્યો કેટલાં છે? હે ગૌતમ, દ્રવ્ય છ કહેવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમય (અર્થાત્ કાલ).” શંકા–પક્ષીઓનું આકાશમાં સ્વચ્છેદે ઊડવું, આગની જ્વાળાનું ઉપર તરફ જવું, વાયુનું તીરછું વાવું આ બધું અનાદિ કાળથી પોતપોતાના સ્વભાવથી જ થાય છે, તે બધાંમાં ધર્મદ્રવ્યની કોઈ આવશ્યકતા નથી. સ્વભાવ અન્યની અપેક્ષા રાખતો નથી. જૈન ઉત્તર– આપની શંકા પ્રતિજ્ઞામાત્ર છે, કથનમાત્ર છે, તેમાં ન તો કોઈ હેતુ આપ્યો છે કે ન તો કોઈ દષ્ટાન્ત આપ્યું છે. એ તો સુનિશ્ચિત છે કે ધર્મદ્રવ્યની સહાયતા વિના ન આગની જ્વાળા ઉપર જઈ શકે છે કે ન વાયુ તીરછો વાઈ શકે છે. જગતમાં કોઈ પણ એવી ગતિ નથી જે ધર્મદ્રવ્યની સહાયતા વિના થઈ શકતી હોય. જૈન સિદ્ધાન્ત અનુસાર સ્વતઃ ગતિ કરનાર બધા જીવો અને પુગલોની ગતિમાં ધર્મદ્રવ્યની સહાયતા હોય છે જ. જીવો અને પુગલો પોતાની શક્તિથી સ્વતઃ ગતિ કરે છે, તે તેમની પોતાની શક્તિથી જ ગતિ કરે છે તેમ છતાં તેમને ગતિ કરવામાં ધર્મદ્રવ્યની સહાયતાની અપેક્ષા છે જ, તેવી જ રીતે જગતમાં કોઈ પણ એવી સ્થિતિ નથી જે અધર્મદ્રવ્યની સહાયતા વિના સંભવતી હોય. આ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય કોઈને ગતિ કરવા કે સ્થિતિ કરવા ફરજ પાડતાં નથી કે બાધ્ય કરતા નથી પરંતુ જો કોઈ ગતિ કે સ્થિતિ કરતું હોય તો તેને તેની ગતિ કે સ્થિતિમાં તટસ્થપણે સહાયતા અવશ્ય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy