SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ તર્કરહસ્યદીપિકા જૈન ઉત્તર- જેવી રીતે આકાશ અને કાલ સ્વયં રહેનારાં અને સ્વયં પરિણમન કરનારાં દ્રવ્યોને રહેવામાં અને પરિણમન કરવામાં તટસ્થપણે અપેક્ષાકાર તરીકે ઉપકારક બને છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સ્વતઃ ગતિ કરનારાં અને સ્વતઃ સ્થિતિ કરનારાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં તટસ્થપણે અપેક્ષાકારણ તરીકે ઉપકારક બને છે. તેઓ જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યોની ગતિ અને સ્થિતિનાં નિર્વતક કારણો નથી. જે જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો ગતિ કરે છે અને સ્થિતિ કરે છે તે જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો જ પોતાની ગતિ અને સ્થિતિના નિર્વર્તકકારણો છે. ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો સ્વયં ગતિ કરતા અને સ્થિતિ કરતા જીવો અને પુગલોને ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં કેવળ તટસ્થ ઉપકારક છે, તેમનામાં બળપૂર્વક ગતિ અને સ્થિતિ પેદા કરનારા નિર્વતૈક કારણો નથી અર્થાત્ બળપૂર્વક પ્રેરણા કરીને જીવોને અને પુગલોને ગતિ કે સ્થિતિ કરાવતા નથી. જેવી રીતે નદી, તળાવ કે સમુદ્ર આદિ જળાશયોમાં, જ્યારે પાણી વેગ વિના સ્વભાવતઃ વહેતું હોય ત્યારે સ્વયં તરતી માછલીને પાણી ઉપકારક બને છે, જલ તેની તરણગતિમાં સાધારણ અપેક્ષાકારણ બનીને ઉપકાર કરે છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ સ્વયં ગતિ કરનારાં દ્રવ્યોની ગતિમાં સાધારણ અપેક્ષાકારણ બનીને મદદ કરે છે. જેવી રીતે પરિણામિનારણ (ઉપાદાનકારણ) માટીમાંથી કુંભાર દ્વારા થતી ઘટોત્પત્તિમાં દંડ આદિ સાધારણ નિમિત્તકારણ તરીકે ઉપકારક છે યા જેવી રીતે આકાશમાં વિચરતા પક્ષી આદિ ખેચરોને ઊડવા માટે અવકાશ આપનારું આકાશ તેમને તેમાં સામાન્ય ઉપકારકયા અપેક્ષાકારણ છે તેવી જ રીતે ધર્મદ્રવ્ય પણ ગતિમાં અપેક્ષાકારણ છે. જલ માછલીની ગતિનું કારણ હોવા છતાં તે સ્વયં ગતિ કરતી માછલીને બળપૂર્વક પ્રેરણા કરીને ધક્કો મારીને ગતિ નથી કરાવતું. પૃથ્વી સ્વયં સ્થિતિ કરનાર પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત તો બને છે પરંતુ જેઓ સ્થિતિ કરવા ઇચ્છતા નથી તેમના પગ પકડી તેમને બળપૂર્વક સ્થિતિ કરાવતી નથી. આકાશ સ્વયં રહેવા ઇચ્છનાર પદાર્થોને રહેવા માટે અવકાશ આપીને તેમનો ઉપકાર કરે છે પરંતુ તે ન રહેનાર પદાર્થોને અવકાશ આપી રહેવા માટે ફરજ નથી પાડતું. રહેશે તો અવકાશ આપશે, અન્યથા તટસ્થ યા ઉદાસીન રહેશે. વર્ષ સ્વયં ખેતી કરનાર ખેડૂતોને ખેતીમાં અપેક્ષાકારણ બને છે પરંતુ બળપૂર્વક કોઈ ખેડૂતના હાથમાં ખેતર ખેડવા હળ પકડાવી ખેતી કરાવતી નથી. ચોમાસામાં સૌપ્રથમ આકાશમાં ઘેરાતાં નવાં વાદળોની ધ્વનિ સાંભળી તેના નિમિત્તથી, ગર્ભિણી બગલી સ્વયં પ્રસવ કરે છે, નવમેઘની ગર્જના તેને બળપૂર્વક પ્રસવ કરાવતી નથી. પાપાચાર યા સંસારથી સ્વયં વિરક્ત થનારા પુરુષને જ સંસારની અસારતાનો ઉપદેશ તેના પાપાચારયાગમાં યા સંસારત્યાગમાં નિમિત્ત બને છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy