SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ તર્કરહસ્યદીપિકા જ્ઞાન આત્માનો વિશેષ ગુણ છે. શરીરસંયોગસાપેક્ષ આત્મમનઃ સંયોગથી ઉત્પન્ન થઈ આત્મામાં સમવાયસંબંધથી રહેતા વિષયપ્રકાશક ગુણને જ્ઞાન કહેવામાં આવે છે. તેમના મતે દ્રવ્ય અને ગુણનો અત્યંત ભેદ હોઈ આત્મા અને જ્ઞાનમાં અત્યંત ભેદ છે પણ તે બે સમવાયસંબંધથી જોડાયેલા છે. જ્ઞાનગુણ યવાદ્રવ્યભાવી નથી કારણ કે મુક્તિઅવસ્થામાં આત્મા જ્ઞાનશૂન્ય હોય છે. તેનું કારણ એ કે મુક્ત શરીરરહિત હોય છે અને તેને મન પણ હોતું નથી. તેવી જ રીતે જ્ઞાનગુણ અવ્યાપ્યવૃત્તિ છે. સંસારીમુક્ત બધા આત્માઓ વિભુ છે. મુક્ત વિભુ આત્માઓ તો જ્ઞાનશૂન્ય જ હોય છે. પરંતુ સંસારી આત્માઓ વિભુ હોવા છતાં જ્ઞાન તો સાત્મક શરીરમાં જ રહે છે, શરીર બહારના આત્મામાં હોતું નથી અર્થાત્ આત્માનો તે ભાગ જ્ઞાનશૂન્ય હોય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન શરીરાવચ્છિન્ન આત્મામાં જ હોય છે, શરીરથી અનચ્છિન્ન આત્મા જ્ઞાનશૂન્ય હોય છે. કોઈને પ્રશ્ન થાય કે જો જ્ઞાન આત્મામાં સદાકાળ ન રહેતું હોય અને આત્માને વ્યાપીને ન રહેતું હોય તો તેને આત્માનો વિશેષગુણ કેમ ગણાય? તેને આત્માનો વિશેષગુણ એ અર્થમાં કહેવાય છે કે તે આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતું નથી. શરીરસંયોગ અને આત્મમનઃસંયોગના નિમિત્તથી જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે અને શરીર અને મન છૂટી જતાં જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થતું નથી, આત્મા જ્ઞાનશૂન્ય બની જાય છે – આ ઉપરથી એમ ન કહી શકાય કે જ્ઞાન આત્માનો ઔપાધિક ગુણ છે ? ના, આ ઉપરથી તો એટલું જ કહેવાય કે જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ નથી. જો તેને આત્માનો ઔપાધિક ગુણ માનવામાં આવે તો તેનો એવો પણ અર્થ થાય કે તે આત્માનો પોતાનો ગુણ નથી પરંતુ ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ છે અને તે ઉપાધિરૂપ બીજા દ્રવ્યનો ગુણ આત્મા ઉ૫૨ ગમે તે કા૨ણે આરોપાયો છે. ઉદાહરણાર્થ, દર્પણ આગળ મુકેલા લાલ જાસૂદના ફૂલના કારણે દર્પણ લાલ લાગે છે પણ દર્પણ ખરેખર લાલ નથી. અહીં દર્પણનો લાલ રંગ ઔપાધિક કહેવાય છે. ‘ઔપાધિક ગુણ’ ગ’નો આવો અર્થ થતો હોઈ જ્ઞાનને આત્માનો ઔપાધિક ગુણ ન ગણી શકાય, તે આત્માનો સ્વકીય ગુણ છે – ભલે તે સ્વાભાવિક ન હોય. અહીં ન્યાયવૈશેષિક માન્યતાની સમજૂતી પૂરી થઈ. હવે ગુણરત્નસૂરિ તેમનું જે ખંડન કરે છે તે જોઈએ.] આત્માને જડ અર્થાત્ જ્ઞાનશૂન્ય ગણવો પણ ઉચિત નથી કેમ કે આત્માની જ્ઞાનશૂન્યતાના બાધક અનુમાનો મોજૂદ છે. આત્માને જ્ઞાની સિદ્ધ કરનારા અનુમાનો જણાવીએ છીએ. તે આ પ્રમાણે છે — જ્ઞાનશૂન્ય આત્મા પદાર્થોને જાણી શકતો નથી કેમ કે તે આકાશ જેવો અચેતન છે. ચેતનાના સમવાયથી આત્માને ચેતન અર્થાત્ જ્ઞાનવાળો માનવો પણ ઉચિત નથી કેમકે સમવાયસંબંધ નિત્ય,વ્યાપી તથા એક હોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy