SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ તર્કરહસ્યદીપિકા શબ્દનો પ્રતિપક્ષી ઘટ અવશ્ય હોય છે જ. આ “અઘટ' શબ્દમાં વ્યુત્પત્તિવાળા શુદ્ધ ઘટ' પદનો “ર પટઃ મટિ (જ ઘટ નથી તે અધટ)' રૂપે નિષેધ કરવામાં આવ્યો છે એટલે અઘટનો પ્રતિપક્ષી (વિરોધી) ઘટ અવર હોવાનો જ. જો નિષેધાત્મક શબ્દનો પ્રતિપક્ષી અર્થ ન હોય તો સમજવું કે તે નિષેધાત્મક શબ્દ વ્યુત્પત્તિસિદ્ધ શબ્દનો નિષેધ નથી કરતો કે શુદ્ધપદનો નિષેધ નથી કરતો પરંતુ કોઈ રૂઢ શબ્દનો યા તો બે શબ્દોથી બનેલા સંયુક્ત શબ્દનો નિષેધ કરે છે. ઉદાહરણ તરીકે, “અખરવિષાણ' શબ્દ ખર અને વિષાણ એ બે શબ્દોથી બનેલા “ખરવિષાણ' આ સંયુક્ત યા અશુદ્ધ શબ્દનો નિષેધ કરે છે, એટલે તેના પ્રતિપક્ષી ખરવિષાણને પોતાનું વાસ્તવિક અસ્તિત્વ નથી. તેવી જ રીતે “અડિત્થ' શબ્દ જો કે અખંડ ડિત્ય' પદનો નિષેધ કરે છે પરંતુ “ડત્થ' પદ વ્યુત્પત્તિસિદ્ધ અર્થાત્ યૌગિક નથી પરંતુ રૂઢ છે. તેથી “અડિત્યના પ્રતિપક્ષી ડિત્વનું હોવું આવશ્યક નથી.પરંતુ “અજીવ' આ નિષેધવાચી શબ્દ યૌગિક અને અખંડ “જીવ' પદનો નિષેધ કરે છે, એટલે “અજીવ'ના પ્રતિપક્ષી જીવનું અસ્તિત્વ અવશ્ય હોવું જ જોઈએ. 129. તથા વશરીરે સ્વયંવેપ્રત્યક્ષમાત્માનું સચિત્વી પરશરીરે सामान्यतोदृष्टानुमानेन साध्यते । यथा परशरीरेऽप्यस्त्यात्मा, इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्तिदर्शनात्, यथा स्वशरीरे । दृश्येते च परशरीर इष्टानिष्टयोः प्रवृत्तिनिवृत्ती, तस्मात्तत्सात्मकम्, आत्माभावे तयोरभावात्, यथा घटे इति। एतेन यदुक्तम् 'न सामान्यतोदृष्टानुमानादप्यात्मसिद्धिः' इत्यादि तदप्यपास्तं द्रष्टव्यम् । 129. (૯) ઉપરાંત, પોતાના શરીરમાં “હું સુખી છું' એવા આકારના સ્વસંવેદનપ્રત્યક્ષ દ્વારા આત્માનો અનુભવ કરીને, આત્માને સિદ્ધ કરીને બીજાના શરીરમાં પણ પોતાના શરીરના ધર્મો સમાન ધર્મો જોઈને સામાન્યતોદષ્ટ અનુમાનથી આત્માને સિદ્ધ કરાય છે. બીજાના શરીરમાં પણ આત્મા છે કેમ કે અમારા શરીરની જેમ જ બીજાના શરીરમાં પણ ઇષ્ટ પદાર્થમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટ પદાર્થથી નિવૃત્તિ જણાય છે. જેમ અમારું શરીર સાપ, કંટક આદિ અનિષ્ટ હાનિકર પદાર્થોથી બચવા માગે છે તથા સરસ ભોજન આદિની તરફ આકર્ષાય છે તેવી જ રીતે બીજાનું શરીર પણ એવું જ કરે છે. તેથી માનવું જોઈએ કે જેમ અમારા શરીરમાં આત્મા છે તેમ બીજાના શરીરમાં પણ આત્મા છે. જો શરીરમાં આત્મા ન હોય તો તે શરીરનું અનિષ્ટ પદાર્થોથી દૂર ભાગવું અને ઇષ્ટ પદાર્થોને આસક્તિપૂર્વક વળગવું બને નહિ. ઘડામાં આત્મા નથી, તેથી તેના ઉપર સાપ ચડે કે તેમાં દૂધ ભરી દેવામાં આવે તો પણ તે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy