SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ તર્કરહસ્યદીપિકા तत् सर्वं प्रसज्यते इति । આ સમજૂતી: જો નિર્માણકાયો (યોગજ શરીરો) ઉત્પન્ન કરવા પ્રવૃત્ત થનારો આત્મા પોતાના પૂર્વકૃત કર્મના પરિણામે જ તેમાં પ્રવૃત્ત થઈ શકે છે એમ ન માનીએ તો તેનાં નિર્માણશરીરોની ઉત્પત્તિમાં તેનું પૂર્વકૃત કર્મ નિમિત્ત નથી એવો અર્થ થાય, અર્થાત પૂર્વકૃત કર્મને પોતાનું કોઈ ફળ નથી એમ ફલિત થાય; અને એમ સ્વીકારતાં તો પોતપોતાનાં સામાન્ય પ્રકારનાં શરીરોની ઉત્પત્તિમાં પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કર્મોને નિમિત્તકારણ ન માનતાં જે દોષો આવે છે તે બધા જ દોષો અહીં પણ આવે. આમ વાત્સ્યાયનના મતે, જેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી સમ્યકજ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરેલ છે, જે સ્પષ્ટપણે જાણે છે કે ક્યા કર્મનું ક્યું ફળ છે, જેણે પોતે ક્લેશમુક્તિ-દુઃખમુક્તિના માર્ગની સંપૂર્ણ યાત્રા કરી છે અને તેથી જેને તે માર્ગનું સાક્ષાત્ જ્ઞાન છે, જે તે માર્ગની બાબતમાં પ્રમાણ છે, જે તે માર્ગનો પરમોત્કૃષ્ટ ઉપદેષ્ટા છે, જેના ભવનો – જન્મમરણચક્રનો – અન્ત થયો છે, જે બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને અંતિમ જન્મમાં ભોગવી લેવા પોતાની અવ્યાહત ઈચ્છાથી અનેક નિર્માણકાર્યોનું નિર્માણ કરે છે અને જે પોતાની અવ્યાહત ઇચ્છાથી સઘળાં સંચિત કર્મોને વિપાકોનુખ કરે છે તે જીવન્મુક્ત જ ઈશ્વર છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.] 51. તતઃ સદ્ગતાર્થપ્રકાશવિવાદીતરી પત્ર સર્વજ્ઞો તેવો રેવત્વેનાડુपगमनार्हो नापरः कश्चिदिति स्थितम् । 51. તેથી જગતના સભૂત અર્થાત્ વાસ્તવિક પદાર્થોને યથાવત્ પ્રકાશિત કરનારું જ્ઞાન જેને છે તે સર્વજ્ઞ અને વીતરાગ જ દેવપદને યોગ્ય છે અને તેમને જ દેવ માનવા ઉચિત છે, અન્યને નહિ. 52. अत्र जल्पन्ति जैमिनीयाः । इह हि सर्वज्ञादिविशेषणविशिष्टो भवदभिमतः कश्चनापि देवो नास्ति, तद्ग्राहकप्रमाणाभावात् । तथाहि-न तावत् प्रत्यक्षं तद्ग्राहकम्; "संबद्धं वर्तमानं हि गृह्यते चक्षुरादिना" [ मी० श्लो० प्रत्यक्षसू० श्लो० ८४] इति वचनात् । न चानुमानम्; प्रत्यक्षदृष्ट एवार्थे तत्प्रवर्तनात् । न चागमः, सर्वज्ञस्यासिद्धत्वेन तदागमस्यापि विवादास्पदत्वात् । न चोपमानम्, सर्वज्ञसदृशस्यापरस्याभावात् । न चार्थापत्तिरपि; सर्वज्ञसाधकस्यान्यथानुपपन्नार्थस्यादर्शनात् । ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः । तदुक्तम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy