SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૬૫ लिङ्गभूतः शक्य उपपादयितुम् । आगमाच्च द्रष्टा बोद्धा सर्वज्ञाता ईश्वर इति । बुद्ध्यादिभिश्चात्मलिङ्गैनिरुपाख्यम् ईश्वरं प्रत्यक्षानुमानागमविषयातीतं कः शक्त उपपादयितुम् ? સમજૂતીઃ ઈશ્વર આત્મા જ છે, તત્ત્વાન્તર નથી, કારણ કે તેનામાં એવો કોઈ ખાસ ગુણ નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ પુરવાર કરે. ઈશ્વરમાં બુદ્ધિ છે અને બુદ્ધિ આત્માનો જ વિશેષ ગુણ છે. આગમમાં પણ ઈશ્વરનો આ જ ગુણ જણાવવામાં આવ્યો છે. આગમ ઈશ્વરને દ્રષ્ટા, બોદ્ધા અને સર્વજ્ઞાતા તરીકે વર્ણવે છે. આમ આગમે પણ એવો કોઈ ખાસ ગુણ જણાવ્યો નથી કે તેને આત્માથી જુદું તત્ત્વ સાબિત કરે. જો ઈશ્વર આત્મલિંગ બુદ્ધિ વગેરેથી રહિત હોય તો તે નિરુપા બની જાય, તેનું વિધ્યાત્મક વર્ણન જ અશક્ય બની જાય, તેને જાણી શકાય નહિ; તે પ્રત્યક્ષ, અનુમાન કે આગમથી અગોચર રહે. આમ ઈશ્વર આત્મા હોઈ, તે બુદ્ધિ આદિ વિશેષ ગુણોથી યુક્ત છે. અહીં વાત્સ્યાયને ઈશ્વરને સર્વજ્ઞાતા તરીકે સ્વીકારેલ છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું વાત્સ્યાયન જીવન્મુક્તને સર્વજ્ઞ ગણે છે? “બધાં જ દ્રવ્યોની બધી જ વ્યક્તિઓની સર્વ સૈકાલિક અવસ્થાઓનું જ્ઞાન ધરાવનાર' એવો “સર્વજ્ઞ' શબ્દનો અર્થ સામાન્યપણે પ્રચલિત છે. વાસ્યાયનને “સર્વજ્ઞ' શબ્દનો આવો અર્થ અહીં અભિપ્રેત છે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય નહિ. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે વાત્સ્યાયન સંદર્ભ પ્રમાણે સર્વજ્ઞ'નો જુદો જુદો અર્થ કરે છે. ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહણ કરે છે જયારે આત્મા રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દ એ પાંચે વિષયોને અર્થાત્ સર્વને ગ્રહણ કરે છે, એટલે આત્મા સર્વજ્ઞ છે અને તેથી ઈન્દ્રિયોથી ભિન્ન છે એવું વાત્સ્યાયને એક સ્થાને કહ્યું છે. તેમના શબ્દો છે: યાત્ તું વ્યવસ્થિતવિષયાળીન્દ્રિયાળી તમન્ तेभ्योऽन्यश्चेतनः सर्वज्ञः सर्वविषयग्राही विषयव्यस्थितिमतीतोऽनुमीयते । 3.१.3. આપણો પ્રસ્તુત સંદર્ભ કર્મ અને ફળનો છે. તેથી આ સંદર્ભમાં “સર્વજ્ઞ” શબ્દનો અર્થ કર્મો અને તેમનાં ફળો વચ્ચેના નિયત સંબંધને જાણનાર, દુઃખમુક્તિરૂપ પરમફળ અને તેના સઘળા ઉપાયોને (કર્મોને), તે ઉપાયોના ક્રમને (સાધનાક્રમને) જાણનાર' થાય. “સર્વજ્ઞ' શબ્દના અર્થનો આથી વધુ વિસ્તાર પ્રસ્તુત સંદર્ભમાં જરૂરી નથી. આ અર્થમાં જીવન્મુક્ત સર્વજ્ઞ છે જ. “સર્વ દ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સૈકાલિક સર્વ અવસ્થાઓને જાણનાર’ એવો “સર્વજ્ઞ' શબ્દનો અર્થ પ્રસ્તુત સંદર્ભમાં બંધ બેસતો નથી કારણ કે આવો અર્થ કર્મસિદ્ધાન્ત અને પુરુષસ્થાનત્ય (freedom of will)નો અત્યન્ત વિરોધી છે જયારે જડ નિયતિવાદનો જ પોષક છે. . (e) स्वकृताभ्यागमलोपेन प्रवर्तमानस्य यदुक्तं प्रतिषेधजातम् अकर्मनिमित्ते शरीरसर्गे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy