SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ તર્કરહસ્યદીપિકા બનાવી શકે? આ જગતની રહસ્યમય અનોખી રચના જ ઈશ્વરની સર્વજ્ઞતાનું સૌથી મોટું પ્રમાણ છે.] જૈન– [આપ નૈયાયિકોએ જગતની વિચિત્રતાનું ચિત્રણ તો બહુ સુંદર રીતે કર્યું છે.] પરંતુ તે જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતા સાથે અવિનાભાવસંબંધ નથી. [આપ નૈયાયિકોએ જગતની વિચિત્રતાનો અવિનાભાવસંબંધ ઈશ્વરની સર્વજ્ઞતા સાથે છે એમ કહીને આપનું અજ્ઞાન જ પ્રદર્શિત કર્યું છે. જ્યારે ઈશ્વરમાં જગત્કર્તુત્વ સિદ્ધ થઈ જાય ત્યારે જ જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતા સાથે સંબંધ જોડી શકાય. પરંતુ દુઃખ તો એ વાતનું છે કે કોઈ પણ હેતુથી ઈશ્વરનું જગત્કર્તુત્વ જ સિદ્ધ થતું નથી.] વળી, જગતની વિચિત્રતા તો અગણિત પ્રાણીઓનાં અસંખ્ય પુણ્ય-પાપરૂપ કર્મોથી થાય છે. જે પ્રાણીના જે જાતનાં શુભ કે અશુભ કર્મોનો ઉદય થાય છે તે જાતનાં સુખ કે દુઃખના ભોગની સામગ્રી ઉત્પન્ન થતી જાય છે. આમ જગદ્વૈચિત્ર્ય, સર્વજ્ઞતા વિના, જીવોનાં શુભાશુભ કર્મોના પરિપાક વગેરે દ્વારા ઘટે છે. ___48. किंचायं यदि सर्वज्ञः, तदा जगदुपप्लवकरणस्वैरिणः पश्चादपि कर्तव्यनिग्रहानसुरादींस्तदधिक्षेपकृतोऽस्मदादींश्च किमर्थं सृजतीति नायं સર્વજ્ઞા 48. જો ઈશ્વર સર્વજ્ઞ હોય તો જગતમાં અત્યાચાર કરનારા સ્વચ્છંદી રાક્ષસોને પહેલાં શા માટે સરજે? એ તો સામાન્ય માણસ પણ સમજે છે કે “જે ચીજને સરજીને પછી જેનો નાશ કરવો પડે તે ચીજને પહેલેથી ઉત્પન્ન જ ન કરવી બહેતર છે.' [પગને કાદવથી ખરડીને પછી તેને ધોવા કરતાં પહેલેથી કાદવથી બચીને ચાલવામાં જ ડહાપણ છે. જે રાક્ષસોને મારવા માટે ઈશ્વરને સ્વયે અવતાર લેવો પડે તેમને તે સર્વજ્ઞ ઈશ્વરે પહેલાં બનાવ્યા જ કેમ?] વળી અમારા જેવા તેની નિંદા કરનાર, તેનું અપમાન કરનાર, તેના ઉપર આક્ષેપ કરનારને તેણે શા માટે સરજયા? શુિં આ તેની સર્વજ્ઞતા કહેવાય? જો તે વસ્તુત: જગતનો સર્વજ્ઞ કર્તા હોય તો તેણે અમારા જેવા ઈશ્વરને જ ન માનનારાઓને સરજીને પોતાના પગ ઉપર જ કુહાડી મારી કહેવાય. આમાં તો એની બુદ્ધિનું દેવાળું નીકળી ગયું કહેવાય.] તેથી ઈશ્વર સર્વજ્ઞ નથી. 49. તથા વનામેાર્યારે વૈમત્યસંભાવના મન મશિતત્ત્વकल्पना भोजनादिव्ययभयात् कृपणस्यात्यन्तवल्लभपुत्रकलत्रमित्रादिपरित्यजनेन शून्यारण्यानीसेवनतुलामाकलयति । अनेककीटिकासरघाशतसंपाद्यत्वेऽपि शक्रमूर्धमधुच्छनादिकार्याणामेकरूपतयाविगानेनोपलम्भात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy