SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ જૈનમત हेतुत्वेन विवक्षितं, तद्विशेषो वा । यद्याद्यः, तर्हि न ततो बुद्धिमत्कर्तृविशेषसिद्धिः, तेन समं व्याप्त्यसिद्धेः,कि तु कर्तृसामान्यस्य, तथा च हेतोरकिंचित्करत्वं साध्यविरुद्धसाधनाद्विरुद्धत्वं वा । ततः कार्यत्वं कृतबुद्धयुत्पादकम्, बुद्धिमत्कर्तुर्गमकं न सर्वम् । सारूप्यमात्रेण च गमकत्वे वाष्पादेरप्यग्नि प्रति गमकत्वप्रसङ्गः, महेश्वरं प्रत्यात्मत्वादेः सादृश्यात्संसारित्वकिंचिज्ज्ञत्वाखिलजगदकर्तृत्वानुमापकानुषङ्गः, तुल्याक्षेपसमाधानत्वात् । ततो बाष्पधूमयोः केनचिदंशेन साम्येऽपि तथा कुतश्चिद्विशेषाभूमोऽग्नि गमयति न वाष्पादिः, तथा क्षित्यादीतरकार्यत्वयोरपि कश्चिद्विशेषोऽभ्युपगम्यः । 25. અથવા, ગમે તે રીતે જગતને કાર્ય માની પણ લઈએ, તો પણ એ પ્રશ્ન તો ઊઠે જ છે કે શું આપ સામાન્ય કાર્યત્વ હેતુ વડે જગતને ઈશ્વરકર્તૃક સિદ્ધ કરવા માગો છો કે કોઈ ખાસ વિશેષ પ્રકારના કાર્યત્વ હેતુ વડે? સામાન્ય કાર્યત્વ અર્થાત્ સામાન્ય રચના વડે જગતને ઈશ્વરરચિત કહેવું એ તો ઈશ્વરની હાંસી કરવા બરાબર છે. સામાન્ય કાર્યત્વની તો સામાન્ય કર્તા સાથે વ્યાપ્તિ છે અને નહિ કે સર્વજ્ઞત્વ આદિ ગુણ વિશેષોથી યુક્ત ઈશ્વરરૂપ કર્તા સાથે. સામાન્ય કાર્ય– વડે સિદ્ધ સામાન્ય કર્તાથી તો આપનું નૈયાયિકોનું પ્રયોજન સિદ્ધ નહિ થાય. આપને તો આપના સર્વજ્ઞ, અશરીરી ઈશ્વરને કર્તા સિદ્ધ કરવા છે. સામાન્ય કાર્ય હેતુએ આપના ઇષ્ટ વિશેષ કર્તાથી ઊલટા સામાન્ય કર્તાને સિદ્ધ કર્યા હોવાથી આ હેતુ ઇષ્ટથી ઊલટું સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે. કાર્ય કોઈ ને કોઈ કર્તાથી ઉત્પન્ન થાય છે એ તો સર્વસમ્મત વાત છે, એમાં કોઈ વિવાદ નથી, અને સામાન્ય કાર્યત્વ હેતુ આનાથી અધિક કશું પણ સિદ્ધ કરી શકતો ન હોવાથી અકિંચિત્કર છે, અર્થાત્ તેનાથી આપ નૈયાયિકોનું પ્રયોજન સિદ્ધ થતું નથી. બધાં કાર્યો બુદ્ધિમાન કર્તાના અર્થાત્ ઈશ્વરના ગમક નથી પરંતુ તે જ કાર્યો જે કૃતબુદ્ધિને–અર્થાત્ “એમને બુદ્ધિમાન કર્તાએ અર્થાત્ ઈશ્વરે બનાવ્યાં છે એવી બુદ્ધિને – ઉત્પન્ન કરે છે તે જ બુદ્ધિમાન કર્તાના અર્થાત્ ઈશ્વરના ગમક છે. [કાર્યો જે કારણોથી ઉત્પન્ન થાય છે તે જ કારણો તેમના કર્તા છે. તે કાર્યોને ભોગવનાર પ્રાણીઓ પણ પોતાનાં કર્મો દ્વારા તેમના કર્તા બની શકે છે. તેથી જે કાર્યો પોતાના વિશે કૃતબુદ્ધિઈશ્વરે એમને બનાવ્યાં છે' એવી બુદ્ધિ-ઉત્પન્ન કરે છે તે જ કાર્યો ઈશ્વરને પોતાનો કર્તા સિદ્ધ કરી શકે છે, બધાં કાર્યો નહિ.] [કૃતબુદ્ધિ ઉત્પન્ન કરે તે કાર્યો જ પોતાના બુદ્ધિમાન કર્તા ઈશ્વરને સિદ્ધ કરી શકે, અન્ય નહિ એમ માનવાને કોઈ કારણ નથી, કેમ કે] બધાં કાર્યો સમાન હોઈ કોઈ પણ કાર્ય (અર્થાત્ સામાન્ય કાર્યત્વ) પોતાના બુદ્ધિમાન કર્તા ઈશ્વરનું અનુમાન કરાવી શકે છે એમ તમે નૈયાયિકો કહો તો ધૂમ અને ધૂમસમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy